________________
ગાથા-૭૫
૧૬૫
કર્મ કહો. આહાહાહા ! ( શ્રોતાઃ- તો જ સ્વતંત્રતા રહેને ) સ્વતંત્ર જ છે એક સમયનો પર્યાય સત છે તેને હેતુ ન હોય. છે એને હેતુ શો છે. એ પોતાથી જ છે અને ૫૨થી છે એમ કહેવું ? એ રાગ થયો એનું જે જ્ઞાન થયું એમ કહેવું એ વ્યવહા૨ છે અને એ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એમ કહેવું એ વ્યવહાર છે. આહાહાહા !( શ્રોતાઃ- રાગનું જ્ઞાન કહેવું એ વ્યવહા૨ છે ) અને આ જ્ઞાનના પરિણામને આત્મા કરે છે એ પણ વ્યવહાર છે. પરિણામ પરિણામને કરે છે રાગની અપેક્ષા વિના દ્રવ્ય ગુણની અપેક્ષા વિના. આહાહાહા ! તેથી કળશકારે લીધું છે એનો કળશ છે ને ૪૯ વ્યાપ્યવ્યાપક છે ને દ્રવ્યપરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે. વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્તા એમાં એક સત્વમાં આવો ભેદ કરવામાં આવે તો થાય છે ન કરવામાં આવે તો નથી થતો.
જીવ સત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્વ ભિન્ન છે તેથી વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે. રાગનો કર્તા તો નહીં પણ રાગ સંબંધીનું જ્ઞાન કહેવું એ નિમિત્તથી છે અને એ જ્ઞાનના પરિણામનો આત્મા કર્તા કહેવો એ પણ ઉપચારથી છે. કારણકે પરિણમન પર્યાય ષટ્કા૨કથી સ્વતંત્ર પરિણમે છે. સ્વતંત્રપણે પરિણમે કર્તા થઇને એને બીજો કોઇ કારણ હોઇ શકે નહીં. આહાહાહાહા ! સમજાય છે કાંઇ ? ઝીણું છે બહુ. (શ્રોતા:- દ્રવ્ય ને ગુણ હેતુ નહીં ) નહીં. એ કીધું ને કીધું ને ઉપચારમાત્રથી જીવ પોતાના પરિણામનો જ્ઞાનના પરિણામનો માત્ર ઉપચારથી છે. તે જ પરિણામનો જ્ઞાનના પરિણામનો માત્ર ઉપચારથી છે તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલું છે, એમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી. એમ રાગના પરિણામનું અહીં જ્ઞાન થયું એ તો જ્ઞાનનું જ્ઞાન છે રાગના પરિણામનું નથી. છતાં એને સમજાવવું છે એટલે કે રાગ થયો ભગવાનની સ્તુતિઆદિનો, તે રાગનું અહીં જ્ઞાન થયું એ નિમિત્તથી કથન છે. બાકી જ્ઞાન-જ્ઞાનથી થયું છે એ રાગથી નથી, દ્રવ્યગુણથી નથી. આહાહાહા ! એવા જ્ઞાનપરિણામનો સ્વતંત્રપણે ષટકારકરૂપે પર્યાય પરિણમે છે એને દ્રવ્ય એનો કર્તા કહેવો. દ્રવ્ય સ્વભાવ કર્તા કહેવો એ પણ ઉપચાર અને વ્યવહાર છે. સમજાય એવું છે હોં ઝીણું છે એટલે ન સમજાય એવું નથી.
જુદુ પાડીને લખે છે ને, પરંતુ પુદ્ગલ પરિણામના જ્ઞાનને ભાષા છે! ખરેખર તો એ પરિણામ જ્ઞાન-આત્માનાય નથી. પરિણામ પરિણામના છે. પણ આંહીં સમજાવવું છે એટલે શી રીતે સમજાવવું એને રાગનો કર્તા નથી એમ સમજાવવું છે ત્યારે શું શેનો કર્તા છે? રાગ સંબંધીનું જે જ્ઞાન પોતાથી પોતામાં થયું તેનો તે કર્તા કહેવામાં આવે છે તે પણ ભેદથી. ગજબ વાત છે. આવી વાત સર્વજ્ઞ સિવાય અને વીતરાગી સંતો સિવાય કયાંય હોઇ શકે નહીં. આહા ! પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કર્તા એવા પોતાના આત્માને જાણે છે. જોયું, પછી ઓલા રાગને જાણે છે એમય નહીં. રાગના પરિણામને આત્મા કરતો પરિણામને જાણે છે રાગને જાણે છે એમ નહીં. વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન આવે છે ને એ આંહીં ઉડાડી
દીધું છે. આ તો બાપા એક એક અક્ષ૨ સર્વજ્ઞની વાતો છે. સર્વજ્ઞના કેડાયતો સંતોની વાતું છે બાપા આ કંઇ કથા નથી, વાર્તા નથી. એવા પોતાના આત્માને જાણે છે જોયું! એ ઓલા પરિણામને જાણે છે એમ કહ્યું રાગને જાણે છે એમ નહીં. વ્યવહા૨ત્નત્રયનો વિકલ્પ ઉઠયો તેનું