Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 446
________________ ગાથા-૯૧ ૪૩૧ મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન કર્યા માટે ત્યાં ૫૨માણુને કર્મરૂપ થવું પડયું એવું છે નહીં. આહા ! સિદ્ધાંત છે આ તો! ‘મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ' –મોહનીય (કર્મ ) જ્ઞાનાવરણીય કર્મબંધનમાં છ કા૨ણથી બંધાય છે. પંડિતજી નથી આવ્યા, ઠીક નહીં હોય, પંડિતજી નથી. ( શ્રોતાઃ– ભાવનગર ગયા છે) હૈં ? ભાવનગર, છ કારણ-જ્ઞાનની અશાતના કરવી, જ્ઞાનનો વિરોધ ક૨વો, એવા પરિણામ અજ્ઞાની કરે પણ એ પરિણામ એવા થયા તો જ્ઞાનાવરણીય બંધાય છે, આ પરિણામને કા૨ણે એ પરિણામ કર્તા ને કર્મબંધનની પર્યાય કાર્ય એવું છે નહીં. આહાહાહા ! છ કારણથી, જ્ઞાનનો દોષ કરીને-અશાતના કરીને, સાચા જ્ઞાનનું ભાન નથી અને વિરોધ કરે છે સત્યનો એ કા૨ણે કર્મ બને છે–બંધાય છે એમ ( શાસ્ત્રમાં ) કહેવામાં આવ્યું એ તો નિમિત્તથી ( કથન ન ) છે. કર્મબંધન તો એની પર્યાયના કારણમાં પર્યાય કર્મની થાય છે. અજ્ઞાનીએ જ્ઞાનાવરણીય૫૨કર્મને અનુકૂળ જ્ઞાનની અશાતના આદિના ભાવ કર્યાં, પણ એ ભાવે કર્મબંધન કર્યું એવું નથી. આહાહાહા ! ભારે કામ એનું! ભાવાર્થ:- “આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે” –પોતાના સ્વરૂપની ખબર નથી કે હું ( તો ) જ્ઞાતા-દૃષ્ટા આનંદ છું, ૫૨માં સુખ માનીને, પોતાના અજ્ઞાનરૂપ પરિણમે છે, મારું સુખ, કાલે કોઇ નહોંતુ ગાતું ભાઈ મોહનભાઈએ (ગાયું હતું ) કાયામાં કસ્તુરી એ મૃગલો બહાર શોધે કસ્તુરીને ! આહાહા ! એની ડુંટીમાં હોય છે ને, મૃગને ડુંટીમાં કસ્તુરી ( હોય છે ) આમ ગંધ આવે કે ( મૃગને થાય ) કે આંહી બહા૨ હશે-બહાર હશે એમ ( બહા૨માં ) ગોતે, પણ આંહી છે એ ખબર નથી. એમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું ધામ (નિજ) આત્મા છે, એ અતીન્દ્રિય આનંદ પોતામાં છે એ ત્યાં ન શોધતાં, બહા૨માં સ્ત્રીમાં-પુરુષમાં ને પૈસામાં ને આબરુમાં ને પરમાં સુખ છે, એવી કલ્પના અજ્ઞાની કરે, તેથી તે ઇ કલ્પનાનો કર્તા છે, પણ કર્મબંધન (જે) થાય છે, એનો કર્તા નથી. આહાહાહા ! ગજબ વાત છે ભાઈ ! આહાહા ! સમજાણું કાંઈ.. ? સ્ત્રીનું શરી૨ જે છે માંસ ને હાડકાં-ચામડાં, એ તો જડની પર્યાય છે અજીવની, એ બીજો, આત્મા એમ માને કે હું એને ભોગવું, ત્રણ કાળમાં ભોગવી શકતો નથી. આહાહા ! માને કે હું એને ભોગવું છું, એવા અજ્ઞાનના પરિણામ કરે, એ અજ્ઞાનને ભોગવે. સમજાણું કાંઇ ? ઝીણી વાત ભાઈ ! આહાહા ! એ રાગ કરે ને એ રાગને અજ્ઞાની ભોગવે, પણ ૫૨ ચીજને કરે ને ભોગવે ૫૨ને ભોગવે એ ત્રણકાળમાં બનતું જ નથી. આહાહાહા !( આ ) કેરીનો રસ, કેરી કેરી મીઠી આમ હાફુસ કેરી, કટકા કરે, તો એ કેરીના કટકા આત્મા કરી શકે નહીં, કેરીના કટકાને આત્મા અડતોય નથી. જીભ પણ એને અડતી નથી, આત્મા જીભને અડતો નથી. આહાહાહા ! કેરીનો ૨સ જોઇને જ્ઞાનમાં આત્મા આ ઠીક છે એવો રાગ કરે, એ રાગને ભોગવે, (પરંતુ ) એ કેરીના રસને આત્મા કરી શકે (કેરી ) ઘોળી શકે ને ( રસને ) ખાઈ શકે, એવું છે નહીં. ઊંચી કેરી હોય છે ને પછી ઘોળે છે ને, આમ-આમ આમ પછી ૨સ નીકળે ને ચૂસે, ભગવાન ના પાડે છે કે કેરીનું ઘોલન આત્મા કરી શકતો નથી, એમાંથી અંદ૨થી આમ રસ કાઢી શકતો નથી, અને રસ અહીં જીભમાં, આત્મા ( રસને ) ચાખીય શકતો નથી. બહુ કામ આકરું. એ રસને કાળે ( વખતે ) એ રસને જોઈને, ઠીક છે ! એવો રાગ ( આત્મા ) કરે છે અને એ ( ઠીક

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501