Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 452
________________ ગાથા-૯૨ ૪૩૭ ( શું કહે છે ? ) અજ્ઞાનથી આ આત્મા ૫૨નો અને પોતાનો ૫૨સ્પ૨ વિશેષ ( તફાવત ) ન જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ કરતો અને પોતાને ૫૨ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો—દયા, દાન આદિના જે પરિણામ થાય છે દયા-દાનનો રાગ એ વિકાર છે-૫૨ છે, એને અજ્ઞાની પોતાના માને છે કે મેં ( એ ભાવ ) કર્યાં. આહાહાહા ! સમજાણું કાંઇ... ? ૫૨ના અને પોતાનો ૫૨૫૨ દેખો ! ૫૨૫૨-પોતાથી ૫૨ ભિન્ન ને ૫૨થી પોતે ભિન્ન, એવો ૫૨થી ભેદ જાણતો નથી, ત્યારે અજ્ઞાનથી આત્મા પરસ્પર (નો ) ભેદ જાણતો ન હોય ત્યારે તે ૫૨ને પોતારૂપ (માને છે ) આહાહાહાહા ! ( કહે છે ) રાગદ્વેષના પરિણામ-દયા, દાન, વ્રત આદિના પરિણામ ( ભાવ ) થાય છે, એ ૫ણ ૫૨ છે, પોતાનું સ્વરૂપ નથી. પણ અજ્ઞાનભાવથી ( રાગદ્વેષરૂપ ) પરિણમન કરે છે એ ! સમજાણું કાંઈ..... ? આહાહા ! 66 “૫૨ને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો” —પોતાને રાગરૂપ કરતો ૫૨રૂપ કરતો “સ્વયં-પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે” એ દૃષ્ટાંત આપે છે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ- “જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીતઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે” —શું કહે છે ? દેખો ? અગ્નિ અને બરફ—અગ્નિ ઉષ્ણ છે ને બ૨ફ ઠંડો છે, છે ? એ ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામ, અગ્નિની પર્યાય પુદ્ગલની પર્યાય (છે ) અને બરફની પર્યાય પુદ્ગલની પર્યાય છે—( એ પર્યાયો ) પુદ્ગલથી અભિન્નપણાને લીધે, એ પર્યાય ઉષ્ણ ને ઠંડી એ પુદ્ગલથી એકમેક છે. છે ? આત્માથી સદાય એ અત્યંત ભિન્ન છે. એ ઠંડી અને ગ૨મ અવસ્થા પુદ્ગલથી અભિન્ન ( એકમેક ) છે. આત્માથી અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકા૨નો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે–અહીંયા શું કહે છે ? ઠંડી અને ગરમીનું જે વેદન-રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે, અહીં અજ્ઞાનીની વાત છે ને ! સમજાણું કાંઇ... ? આહાહા ! શીત અને ઉષ્ણ અવસ્થા, એ પુદ્ગલની ( પરમાણુંની ) છે અને શીતને ઉષ્ણનું વેદન, અહીં વેદન થયું–રાગ થયો, એ રાગ આત્માથી અભિન્ન છે. એ ચીજ ઠંડી-ગરમની અવસ્થા એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી એ ભિન્ન છે. આહાહા ! જેમ કે મોઢામાં મરચું આવ્યું, મરચું તીખું તો તીખી અવસ્થા જે છે મરચાંની એ (મરચાંના પુદ્ગલથી ) અભિન્ન છે, આત્માથી ભિન્ન છે પણ એ તીખાશ વખતે જે એમાં પર્યાયમાં રાગ આવ્યો કે, બહુ તીખું એ દ્વેષ આવ્યો એ આત્માથી અભિન્ન છે. અજ્ઞાનીની વાત કરે છે ને ! સમજાણું કાંઇ... ? તીખું મરચું હોય છે ને તીખું બહુ ! આમ ઢોકળું–ઢોકળા હોય છે ને આમ, (મરચાંના ) ભજીયા હોય તીખાતીખા બહુ, આ લીલા મરચાં ( લ્યોને ! લીલાં મરચાં બહુ તીખાં હોય, એ તીખાશની પર્યાય તો જડની સાથે અભિન્ન છે, પણ અહીં (જીવના ભાવમાં ) એનાથી જે ઠીક નથી એવો દ્વેષ (ભાવ) આવ્યો એ દ્વેષના પરિણામ આત્માથી અભિન્ન છે. આ અજ્ઞાનની વાત કરવી છે ને ? સમજાણું ? આહાહાહા ! એ શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા, પુદ્ગલથી એક છે. કારણકે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આહાહા ! આ ઠંડી-ગરમીની એ પર્યાય જડની સાથે અભિન્ન છે. આહા ! અને એ ઠંડી–ગ૨મીમાંય જે રાગ આદિ થાય છે કે આ ગ૨મ ચીજ ઠીક છે, એ ચીજ બહુ ઠીક

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501