Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 455
________________ ४४० સમયસાર સિદ્ધિ ભાગ-૪ હોવાનું માને છે એ માન્યતા કરે છે, એમ કહે છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું, એટલે આ રાગ હું કરું છું, હું દ્વષી છું, ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે રાગનો કર્તા પણ અજ્ઞાનભાવથી પ્રતિભાસે છે. પણ એ અજ્ઞાનભાવ છે એ સત્યભાવ છે નહીં. વિશેષ કહેશે. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૮૩ ગાથા-૯૨ તા. ૩૧/૦૧/૭૯ બુધવાર મહા સુદ-૪ શ્રી સમયસાર, ૯૨ ગાથા ફરીને, ટીકા-ટીકા છે ને ટીકા, બાણું ગાથાની ટીકા, આ આત્મા, અજ્ઞાનથી પોતાનું શુદ્ધસ્વરૂપ આનંદ, એના અજ્ઞાનથી, પોતાની ચીજ જે આનંદ ને શુદ્ધ છે, એનું અજ્ઞાનીને જ્ઞાન નથી, અજ્ઞાનને કારણે પોતાનો ને પરનો ભેદ, પરસ્પર ભેદ નથી જાણતો-ભગવાન આત્મા એ તો જ્ઞાન-આનંદ સ્વરૂપ અને પર-રાગદ્વેષ ને કર્મ, નોકર્મ (તે) પર, એ પોતાનો ને પરનો પરસ્પર ભેદ (તફાવત) જાણતો ન હોય ત્યારે “તે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો” – -ત્યારે તે પરને પોતારૂપને એ રાગ-દ્વેષના પરિણામ, કર્મને નોકર્મ એ પરને પોતારૂપ માને છે. આહાહાહા ! અને પોતાને પરરૂપ કરતો થકો-પોતાનું સ્વરૂપ શુદ્ધચૈતન્યઘન છે છતાં) એને રાગ મારો છે, કર્મ મારા છે, નોકર્મ-કર્મના ફળઆદિ મારા છે એમ પરને પોતાના કરતો થકો, સ્વયં (પોતે) અજ્ઞાનમય થયો થકો (આહા!) સ્વયં અજ્ઞાનમય થયો થકો, કર્મને કારણે નહીં, (સ્વયં-પોતાથી) “કર્મોનો કર્તા પ્રતિભાસે છે.” આહાહા ! એ પુણ્ય ને પાપના ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ રાગ છે. અજ્ઞાનીને રાગનો કર્તા હું છું એવું ભાસે છે. સમજાણું કાંઈ? “તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે – જેમ શીતઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ” –ઠંડી અને ગરમી જડની અવસ્થા, એ અનુભવ, જ્ઞાન કરાવવામાં નિમિત્ત, પોતાને જ્ઞાન કરાવવામાં એ શીત-ઉષ્ણ (અવસ્થા) નિમિત્ત (છે). “એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા એ ઠંડી ને ગરમ અવસ્થા પુદ્ગલ જડની છે આ ઠંડી પડીને૧૧૦/૧૨ ડીગ્રી તડકો તાપ એ જડની પર્યાય છે એ પુગલ પરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નતાને કારણે એ પુદ્ગલથી ઠંડી ગરમ અવસ્થા એકમેક છે. છે? અને આત્માથી સદા અત્યંત ભિન્ન છે. એ ઠંડી ગરમ અવસ્થા સદા આત્માથી તદ્દન ભિન્ન છે અને એના નિમિત્તથી થવાવાળો એ પ્રકારનો અનુભવ–ઠંડી અને ગરમીનું અહીં જ્ઞાન થાય છે, એ જ્ઞાન છે તે આત્માથી અભિન્ન છે અને શીત-ઉષ્ણ અવસ્થા પુગલની છે એ ભિન્ન છે. અને એનાથી (એના નિમિત્તથી) જ્ઞાન જે થયું એ જ્ઞાનની પર્યાયથી આત્મા અભિન્ન છે. આહા ! આ તો હજી દષ્ટાંત છે હોં! (કહે છે કે, “અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ” (એટલે) જેવી ઠંડી-ગરમી છે એવું જ અહીં જ્ઞાન થાય છે પોતાનામાં “તે પ્રકારનો અનુભવ આત્માથી અભિનપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.” –એ શીત-ઉષ્ણ જે પુદ્ગલની દશા છે જડમાં છે એ જડથી અભિન્ન છે-એકમેક છે, અને શીત-ઉષ્ણનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનની પરિણતિ આત્માથી

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501