Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 456
________________ ગાથા-૯૨ ૪૪૧ અભિન્ન છે અને ૫૨થી ભિન્ન છે. ઠંડા-ઉનાનું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. પણ એની (પુદ્ગલની ) જે શીત-ઉષ્ણ દશા છે એ આત્માથી ભિન્ન છે. આ તો હજી દૃષ્ટાંત છે. “તેવી રીતે તે પ્રકારનો અનુભવ સમર્થ એવી રાગદ્વેષ–સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા” આહાહા ! અહીં એવું ન લેવું ( ન સમજવું કે ) કર્મમાં સુખ-દુઃખ થાય છે. આંહી તો આત્માનો સ્વભાવ શુદ્ધચૈતન્ય છે, એ અપેક્ષાથી જે કંઇ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય છે અને સુખ–દુઃખની કલ્પના થાય છે—એ થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી–પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું, અહીંયા તો એ જડની પર્યાય છે. ( શ્રોતાઃ- આત્મામાંથી નીકળી જાય છે માટે ! )નિકળી જાય છે ને આત્માની છે જ નહીં. ઝીણી વાત છે ભાઈ ! મોટા અત્યારે તો વાંધા ઊઠયા છે આમાં, શુભભાવ-દયા, દાન, વ્રત, પૂજા કરે તો કલ્યાણ થશે ! આંહી તો કહે છે કે શુભભાવ તો પુદ્ગલની દશા છે. ( કેમકે ) પોતાના સ્વભાવમાંથી વિકાર ઉત્પન્ન થાય એવો કોઇ સ્વભાવ (આત્માનો ) નથી. આહાહા ! ‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ-સુખ-દુઃખ ' –શું કહ્યું ? રાગ-દ્વેષ ને સુખ, દુઃખની જે કલ્પના છે એ કર્મનું કાર્ય છે, એનું જ્ઞાન આત્મામાં થાય છે એ જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાનથી આત્મા અભિન્ન છે પણ આ રાગ-દ્વેષ, સુખદુ:ખના પરિણામ જે છે એ પુદ્ગલની પર્યાય એ પુદ્ગલથી અભિન્ન છે ! આરે ! આવી વાતું છે, ઝીણી વાત છે ભાઈ ! રાગ-દ્વેષ થાય છે તો પોતાની પર્યાયમાં, કોઈ એમ અહીં લગાવી û (માની લ્યે ) કે જુઓ, કર્મથી રાગ-દ્વેષ થયા (એમ નથી ) આહાહા! અહીં તો બીજી ચીજ છે. (સ્વભાવ બતાવવો છે) આ તો રાગ-દ્વેષ થાય છે તો અજ્ઞાનથી પોતાની પર્યાયમાં, પણ એ રાગ-દ્વેષપુણ્ય, દયા-દાન– ( આદિભાવ ) આત્માનો સ્વભાવ નથી, આહા ! એ કા૨ણે આ દયા-દાનવ્રત-તપ, ભક્તિનો વિકલ્પ રાગાદિ વિકલ્પ ઊઠે છે એ રાગ, પુદ્ગલની અવસ્થા છે, એમ કહેવામાં આવ્યું છે. આહા ! કહો, બલુભાઈ ? શું કીધું, આ તમારા ઓલા વ૨સીતપ કર્યાં છે એમાં રાગ કોઇ મંદ હોય તો એ પુદ્ગલ-જડ હતો, એમ કહે છે. એણે તો સાંભળ્યું છે ને ઘણી વખત ? છે ? ( શું કીધું ? ) એ અંદર રાગ કર્યોને મંદ, અપવાસ કરવામાં, દયા પાળવામાં, વ્રત ક૨વામાં. સમજાણું ? એ ક૨વામાં મંદ રાગ છે એ રાગ છે ( એને ) અહીં પુદ્ગલની અવસ્થા ગણવામાં આવી છે, એ રાગનું જ્યાં જ્ઞાન થાય છે, એ જ્ઞાનઅવસ્થા આત્માથી અભિન્ન છે. પણ એ રાગ, એ જ્ઞાન (બેય ) અવસ્થા તદ્ન ભિન્ન છે! કહો, શાંતિભાઈ ? આવી વાતું છે. ( આહા !) જેને લોકો ધર્મ માને–દયા, દાન, વ્રત, અપવાસ એ વિકલ્પ છે-રાગ છે અને એ રાગ પુદ્ગલની (દશા ), પુદ્ગલના નિમિત્તને આધિન થઇને થઇ છે ને ? એ પોતાના સ્વભાવને આધિન નથી થઇ, એ કા૨ણથી એને પુદ્ગલમાં ગણી છે. આહાહાહા ! આવી વાત ! ‘અને આ પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે' —રાગ અને દયાદાનના વિકલ્પ જે રાગ ઊઠયો, એનું અહીંયા જ્ઞાન થયું. કેમકે આત્માનો (જ્ઞાન સ્વભાવ) સ્વપ૨પ્રકાશક છે, તો પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે ને ( સાથે-સાથે ) રાગનું પણ અહીં જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન છે-રાગનું જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે અને રાગભાવ છે એ પુદ્ગલથી અભિન્ન છે. આત્માથી ભિન્ન છે. આવી વાતું વે કયાં દુનિયા ઠારે મેળ ( ખાય ?)

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501