Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 464
________________ ગાથા-૯૨ ૪૪૯ લીલા મરચાં બહુ તીખાં હોય ને ! આંહી કહે છે કે મોઢું તીખું તે ઇ વસ્તુને લઇને (મરચાંને લઇને ) મોઢું તીખું થયું નથી. ( તો શી રીતે છે ? ) મોઢાની પર્યાય એને તીખાશપણે પરિણમવાની (પોતાની ) તાકાતથી તીખાશ થઇ, હવે ઇ થતાં એને એમ થયું કે હું તીખો થઇ ગયો ! મારું મોઢું તીખું થઇ ગયું. આરે ! આરે ! ગાંડાના ગામ જુદા નથી આંહી કહે છે. એ બલુભાઈ ! શું છે આ બધું આ ? આ ચુનિભાઈએ સાંભળ્યું નહોતું, આવું નારાયણશેઠે સાંભળ્યું નહોતું, આહાહા ! આવી વાત, બહુ ફેર બાપા, બહુ ફેર ! વીતરાગનો મારગ, વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય-એ બતાવે છે. એ રાગ આવ્યો ને એ રાગથી મને ધર્મ થયો, મિથ્યાર્દષ્ટિ સૂંઢ છે. આહાહાહા ! પાછા આમાંથી એમ ન કાઢવું (એમ ન સમજવું ) કે જુઓ, રાગ એ તો કર્મથી થયો! કર્મનું નામ દીધું. એ તો અહીંયા દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરાવવી છે, એથી ( જે ) રાગ ઉત્પન્ન થાય છે તો અશુદ્ધઉપાદાન-પોતાથી થાય છે, પણ અશુદ્ધઉપાદાન એ તો વ્યવહાર થયો, વ્યવહાર થયો તો એ રાગ નિમિત્તને આધિન થયો છે. નિમિત્તને આધિન થયો છે તો એને અહીંયા પુદ્ગલનો ગણવામાં આવ્યો, પોતાને આધિન-સ્વભાવને આધિન ઉત્પન્ન થયો નથી. આહાહાહા ! આમાં કેટલી વાતો યાદ રાખવી, બધી વાત જ જુદી છે. આહાહાહા ! પુંજાભાઈ ? નૈરોબીમાં મળે એવું નથી. ( શ્રોતાઃ– આવું કયાંય નથી. ) પણ હવે તો ત્યાં આપણું હાલે છે ને ! રેકોર્ડિંગ, શું કહેવાય ? ટેપ રેકોર્ડિંગ ! આહાહાહા! “જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” –પરિણમન નામ પર્યાયમાં અશકય છે “એ પ્રકારે જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કયા રૂપે ? એવાં રાગદ્વેષ-સુખ-દુઃખાદિ જડસ્વરૂપ, આત્મા દ્વારા પરિણમવું અશકય છે. શું ? એ રાગ-દ્વેષ ને સુખદુઃખ વિકા૨ીદશા અને ભગવાન આત્મા નિર્વિકારી પ્રભુ, એ વિકારી પરિણમન કરવાનું (આત્મા વડે પરિણમવું ) અશકય છે. આહાહાહા ! બહુ માર્ગ ! “આમ જેમના રૂપે, કયા રૂપે ? ” એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે સુખ-દુઃખની તો કલ્પના છે ને ? એ આદિરૂપે “અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” —અજ્ઞાન આત્મા દ્વારા એને આત્માનું ભાન નથી ને, એ દ્વારા પરિણમતો થકો અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, હું રાગ-દ્વેષરૂપે થયો છું એમ માનતો થકો, છતાં આત્મા છે એ રાગદ્વેષરૂપ થતો નથી. આહાહાહા ! આ વ્યવહા૨વાળાને તો આકરું બહુ પડે. બધું મનાવ્યું છે ને અત્યારે વ્રત કરો ને અપવાસ કરો ને, આંબેલ કરોને ! વ૨સી તપ કરો ને ! ઓળી કરો ને હોળી કરો ને ! એ બધો રાગ, અરે અરે આવી વાતું હોય ? ચોવિહાર રાત્રે કરવો? એ પણ એક શુભરાગ છે. એ સોલભાવનાસોળભાવના તીર્થંક૨ગોત્ર બાંધે એ ( ભાવ પણ ) રાગ છે. રાગ પોતાનો નથી. ( શ્રોતાઃ- પણ ભાવે તો છે ને ? ) ના, ભાવતો નથી, આવી જાય છે–રાગ આવી જાય છે, છતાં રાગ પોતાનો માનતા નથી. તીર્થંકર પ્રકૃત્તિ અમે બાંધી એવું માનતા નથી. આકરી વાત બાપુ બહુ! આકરું કામ જગતથી ! છે ને ? રાગ-દ્વેષ એટલે પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખની કલ્પના ! પૈસા મળ્યા તો હું સુખી છું, નિર્ધન તો હું દુઃખી છું, છોકરાઓ સારા (થયા ) સાધારણમાં જન્મ્યા હોય પોતે ને મળે કરોડપતિની કન્યા, સુખી છીએ અમે, એમ જે માને છે એ મિથ્યાર્દષ્ટિ છે, એમ કહે છે.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501