Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 466
________________ ગાથા-૯૨ ૪૫૧ કામ અનુકૂળ કરવા માટે આ વધારી દીધા? ન્યાયથી વિરુદ્ધ નહિ કરું, રાજનું હોય કે રાણીનું હોય, (નીતિવાન) નૈતિક માણસ છતાં પણ એ રાગ છે, અને એ રાગ મારી ચીજ ને મેં રાગ કર્યો, એ મિથ્યાત્વભાવ છે! બહુ આકરું કામ ભાઈ ! એ જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો” શું કહે છે? ભગવાન આત્મા તો શાનથી તાદાભ્યસ્વરૂપ છે, એ જ્ઞાન પ્રગટ કરવું જોઇએ, એને બદલે એને છોડીને અજ્ઞાન નામ રાગ પ્રગટ કર્યો તો અજ્ઞાનભાવ પ્રગટ કર્યો. આહાહા! આ આજનું વ્યાખ્યાન જરી ઝીણું પડે એવું છે. મધુભાઈ ! તાકડે અહીં આવ્યું છે, ( શ્રોતા:- ઘણી ચોખવાટ !) તાકડે આમાં છે એટલે. સંપ્રદાયની દૃષ્ટિવાળાને તો આ પાગલ જેવું લાગે એવું છે! બલુભાઈ? બલુભાઈ તો અમારે હવે ઘણાં વરસનો પરિચય, જૂના થઇ ગયા. આહાહા! કહે છે કે જેમ શીત ને ઉષ્ણ અવસ્થા પુદ્ગલની છે, તો એ અવસ્થાપણે આત્માને થવું અશકય છે એમ પ્રભુ! રાગ ને દ્વેષના પરિણામ એ પુદ્ગલની જાત-વિકારી (ભાવ) પણે આત્મા વડે થવું અશકય છે, છતાં અજ્ઞાની એ રાગરૂપે હું પરિણમ્યો, એવું મિથ્યાષ્ટિપણે માને છે. આહાહાહા ! પાણી-પરસેવા ઊતરી જાય એવું છે ! –આ હું રાગી છું દેખો ! સ્વયં અજ્ઞાનમય થતો, દેખો હવે પોતે પોતાથી રાગને પોતાનો માનીને અજ્ઞાનમય થતો થતો હું રાગી છું-હું તો દયા પાળવાવાળો છું. આહાહા ! પાંજરાપોળની (સંભાળ કરી) રાગ થયો પણ ઇ રાગ કરવાવાળો હું છું. છે? આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે–રાગાદિ, રાગ-દ્વેષ આદિ પછી તો જડકર્મ ને મોહકર્મ, નોકર્મપણાનો કર્તા ભેગો (છે) (આહા!) કર્તા પ્રતિભાસે છે, અજ્ઞાની ખરેખર તો એ રાગનો કર્તા છે નહીં. સમજાણું કાંઇ..? (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૮૪ ગાથા-૯૨ તા.૦૧/૦૨/૭૯ ગુરુવાર મહા સુદ-૫ શ્રી સમયસાર-ગાથા ૯૨. ટીકા ચાલી ગઈ છે કાલ, આજ તો ગુજરાતી ચાલશે ને ? મધુભાઈએ કહ્યું. ઝીણી વાત છે. ભગવાન, ઘણું સૂક્ષ્મ અપૂર્વ તત્વ છે. આહાહા! ભાવાર્થ - રાગદ્વેષ સુખ દુઃખાદિ આત્માની પર્યાયમાં જે રાગ દેખાય છે. દયા, દાન, વ્રત ભક્તિનો રાગ કે વિષય ભોગ વાસનાનો રાગ એ રાગ અને દ્વેષ પ્રતિકૂળ ચીજને જોઈને અંદરવૈષ અણગમો આવે છે. એ રાગ અને દ્વેષ અને અનુકૂળ ચીજમાં કલ્પના થાય છે કે આ મને સુખ છે. પૈસામાં, સ્ત્રીમાં આદિમાં કલ્પના, ભક્તિ, ભગવાનની ભક્તિમાં પણ જે રાગ છે, એ રાગ છે એ રાગ અને દ્વેષ અને “સુખ દુઃખની જે કલ્પના એ પુદ્ગલની દશા છે” એમ કહે છે અહીંયા. ઝીણી વાત છે ભાઈ. ભગવાન આત્મા તો આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે, એની દશા તો આનંદ અતીન્દ્રિય અને જ્ઞાન ને શાંતિ એ એની દશા છે. આ રાગદ્વેષ ને સુખ દુઃખાદિ, રતિ અરતિ આદિ ભાવ ઉત્પન્ન થાય છે, “એ અવસ્થા પુગલકર્મના ઉદયનો સ્વાદ છે,”આહાહા ! આકરું કામ ભારે ! એ પુદ્ગલકર્મ જડ એનો પાક થાય છે, ત્યારે જ્ઞાનમાં તેનો સ્વાદ જણાય છે, આવી વાત છે. ઝીણું બહુ ભાઈ, છતાં એ સ્વાદ છે એ મારો છે, એવી જે માન્યતા તે મિથ્યાષ્ટિ માને છે.

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501