Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 454
________________ ગાથા-૯૨ ૪૩૯ (પણ ) અજ્ઞાની પોતાથી, પોતાને ભૂલીને હરખ-શોકનો કર્તા બને છે. બહુ ગાથા સારી છે ! આ બાણું ( ગાથા ). આહા ! એ ( અજ્ઞાની ) અજ્ઞાનને કારણે રાગ-દ્વેષ, સુખ-દુઃખાદિ અને એનો અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ (ભિન્નતા ) નથી જાણતો-જડના જે સુખ-દુઃખ નિમિત્ત છે (એ ) ચીજ સુખ:દુઃખ સંયોગ, સુખ (ની કલ્પનાને ) અનુકૂળ સંયોગ ને પ્રતિકૂળ સંયોગ (દુઃખની કલ્પના ) એ સંયોગ એ બધી જડની પર્યાય છે અને એ સમયે જે રાગ-દ્વેષ કરે છે કે આ ઠીક છે આ અઠીક છે, એ રાગ ( ભાવ ) પોતાનાથી અભિન્ન છે. પોતાની પર્યાય ૫૨થી ભિન્ન છે. ૫૨ની પર્યાય પોતાનાથી ભિન્ન છે. આહાહાહા ! બહુ આમાં યાદ કેટલું રાખવું ! છે ? અજ્ઞાનને કા૨ણે રાગદ્વેષ અને સુખ આદિનો અનુભવ, પોતાનામાં જે સુખદુ:ખની કલ્પના હો (થાય ) એ અને સંયોગી અનુકૂળ-પ્રતિકૂળ જે ચીજ એ બન્ને ભિન્ન છે. પણ બન્નેમાં આમ ૫૨સ્પ૨ વિશેષ (તફાવત ) નહીં જાણતા, બેયને જુદા જુદા ન જાણતો હોય ત્યારે એકત્વના અધ્યાસને કારણેહું ઠંડો થઇ ગયો, હું ગરમ થઈ ગયો, હું મીઠાશ ( ગળ્યો ) થઇ ગયો, હું કડવો થઇ ગયો ! એવી માન્યતા કરે છે અજ્ઞાની. આહાહા ! દાખલો તો જુઓ, ટાઢા-ઊનાનો દાખલો, ટાઢી–ઊની દશા જડની સાથે અભિન્ન છે. પણ અહીંયા ટાઢા-ઊનાનો રાગ કરે છે એ (રાગભાવ ) આત્માની સાથે અભિન્ન છે. આહા... એ ટાઢા-ઊનાની દશા રાગ કરાવતી નથી અને ટાઢા-ઊનાની અવસ્થા રાગ છે તો તેથી છે એવું છે નહીં. આહાહા ! “શીત-ઉષ્ણની માફક અર્થાત્ જેમ શીત–ઉષ્ણરૂપે આત્માવર્ડ પરિણમવું અશકય છે તેમ” ઠંડી-ગરમ અવસ્થા આત્માની થવી એ અશકય છે, જડની ઠંડી-ગરમ અવસ્થા આત્મામાં થવી અશકય છે, એ-રૂપે ઠંડી-ગરમ અવસ્થારૂપે આત્માનું થવું એ અશકય છે. એ પ્રકારે “જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે” કોણ ? જડની જે પર્યાય છે એ એમાં (એ-રૂપે આત્માને ) પરિણમવું અશકય છે. “એવા રાગદ્વેષ સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો” આહાહા.... રાગદ્વેષ કે એ રૂપે ૫૨નો હું અનુભવ કરું છું એવું માનતો થકો, “અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો ” આહાહાહા !નિશ્ચયથી તો ૫૨ની પર્યાયનો અનુભવ કરવો અશકય છે, પણ અજ્ઞાની આત્મા, ૫૨નો હું અનુભવ કરું છું એમ રાગદ્વેષનો કર્તા થાય છે. આહાહા ! બહુ ફેર, અત્યારે તો પ્રરૂપણા એવી બધી થઈ ગઈ છે ને. આહા ! ત્યાં રસગુલ્લા આવ્યા, રસગુલ્લા! આ રસગુલ્લા હોય ને એ રસગુલ્લાની પર્યાય પુદ્ગલથી અભિન્ન છે પણ અહીં ઠીક છે એવો રાગ આવ્યો, એ રાગથી એ ભિન્ન ચીજ છે અને ( એ ચીજ–૨સગુલ્લા ) એનાથી રાગ ભિન્ન છે. પણ અજ્ઞાની બેયને ભિન્ન ન માનીને (મેં રસગુલ્લા ખાધા ) હું ૫૨નો કર્તા છું ને ૫૨નો ભોક્તા છું એમ અજ્ઞાની માને છે. આહાહા ! સમજાણું કાંઇ ? શીત-ઉષ્ણરૂપે આત્માના દ્રવ્યથી પરિણમવું અશકય (છે ). એ ( પર્યાય શીતઉષ્ણ ) જડની છે. ૫૨ની જડની–કર્મની પર્યાયનું એનાથી રાગ-દ્વેષ સુખ-દુઃખાદિરૂપ, અજ્ઞાન આત્મા દ્વારા પરિણમિત થતો થકો પણ ઈ અજ્ઞાન આત્મા દ્વારા રાગ-દ્વેષરૂપે પરિણામ કરતો, સ્વભાવ તો એનો છે નહીં, રાગ-દ્વેષરૂપે, ( આત્માનો ) સ્વભાવ પરિણમે એ તો અશકય છે, પણ અજ્ઞાનપણે ( અજ્ઞાની ) રાગ-દ્વેષને અજ્ઞાન ભાવથી પરિણમન કરે છે. ( એટલે કે પરિણમ્યો

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501