Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 447
________________ ૪૩૨ સમયસાર સિદ્ધિ ભાગ-૪ છે) એવા ભાવને-રાગને ભોગવે છે, રસને (ભોગવે) નહીં. આહાહાહા ! બહુ ફેર, વાસ્તવિક તત્ત્વનું શ્રવણ કરનારા પણ થોડા ને! એ આવ્યું ને (સમયસાર) ૧૧મી ગાથામાં, શુદ્ધનયનો પક્ષ તો કોઇ કોઇને છે, વિરલને છે. આહાહાહા ! બાકી અજ્ઞાની તો આ બધા બહારના ચાળા ! (એમાં જ રચ્યા-પચ્યા છે.) (જુઓને !) સભા મોટી ભેગી થાય-દસ, દસ ને વીસ-વીસ હજાર ( લોકો ભેગાં થાય) અને એમાં હા લગાવે અંદરથી (વકતા) !આ કરો, આ કરો, આનાથી થાય, લોકોને ઠીક લાગે, ઓશિયાળી વૃત્તિ-ભિખારી ! અને બીજા તને આપે તો ઠીક થાય, એમ કહે તો ઠીક લાગે એને ! કોણ આપે ને કોણ લ્ય, પ્રભુ!(શ્રોતા – એક બીજા, એક બીજા ઉપર ઉપકાર કરો?) હેં? ઉપકાર કરવો એ એમ કહે છે ને ? હમણાં જ્યાં ચોપાનિયામાં (છાપામાં) ઓલું ચૌદ રાજલોકનું ચિત્ર ને નીચે (લખાણ) “પરસ્પર ઉપગ્રહો જીવાનામ” –પરસ્પર ઉપગ્રહો પરસ્પર ઉપકાર કરો ! પણ ઉપકારની વ્યાખ્યા શું? નિમિત્ત હો, એને ઉપકાર કહે છે. નિમિત્તને ઉપકાર (શબ્દથી) કહ્યું. ઉપકાર કરી શકે ત્રણકાળમાં નહીં. મોટી ગરબડ ચાલે છે અત્યારે અને એનાં કહેનારાનું પ્રરૂપણ એવું હોય એ લોકોને ઠીક લાગે આમ. આહાહાહા! મિથ્યાશ્રદ્ધાના પોષક છે-મિથ્યાદર્શન. આહાહા ! “આત્મા તો અજ્ઞાનરૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે” –શું કહે છે? કોઇની સાથે આ મારા છે એવું મમત્વ કરે છે-મિથ્યાત્વની વાત (છે) એ મિથ્યાત્વ (કે જે) રાગ મારો છે, શરીર મારું છે, સ્ત્રી મારી છે, પુરુષ મારો છે, મકાન મારું છે, લક્ષ્મી મારી છે! આહાહા ! મકાનમાં ફર્નિચર હો બે-પાંચ લાખનું મારું મકાન, મારું ફર્નિચર અને વચ્ચે બેઠા હોય ખુરશીમાં તો આ ખુરશી મારી, શરીર મારું. શાંતિભાઈ ? આવું છે બાપા! આંહીં એ કહે છે કોઈ સાથે મમત્વ કરે છે મમતા કરે છે. ચીમનભાઈ? આવું છે બાપુ! આહાહાહા ! પ્રભુ! તું ભિન્ન છે ને! એ કરવું છે (તારે) ભિન્ન કરવો છે આત્માને, (એ તો) ભિન્ન છે. એવો ભિન્ન જાણવો ને પોતાના આત્માની દૃષ્ટિ કરવી, એ કરવાનું છે. સમજાણું કાંઈ? ભાષા તો સાદી છે, સમજાય છે કે નહીં ! ત્યાં પણ તું આવતો'તો નહીં, મુંબઈમાં નહીં, મોઢા આગળ બેસતો'તો? સમજાણું કાંઈ? (કહે છે) આ રાગથી હું રાગ ભોગવું તો પરનેય ભોગવી શકું છું એ છોડી દે! અને રાગ છે એ મારું કાર્ય છે એ પણ છોડી દે ! તારે (તારું) કલ્યાણ કરવું હોય તો (એમ માન કે) હું તો રાગથી ભિન્ન ચિદાનંદ આનંદ છું, એ આનંદના પરિણામનો હું કર્તા છું–ને આનંદનું કાર્યપર્યાય કર્તા નહીં આનંદના પરિણામ મારું કાર્ય છે. એવી દૃષ્ટિ કરવી એ માટે આ કહે છે. “મોક્ષમાર્ગ-પ્રકાશક' માં આવ્યું છે ને એક કે ભાઈ અમારે વીતરાગમાર્ગમાં તો વીતરાગતાના પોષણનું પ્રયોજન છે. જ્યાં જ્યાં ચારેય અનુયોગોમાં, મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવ્યું છે કે ચારે અનુયોગોમાં જ્યાં ત્યાં વીતરાગતાનું જ પોષણ છે. અને તમારામાં કંઈ કંઈ રાગનું પોષણ અજ્ઞાની, એને કરે છે ને એ બધા (અન્ય) માર્ગ? એ જૈન માર્ગ નથી. એવું આવે છે ભાઈ, મોક્ષમાર્ગ પ્રકાશકમાં! સમજાણું કાંઈ...? આહાહાહા ! (આત્મા) પરનો કર્તા નહિ પરનું એનાથી થાય છે એમ નહીં, તમે રાગના કર્તા

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501