Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 443
________________ ૪૨૮ સમયસાર સિદ્ધિ ભાગ-૪ કર્તા, મેં કર્યો રાગ, હું કર્તા છું એવી માન્યતા મિથ્યાદેષ્ટિની છે. આહાહાહા ! એ અજ્ઞાનપણે પોતાના પરિણામમાં મિથ્યાશ્રદ્ધા કરે-મિથ્યાજ્ઞાન કરે અને મિથ્યાચારિત્ર-રાગરૂપે પરિણમે તો એ સ્વયં જ પરિણમન કરે છે. સમજાણું કાંઇ? પોતાનાથી એ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન ને રાગરૂપે થાય છે. એ મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા થાય છે એ પોતાના વિકારી ભાવનો અજ્ઞાની પોતાના સ્વરૂપનું ભાન નથી તો મિથ્યાશ્રદ્ધા આદિના એ પરિણામનો અજ્ઞાની કર્તા બને છે. સમજાણું આમાં કાંઇ...? આવી વાત છે. (હવે કહે છે, “અને તે મિથ્યાદર્શનાદિ ભાવ પુગલદ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં” શું કહે છે? એ વખતે મિથ્યાશ્રદ્ધાજ્ઞાનરૂપ પરિણમ્યો અજ્ઞાની આત્મા, તો એ સમયે જે કર્મ બંધન થાય છે એ કર્મબંધનમાં આ પરિણામ નિમિત્ત છે-અનુકૂળ છે. છતાં એ મિથ્યાત્વનું-દર્શનમોહ આદિનું પરિણમન થાય છે એ પોતાથી થાય છે એ પરિણમન કર્મથી થાય છે, આત્માથી નહિ. આહાહાહા ! આત્મા પોતાના ચૈતન્ય શુદ્ધસ્વરૂપ, એને ભૂલીને હું પરનો કર્તા છું-દયા પાળું છું પરને સગવડતા આપી શકું છું, પરની હું સેવા કરી શકું છું-એ ભાવ અજ્ઞાની, પોતાનામાં પોતાની (મિથ્યા) શ્રદ્ધાથી પરિણમે છે અને એ શ્રદ્ધાનો કર્તા એ અજ્ઞાની પોતે છે. સમજાણું કાંઇ? એ પરિણામ નવા પુદગલકર્મ બને છે, કર્મ (બંધાય છે, તેમાં એ પરિણામ અનુકૂળ નિમિત્ત છે. છતાં એ પુદ્ગલના પરિણામ તો પુદ્ગલથી થાય છે. આહાહાહા ! આવી વાત છે ઝીણી ! જ્યાં પરિણામ વિકારી પોતે કરવાનું માને છે ત્યાં દર્શનમોહ પરમાણું કર્મરૂપે પરિણમે છે. એ એનાં કારણે છે. એ સમય પરમાણુંના દર્શનમોહનીય (પ્રકૃતિરૂપ) પરિણતિ થવાની લાયકાતથી પરિણમે છે, તેમાં જ્યારે અંતર છે એટલો પણ નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એકબીજાનાં પરિણામના કર્તા કોઈ (બીજા) નથી. આહાહાહા ! (દ્રવ્યકર્મ) નજીકની ચીજ અંદર છે, કે અહીં (જીવે) મિથ્યાશ્રદ્ધા-મિથ્યાજ્ઞાન ને રાગ-દ્વેષ કર્યા, એ જ સમયે કર્મ, કર્મરૂપ પરિણમ્યા, તો એવો નિમિત્ત-નિમિત્ત સંબંધ હોવા છતાં પણ એ મિથ્યાશ્રદ્ધા છે એ દર્શનમોહથી પરિણમે છે એવું છે નહીં. તેમ દર્શનમોહનો ઉદય થયો તો (તેથી) અહીં (જીવન) મિથ્યાશ્રદ્ધા થઈ એવું નથી. આહાહાહા ! નજીકમાં છે તો પણ આમ છે, તો દૂરની તો શું વાત? કે ભાઈ ! આ શરીરને આત્મા હલાવી શકે છે, આત્મા બોલી શકે છે, આત્મા ખાઈ શકે છે-રોટલી, રોટલી ખાય ને! મેસુબ, રસગુલ્લા ખાય શકે કે નહીં? એ ક્રિયા તો જડની જડમાં થાય છે ફક્ત એમાં (એ ક્રિયામાં ) રાગ આવ્યો ( જીવને કે) હું ખાઉં છું-એ રાગ (ઇચ્છા ) નિમિત્ત છે, પણ એ રાગથી એ ખાવાની ક્રિયા જડની થઈ એવું નથી. અને ખાવાની ક્રિયા જડની થઈ તો એનાથી અહીં રાગ થયો, એ પણ છે નહીં. સમજાણું કાંઈ....? ન્યાં નજીકમાં (છે દ્રવ્યકર્મ) તોપણ રાગ-દ્વેષનો (પોતાના) અજ્ઞાનથી કર્તા (જીવ) થાય છે. એ સ્વયં કર્તા છે. કર્મ વિકારનો કર્તા છે તેમ નહીં વિકાર સ્વયં કરે છે. તો નવું કર્મ બને છે અને એમાં એ (જીવન) પરિણામ નિમિત્ત છે અનુકૂળ છે. પણ નવું પરિણમન થયું એ રાગ થયો-મિથ્યાશ્રદ્ધા થઈ, તો નવા-નવા પરિણમન એ કરે છે (દ્રવ્યકર્મના) એ આત્મા કરે છે એવું નથી. (શ્રોતા:રાગ ન કરે તો નવા કર્મ બંધાય જ નહીં!) પ્રશ્ન જ નથી. પ્રશ્ન અહીં શું છે? ત્યાં અહીં રાગ હો,

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501