Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 415
________________ સમયસાર સિદ્ધિ ભાગ-૪ ૪૦૦ સમ્યગ્દર્શનની જ ખબર નથી, ત્યાં વળી પોષા ને સામાયિક કેવા એને ? આંહી એ કહે છે આત્માના ઉપયોગમાં ત્રણ પ્રકા૨નો પરિણામ વિકા૨ અનાદિ કર્મના નિમિત્તથી, એમ નહિ કે પહેલાં એ શુદ્ધ જ હતો, કોણ ? શુદ્ધ જ હતી પર્યાય-પરિણામ શુદ્ધ હતા ને પછી (પાછળથી ) અશુદ્વ થયો, એમ નહીં. અને અત્યારે એમાં ( આત્મામાં ) નવા પરિણામ વિકારના થઈ ગયા એવું નથી. “ જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ.” સિદ્ધ ભગવાન છે ને નમો સિદ્ધાણં નિર્મળ થયો તો હજી પર્યાયમાં શુધ્ધ અને પછી વિકાર હોય તો સિદ્ધમાં પણ થવો જોઇએ-અનંત સિદ્ધો છે ને અને ૫૨માત્મા ‘નમઃ સિદ્ધાણં' મુક્તિશીલા ૫૨ બિરાજે છે અનંત સિદ્ધ ભગવાન, એ તો નિર્મળ છે જો નિર્મળ છે ને વિકાર થાય તો તેને પણ વિકાર થવો જોઇએ. તો એને પણ વિકાર થવો જોઈએ. સમજાણું કાંઈ ? જે ચણા છે ચણા-ચણા (એને શેકીને ) દાળિયા થયા, એ પછી ઊગે, નહીં ઊગે ? દાળિયો ઊગે ? ( શ્રોતાઃ- માખણનું ધી થાય પછી ધીનું માખણ ન થાય ) ત્રણકાળમાં થાય નહીં. એમ જ્યાં આત્મામાં નિર્મળ પર્યાય (પરિપૂર્ણ ) થઈ ગઈ, પછી મલિન થાય ? ત્રણ કાળમાં મલિન થાય નહીં. અનાદિથી ( પર્યાય ) મલિન છે એ મલિનતાનો પોતાના સ્વભાવનો આશ્રય લઈને નાશ થશે તો પછી કયારેય મલિન પરિણામ થશે નહીં. મલિનતાનો નાશ કરવાનો ઉપાય કોઈ ક્રિયાકાંડ નહીં. આહાહા ! શુદ્ધસ્વભાવ ! એક સમયમાં ભગવાન આત્મા અનંત અનંત ગુણોનો ભંડાર ભર્યો છે. ( જેમ ) આકાશનો પાર નથી એમ ( આત્માના ) ગુણોની સંખ્યાનો પાર નથી, સાગરની ગંભીરતાનો પાર નથી એમ પ્રભુના અનંત ગુણોનો પાર નથી. આ પ્રભુ એટલે આ આત્મા અંદર હો, સૂર્યના પ્રકાશનું તેજ કોટા-કોટિ હોય તોપણ આ ચૈતન્યના તેજ-પ્રકાશનો પાર નથી, એવો જે ભગવાન આત્મા, અનાદિથી કર્મના (મોહકર્મના ) સંગથી વિકારી પરિણામ કરે છે. પહેલાં વિકા૨ ( પર્યાયમાં ) નહોતો ને વિકાર કર્યો પર્યાયમાં એવું નથી. ( પર્યાયમાં વિકાર અનાદિ છે ). પછી વિકા૨ની પર્યાય, પોતાના શુદ્ધસ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી પોતાના સ્વરૂપમાં રમણતા (એકાગ્રતા ) કરવાથી વિકા૨નો-અશુદ્ધતાનો નાશ થાય છે, ફરીથી અશુદ્ધતા થતી નથી, ચણો શેકાઈ ગયો ફરીથી ઊગે નહીં, મીઠાશ આપે ને ઊગે નહીં. કાચા ચણા મીઠાશ આપે નહિ તુરાશ આપે ને ઊગે, પાકો (શેકેલા ) ચણા તુરાશ આપે નહીં ને મીઠાશ આપે ને ઊગે નહીં, એમ ભગવાન આત્મા અજ્ઞાન ને રાગ-દ્વેષમાં આત્માનો આનંદ નહીં ને દુઃખ છે, તુરાશમાં અને એને લઈને ઊગે (એટલે જન્મ-મરણ થાય ) અજ્ઞાનને લઈને મિથ્યાશ્રદ્ધાને લઈને જન્મે, પણ જેણે મિથ્યાશ્રદ્ધા અજ્ઞાનનો નાશ કર્યો અને આત્માનો સ્વાદ (આનંદ ) આવ્યો–અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો પછી ઊગે નહીં ( એટલે ) જન્મ-મ૨ણ થાય નહીં. આહાહાહા ! આવી વાત છે. વિશેષ કહેશે. ( શ્રોતાઃ- પ્રમાણવચન ગુરુદેવ ) ૩

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501