Book Title: Samaysara Siddhi 4
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 405
________________ ૩૯૦. સમયસાર સિદ્ધિ ભાગ-૪ કહે છે કે પ્રભુ-આત્મા જે અંદર છે, એ તો પોતાના જ્ઞાન-આનંદ-શાંતિ આદિ અનંત સ્વભાવથી ભર્યો-પડ્યો છે, અને એ અનંત સ્વભાવનું નિજરસથી જ પરિણમન કરવું એ તેનું સામર્થ્ય છે વીતરાગ સ્વભાવપણે થવું-સમ્યગ્દર્શનશાનચારિત્રપણે થવું, એ પોતાના સ્વભાવનું સામર્થ્ય-શક્તિ-સત્ત્વ છે. આવું હોવા છતાં પણ મોહકર્મના સંયોગ-સંબંધથી મિથ્યાદર્શન છે. છે? મિથ્યાશ્રદ્ધા હું પરની દયા પાળી શકું છું, હું પરને મદદ કરી શકું છું હું છોકરાઓ-પ્રજા ઉત્પન્ન કરી શકું છું, જે આ દિકરા છે તેને) ઉત્પન્ન કરી શકું છું, એ તો પર ચીજ છે-જડ છે જડને આત્મા ઉત્પન્ન કરી શકે? આહાહાહા ! પરને હું કેળવણી આપું દિકરાને-દિકરીયુંને સારી (સારી), અત્યારે કેળવણી વિશેષ (ભણતર ઊંચા) વિના એને સારું ઘર મળશે નહીં (તેથી) હું કેળવણી આપું (ખૂબ જ ભણાવું) એવી પરને હું કરી શકું છું એ માન્યતા (અભિપ્રાય) મિથ્યાશ્રદ્ધા અજ્ઞાની (ને) મિથ્યાદર્શન છે. આહાહાહા ! અને મિથ્યાદર્શન, અજ્ઞાન ( મિથ્યાજ્ઞાન), ગમે તે ચીજ માને, તો કોઈ કારણમાં વિપરીતતા હોય, કાં સ્વરૂપમાં વિપરીતતા હો, કાં ભેદભેદમાં વિપરીતતાનું અજ્ઞાન છે એને ! રાગથી પ્રભુ (આત્મા) ભિન્ન છે પણ એમ ન માનીને, રાગથી હું એક છું એવું અજ્ઞાન છે. આવી વાત છે, સમજાણું કાંઈ ? સૂક્ષ્મ છે મારગ ભગવાન જિનેશ્વર પરમાત્માનો, મારગ આખો ફેરફાર! ઘણો ફેરફાર થઈ ગયો છે. અજ્ઞાન” –જે પોતાનું સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય, એને નહીં જાણીને, વિકાર હું છું એવું અજ્ઞાન કરે છે અને પર-વસ્તુમાં હું કારણ બનું તો પરનું કાર્ય થાય, એવું અજ્ઞાન કરે છે, એવા અજ્ઞાનભાવના અનેક પ્રકાર છે. સત્યને અસત્ય, અસત્યને સત્ય, તત્ત્વને અતત્વ ને અતત્વને તત્ત્વ આવા અજ્ઞાનથી, એ અજ્ઞાનભાવ ઉત્પન્ન થયેલ છે, એ વિપરીત ભાવ છે. આહાહાહા! અને અવિરતિ” – અવિરતી. શુભ-અશુભ રાગ જે છે અને એનાથી નિવૃત્તિ નથી અને (એમાં) પ્રવૃત્તિ છે રાગ-દ્વેષમાં એ અવિરતિભાવ છે. એ કર્મના સંયોગમાં ઉપાધિ ઉત્પન્ન થઈ છે, કર્મથી નહીં. આહા ! (પરંતુ) કર્મના સંગથી ઉપાધિ ઉત્પન્ન થઈ–અવિરતિભાવ ! કહો, દેવીલાલજી? હું દુકાન ઉપર બરાબર બેસું તો વ્યવસ્થિત પદાર્થની વ્યવસ્થા-વ્યવસ્થિત અવસ્થા હું કરી શકું છું એ બધો અજ્ઞાનભાવ અને અવિરતિભાવ-રાગ-દ્વેષ આદિ પરિણામ એ અવિરતિભાવ (છે.) આહાહા! બહું આકરું કામ! સમજાણું કાંઈ? એક ચીજ જે એક સ્થાનમાં છે અને હું બીજા સ્થાનમાં લઈ શકું છું-એ અજ્ઞાન ને અવિરતિભાવ છે. એ “ઇચ્છામિ પડિક્કમણું” માં આવે છે, “ઠાણા ઉઠાણા” એ અર્થ તો કોને આવડે? જય નારાયણ, ઘડિયા હાંકયે જાય છે. “ઇચ્છામિ પડિક્કમણું નથી આવતું ઇરિયાવિરિયા ગમણા-ગમણી ઠાણા-ઉઠાણાં-હું એક સ્થાનની ચીજને બીજા સ્થાનમાં ગોઠવી હોય તો એ જૂઠી વાત છે. ભાઈ ! લઈ શકાતી નથી–ઉપાડી શકાતી નથી–ફેરવી શકાતી નથી (આત્માથી) ગજબ વાત છે! બાપા, અરે રે! અત્યારે દુનિયાને, વીતરાગ પરમાત્માએ કહેલું સત્યતત્ત્વ સાંભળવા મળે નહીં, એ એને (કયારે) શ્રદ્ધ ને ઓળખે કે દી' ? આહાહા! અરે રે! એ અવિરતિ એટલે કે જે કંઈ શુભ-અશુભભાવ, એનાથી નિવૃત્તિ નથી, એવો જે વિકારભાવમાં પરિણમન કરવું એ અવિરતિ–ભાવ છે. ઉપાધિભાવ છે-મેલ અવિરતી ભેદથી છે.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501