________________
ગાથા-૭૫
૧૭૩ છતાં તેને તેનામાં રાખીને પોતે તેનું જ્ઞાન તેની હૈયાતિ છે માટે કરે છે, એમેય નહીં. તેનું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં સ્વનું અને પરનું જ્ઞાન પોતાથી પોતામાં થયું છે તેને તે જાણે છે. રાગને જાણે છે એમ કહેશે પણ ખરેખર તો એને (જ્ઞાનને) આમ જાણે છે. (શ્રોતા:- રાગ સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે) જ્ઞાનને જાણે છે. આહાહા !
સમજાય એટલું સમજવું બાપુ, આ તો ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ, જિનેશ્વરદેવની સાક્ષાત્ વાણી છે. આહા! સંતો એ કેવળીના કડાયતો એ જગતને આડતિયા થઈને જાહેર કરે છે. આહાહા! એટલે કહે છે અહીં શું કીધું કે આ પરિણામ કર્મના છે એવા પરિણામ જ્ઞાનીને થાય છે, એ અહીં લેવું છે ભાઇ, બુદ્ધિપૂર્વક થાય છે એવાને અહીં લેવું છે. અબુદ્ધિપૂર્વક થાય છે આ નિર્વિકલ્પ સમાધિમાં એ નહીં, ભાઈ. આહાહાહાહા ! એના ખ્યાલમાં આવે છે પણ એ ભિન્ન છે રાગ, જ્ઞાનીને રાગ, ક્રોધ, માન, આદિના પરિણામ કહ્યા એ બધા કર્મ જડ એનું વ્યાપક પ્રસરીને એના વિકારના પરિણામ થયા છે માટે તે જડના અને કર્મના છે એના સંબંધીનું અહીં જ્ઞાન થાય એ પોતાનું છે. આહાહાહા ! આવી વાત છે.
નિશ્ચયથી ખરેખર મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં, અંતરંગમાં જોયું! એ કહેતા'તા ને કાલે ન્યાં ખંડવામાં એક પ્રેમચંદ છે સનાવદના એ કહે કે આ પરિણામ જડના લેવા, જીવના વિકારી પરીણામ ન લેવા એમ કહેતો'તો કીધું નહીં એમ નથી. આ તો અંતરંગમાં ઉત્પન્ન થતાં જીવના પરિણામ વિકારી છે. મોહ, રાગદ્વેષ, સુખ, દુઃખઆદિ એ કર્મનું પરિણામ છે જીવનું નહીં. એ જીવના પરિણામ નહીં. આહાહાહા !
જીવ તો શુદ્ધ વસ્તુ છે શુદ્ધ તો એના પરિણામ શુદ્ધ હોય એ અહીં સિદ્ધ કરવું છે કર્તાકર્મ સિદ્ધ કરવું છે ને અહીં? આત્મા કર્તા થઇને કર્મ થાય. એ તો શુદ્ધ થાય. કારણ કે શુદ્ધ એનાં ગુણો શુદ્ધ, પવિત્ર આનંદકંદ છે. એ અનંત અનંત ગુણોનો પાર નથી એવો એ ભંડાર છે છતાં અનંતા ગુણમાં કોઇ એક ગુણ, કોઇ ગુણ અનંતા, અનંતા, અનંતા, અનંતા, અનંતા માયલો કોઇપણ ગુણ રાગપણે થાય એવો કોઈ ગુણ જ નથી. આહાહા ! અને રાગપણે થાય દ્રવ્ય અને ગુણ તો તો માટે જ નહીં. બેનમાં આવ્યું છે છે કે અશુદ્ધ જો દ્રવ્ય થાય તો કોઈ દી' માટે જ નહીં. આહાહાહા! પર્યાયની અશુદ્ધતા હોય તો મટે છે એ પલટે છે માટે ધ્રુવ અશુદ્ધ હોય તો ધ્રુવ મટે નહીં અશુદ્ધ, ધ્રુવ તો કાયમ રહે છે આહાહાહા ! ધીમેથી સમજવાની વાત છે બાપુ. આ તો વીતરાગ મારગ છે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરની વાણી સીધી છે આ સંતો દ્વારા બહાર આવી છે આહાહાહા !
એ કર્મનું પરિણામ કીધું. કોને? જીવમાં થતાં જ્ઞાનીને રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પરમાત્માની સ્તુતિ એ બધા રાગ અંતરંગ કર્મના પરિણામ છે. (શ્રોતા- કર્મમાં ભાવકર્મ, દ્રવ્યકર્મ બેય ભેગા લેવા) અહીંયા દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય ભેગું. ભાઇએ પ્રશ્ન કર્યો હતો કે જીવ ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી તો રહિત છે તો પછી એમાં ભાવકર્મ અને નોકર્મથી રહિત આવ્યું ને દ્રવ્યકર્મથી તો આવ્યું નહીં પણ દ્રવ્યકર્મ જ ભાવકર્મરૂપે પરિણમે છે એમ લેવું છે અહીં. એટલે દ્રવ્ય, ભાવ અને નોકર્મ ત્રણેય આવી ગયા. આહાહા ! અરેરે ! આવી વાત લોકોને મળવી મુશ્કેલ પડે સમજવી તો !