________________
શ્લોક-૪૯
૧૯૭ (કહે છે) વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં હોય ! તો તસ્વરૂપ તો. ભગવાન જ્ઞાન ને આનંદસ્વરૂપ છે પ્રભુ! તે તસ્વરૂપમાં એનાં જ્ઞાન ને આનંદના પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ કહી શકાય. પણ રાગ વ્યાપ્ય અને વ્યાપક આત્મા એમ કોઈ રીતે વિવેકથીભેદથી છે ત્યાં ન કરાય...! આહા!
- દૃષ્ટિ ફેરે બધો ભાવ ફેર પડી જાય છે. હું? આહાહા ! દૃષ્ટિ એવી સૃષ્ટિ !! જ્ઞાયકની દૃષ્ટિ થઈ તેને જાણવા-દેખવા ને મોક્ષનાં માર્ગ ને આનંદના પરિણામ, એ તેનું (આત્માનું) વ્યાપ્ય થાય છે. આહાહા ! અને તે જ્ઞાનમાં રાગ નિમિત્ત હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય નહીં અને રાગથી જ્ઞાન થયું તે રાગનું, જ્ઞાન કાર્ય નહીં. આહાહા ! ઝીણી વાત છે ભાઈ...!
આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ કેવળીના વચનો છે ઈ સંતો જગતને જાહેર કરે છે. આહાહા ! આવો પ્રબળ વિવેકરૂપ છે. ઉદ્દામ્ વિવેક ! ઉદ્દામ્ વિવેક! એમ.
પ્રબળ વિવેક !! ધમ્મરનો અર્થ વિવેક કર્યો “અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે” (એટલે ) જ્ઞાન તો સ્વને જાણે-પરને જાણે ઈ “જાણવાનું કાર્ય પોતાનું પોતાથી થાય, એ બધાને જાણવાનો-ગ્રાસીભૂત-કોળિયો કરી જાય! લોકાલોક છે તે પણ જ્ઞાનની પર્યાયમાં કોળિયો થઈ ગ્યો છે નિમિત્તરૂપે ! “ગ્રામીભૂત” – એ જ્ઞાનની પર્યાયનો એટલો સ્વભાવ છે કે લોકાલોક ભલે એમાં નિમિત્ત હો પણ એ જ્ઞાનની પર્યાય પોતાના ઉપાદાનથી થઈ છે. તેથી તે પર્યાયનો સ્વભાવ સર્વને કોળિયો કરી જવું (એવો છે)! કોળિયો નાનો ને મોટું મોટું! એમ જ્ઞાનનો પ્રકાર મોટો ને શેય લોકાલોક તે (નાનો) કોળિયા સમાન છે. આહા.. હા !
ભાષા તો સાદી છે પ્રભુ! આ વસ્તુ તો પણ હવે બીજું શું થાય? આહા..! એને બીજી રીતે કરે તો કાંઈ. આહા.. હા! ખરેખર, મુનિઓનો શુદ્ધ ઉપયોગ જે છે તે તેનું વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે ઈ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ.. ભાઈ ? શું કીધું? આતો ઓલું શુદ્ધઉપયોગનું આવ્યું ને બપોરે એનો અર્થ એવો કર્યો અભિમુખ એમ નથી બાપા! આહાહા! મુનિ એનો આત્મા કર્તા કહેવો અને મોક્ષમાર્ગના પરિણામ તેનું કાર્ય કહેવું એ પરથી ભિન્ન પાડવાની અપેક્ષાએ, પણ રાગ તેનું કાર્ય છે-વ્યવહાર રત્નત્રયનો રાગ એનું આત્માનું કાર્ય છે એમ નથી ! આહાહા !
(શ્રોતા- અશુદ્ધનયે તો કહેવાય ને...!) હેં? અશુદ્ધનયે તો પર્યાયમાં એની થાય છે ઈ અપેક્ષાએ, પણ સ્વભાવષ્ટિએ અને સ્વભાવમાં નથી માટે તો એને પરનાં પરિણામ કીધાં. એમ કહેવું છે ને આહીં! એ તસ્વરૂપ નથી એનું! એનું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે, ભગવાનનું જ્ઞાયકસ્વરૂપ છે, એ તસ્વરૂપમાં રાગનું કાર્ય ક્યાંથી આવે? આહાહા..
આહાહા ! તો બપોરે આવી ગયું હતું ને ચૈતન્યસ્વરૂપ, ચારે કોરથી જુઓ તો સંતોની વાણીમાં અવિરોધપણું ઊભું થાય છે. પણ ધીરાના કામ છે ભાઈ...! એ વાતને ઝીલવી એ પણ એક પાત્રતા હોય છે. આહાહા.. આવી વાત! આહા!
ભગવાન આત્મા ! એ રાગથી ભિન્ન પડેલો ને એકરૂપ ભેદજ્ઞાનમાં એવું જે જ્ઞાન (કે) “જેનો સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી” જ્ઞાનપ્રકાશના ભારથી અજ્ઞાન–અંધકારને ભેદતો, રાગ તે અજ્ઞાન છે તેને તોડતો ભેદતો, આ