________________
ગાથા-૭૫
૧૯૧ કાંઈ પ્લાસ્ટીકનું શું છે ભુકો છે ને! આહાહા!
આહાહા! ભગવાન આત્મા જાણનાર-દેખનાર જેનો (સ્વભાવ છે) આવ્યું'તું ને કાલ “હું સ્વસંવેદન-દર્શન-જ્ઞાન-સામાન્ય છું બસ! આહાહાહા... એવું ક્યાં ભાન થયું એની જ્ઞાનની પર્યાયમાં રાગનો કાળ હોય તો રાગ આવે! પણ રાગને જાણવાનું કાર્ય તે જીવનું છે. તો રાગને જાણવાનું કાર્ય જીવનું છે તો રાગ એનું કાર્ય આત્માનું છે એમ કેમ નહીં? એમ પ્રશ્ન છે.
રાગને જાણે છે તો જાણવાનું કાર્ય તો એનું છે તો રાગને જાણે છે તો રાગ એનું વ્યાપ્ય કાર્ય છે કે નહીં? સમજાણું કાંઈ...? પુગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે એમ પણ નથી, એમ રાગ જાણનારનું કાર્ય છે એમ નથી ! આરે આવી વાતું છે!
કારણ કે પુદ્ગલને' ઈ પુગલના પરિણામને હવે “પુદ્ગલ” કહી દીધા! અંદર દયાદાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો રાગ થાય તેને પહેલાં પુદ્ગલના પરિણામ કહ્યાં હતાં, હવે એને “પુગલ” કહી દીધાં. આહાહા.... સમજાણું કાંઈ....?
એ પુદ્ગલને અને આત્માને_આખાદ્રવ્ય લીધાં ને બેય! “શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં’ એ પુદ્ગલના પરિણામ કહો કે પુદ્ગલ કહો, રાગઆદિ. વ્યવહારરત્નત્રયનો રાગ એ પુદ્ગલ કીધો આંહી. આહા... પુદગલનું વ્યાપ્ય-કાર્ય છે તેથી તે પુદગલ છે એમ કીધું !
તે પુગલને અને આત્માને શેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર’ આહાહા ! એ રાગને જાણનારો જે જણાય એ જ્ઞાયક-શેયનો, વ્યવહાર માત્ર સંબંધ!નિશ્ચય સંબંધ તો છે નહીં ‘શેયજ્ઞાયકને” રાગ શેય અને આત્મા જ્ઞાયક એવો જે શેય-જ્ઞાયકનો સંબંધ, એ વ્યવહાર માત્ર છે. આહાહા ! પરમાર્થે તો પોતે જ્ઞાનનો પર્યાય જે થયો તે દ્રવ્ય-ગુણ ને પર્યાય તે શેય અને તેનો જાણનાર...!! આહાહા આવું ઝીણું છે!
“પુદગલને અને આત્માને ભગવાનની ભક્તિનો ભાવ, સ્તવન. આમ ચાલતું હોય. (શ્રોતા- એ તો વિકલ્પ!) વાંચન ચાલે વિકલ્પ! પણ આ તો સમંતભદ્ર આચાર્ય યાદ આવ્યા છે! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ને (સ્વયંભૂસ્તોત્રમાં) સમતભદ્ર આચાર્ય કહે છે કે પ્રભુ! મને આપની ભક્તિનું વ્યસન પડી ગયું છે એમ કહે છે. છે એમાં..? ચોવીસમાં છે સ્તુતિ કરી છે ભાઈએ અર્થ કર્યા છે ને જુગલકિશોરે. પોતે સ્તવનમાં કહ્યું છે “મારે એ જાતનું વ્યસન છે' ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી! પણ એમ કહ્યું પ્રભુ! મને વ્યસન છે. (શ્રોતાઃ- વ્યસન તો છોડવા જેવું છે) એ રાગ છે, છોડવા જેવું છે. આહાહા..... કેમકે એ તો પરદેશ છે. શ્રીમમાં આવ્યું ને.. શ્રીમદ્ભાં “જાશું સ્વરૂપ સ્વદેશ” આ બેનના શબ્દ સાથે મેળવ્યું.
આહા... હા! અરે, અમારે હજી રાગ બાકી છે, પરદેશ! “શેષ કર્મનો ભાગ છે, ભોગવવો અવશેષ રે” એટલો હજી પરદેશ રાગ બાકી છે, આહા હા ! તેથી દેહ એક ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ.” ઈ રાગ જે બાકી છે ભક્તિ આદિનો ઈ પરદેશ છે. આહા. હા! અંત ભગવાન સ્વરૂપ સ્વદેશ અનંત. અનંત. ગુણનો સાગર-દરિયો એ અમારો સ્વદેશ છે, એમાં અમે જવાના છીએ. આહાહાહા ! એય! પુંજાભાઈ.આવી વાતું છે.
આ તો બહેને (ચંપાબેને) “પરદેશ” શબ્દ (બોલમાં) વાપર્યો છે અને શ્રીમદેય