________________
૪૮
કલામૃત ભાગ-૫
ભારે જવાબદારીની શરતું ! પેલું સહેલુંસટ (હતું). બે ઘડી જાય, ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં... (બોલે), પૂજા (કરે) ને ભગવાનની જરી ભક્તિ કરે (એટલે) થઈ ગયો ધર્મ ! ધૂળમાં પણ ધર્મ નથી, સાંભળને ! આહા..હા...!
અહીં કહે છે કે, જ્ઞાનમાત્ર તે કેવો છે ચૈતન્યલોક ?” શાશ્વતઃ’ છે. આ..હા..હા...! એ ચૈતન્યસ્વભાવ તો શાશ્વત છે. અનાદિનો છે અનંત કાળ રહેશે. આ..હા...! આ..હા...! ચૈતન્યવસ્તુ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે. આહા..હા...! આ..હા..હા...! પેલામાં ધ્રુવ આવે છે ને ? પ્રવચનસાર’માં નહિ ? ધ્રુવ ! ધ્રુવ છે ઈ ધ્રુવ છે, બાકી બધું અધ્રુવ છે. એક ગાથામાં ધ્રુવ આવે છે. બસ્સોમી કે એટલામી કાંઈક છે. ૧૯૨ (ગાથા). ભાવ ખબર હોય, ભાષા યાદ રહે નહિ. હજારો શાસ્ત્રો (વાંચ્યા છે). આહા..હા...!
ધ્રુવ તો તું એક છો. નિત્યાનંદ પ્રભુ એવોને એવો અનાદિથી છે, કહે છે. આહા..હા...! એની વર્તમાન પર્યાયમાં પલટા ગમે તેટલા થયા, માણસ થયો, નારકી થયો, ઢોર થયો, કીડો થયો, કાગડો થયો... આહા...હા...! પણ ઈ વસ્તુ તો વસ્તુરૂપે રહી છે. વસ્તુ ઈ પર્યાયરૂપે થઈ નથી. આહા..હા...! એને તું (જો), અવિનાશી છે એને જો ! આહા..હા...!
‘વળી કેવો છે ?” “ધ:’ જુઓ ! આવ્યો ને ‘એક’ ? પેલામાં ‘વન:’ હતું એનો અર્થ નિર્વિકલ્પ કર્યો. :'નો અર્થ ‘એક વસ્તુ છે.’ એક વસ્તુ છે... વસ્તુ છે... વસ્તુ છે. આહા..હા..! દેહથી ભિન્ન ભગવાન અને દયા, દાન, વ્રત અને હિંસા, જૂઠના પિરણામથી પણ ભિન્ન એકરૂપ ચિલોક ભગવાન અંદર પોતે બિરાજે છે. આ..હા..હા...! પામરને પ્રભુતાથી કહેવું ! ભાઈ ! તું અંદર પ્રભુ છો ! પામર નથી. પામર તો તેં માન્યો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
કહે છે કે, એક વસ્તુ છે.' આ..હા..હા...! પણ કેવી છે ? કેવો છે ભગવાન ? ‘સલવ્યવક્ત્ત:’ (અર્થાત્) ‘ત્રણે કાળે પ્રગટ છે.” કોને ? છે એ ખરું પણ કોને ? વસ્તુ તો છે પણ કોને ? આહા..હા...! ચિલોક, આનંદલોક પ્રભુ ! શાશ્વત છે, પ્રગટ છે (પણ) કોને ? કેમકે છે' એની કબુલાત કોને આવે છે ? કે, રાગથી ભેદ પડેલા ભેદજ્ઞાનીને માટે તે છે. આહા..હા..! અરે..! આવી વાતું છે ! આવો વીતરાગને નામે (માર્ગ કહેવો). બાપુ ! મારગડા જુદા, નાથ ! એ ચીજ તેં સાંભળી નથી, પ્રભુ ! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ ૫૨મેશ્વરની આ આજ્ઞા છે.
?
?
?
‘સજનવ્યવક્ત્ત:’ છે. એટલે શું કહે છે ? કે, વ્યક્ત છે, પણ કોને ? જે જાણે એને કે ન જાણે એને ? એ પ્રશ્ન થયો હતો ને ? ભાઈ ! (એક મુમુક્ષુ) નથી ? ‘જામનગ૨’ ! એણે પ્રશ્ન કર્યો હતો. આ કાઠિયાવાડમાં દિગંબરનો અભ્યાસ પહેલાંમાં પહેલો (એમને હતો). ‘જામનગ૨’ ! ૯૧-૯૨ વ૨સે ગુજરી ગયા. એને અભ્યાસ ઘણો ! આ કાઠિયાવાડમાં દિગંબર શાસ્ત્રનો પહેલો અભ્યાસ એને (હતો). એનો દીકરો એક ફેરી પૂછતો હતો કે, આ