________________
૩૬૮
કિલશામૃત ભાગ-૫
( સંવિ) “વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે મળેલું છે. આહા...હા...! (યુતં) છે ને ? (સંવિત) વિશુદ્ધ જ્ઞાન, તેની સાથે યુd) મળેલું છે.” નિર્મળ જ્ઞાન સાથે ભગવાન રહેલો છે. રાગથી ભિન્ન ભગવાન અંદર પડ્યો છે. આહા..હા..! રાગથી ભિન્ન એને અનુભવતાં વિશુદ્ધ જ્ઞાન સાથે મળેલું છે “એવા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. લ્યો ! એવા શુદ્ધ સ્વરૂપને ધર્મી રાગથી ભિન્ન પડી સ્વભાવને અનુભવે છે તેને ધર્મ કહેવામાં આવે છે. આહા...હા...! આવી ધર્મની વ્યાખ્યા !
અહીં તો (અજ્ઞાની એમ કહે), પુણ્ય પરમણી, ધર્મ કરજો, અનાજ આપજો, ફલાણું આપજો, નથી બોલતાં પેલા ? ગ્રહણ થાય તે દિ ! આવે છે. ત્યારે પેલા બધા બોલે.
મુમુક્ષુ :- પુણ્ય પરમણી કહે છે ધર્મ પરમણી ક્યાં છે ?
ઉત્તર :- ઈ કહે છે પણ ઈ બધા માને છે. ત્યાં પુણ્ય પણ ક્યાં છે ? બધા અભિમાન છે. અહીં કહે છે, આ તો સ્વરસથી ભરેલો ભગવાન પોતાના જ્ઞાનના રસથી મળેલું છે. આહાહા..! એવો એ આત્મા છે.
વળી કેવો છે આત્મા?” “રૂમામ્ વહુમાવતિ સમન્૩āર્તામ:” “કહ્યું છે સ્વરૂપ જેમનું એવા છે બહુભાવ અર્થાત્ રાગ-દ્વેષ-મોહ.” હવે આને ઉડાડી દેશે એમ કહે છે. આને રસ પ્રગટ કરે છે ત્યારે આને ઉડાડી દે છે. “રાગ-દ્વેષ-મોહ આદિ અનેક પ્રકારના અશુદ્ધ પરિણામ, તેમની સંતતિ.” એટલે પ્રવાહ, ધારા. પેલું (વાત) હતું ને ? આહા...હા....! એવી પરંપરાને એક જ કાળે...' (ઉદ્ધર્તામ:) “ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો....” આહા..હા...! મૂળ તો ધ્યાન કહે છે. અંદરમાં ધ્યાનમાં એકાગ્ર થતાં એ ઉખડી જાય છે, નીકળી જાય છે એને ઉખાડવાનો કામી છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? સંસ્કૃતમાં બળથી કાઢે છે એમ પાડે છે. પોતાના બળથી રાગાદિના ભાવને ઉખેડી નાખે છે. આહા...હા...! એવો છે.”
કેવી છે ભાવસંતતિ ? પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેવું.આહા..હા..! એ રાગનું સ્વામિપણું છે એ પરંપરાની પરંપરાને ઉખેડી નાખે છે. એનું સ્વામિપણું છોડી ધે છે અને ચૈતન્યસ્વરૂપ છે તેનો સ્વામિ થાય છે. છે ? વિશેષ બાકી છે, લ્યો !
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)