________________
૪૭૬
કિલશામૃત ભાગ-૫
પૂર છે એમ કહે છે. ચૈતન્યલક્ષણે કરીને જાય છે ધ્રુવના પૂરમાં, જે ત્રિકાળગમ્ય છે, ત્રિકાળ વસ્તુ છે તેના ઉપર એનું લક્ષ જાય છે. આહા...હા..! આવું સાંભળવા પણ મળે નહિ એ કે દિ ભેદ પાડે ? બહારના એકેન્દ્રિય, બેઇન્દ્રિય કરીને થઈ રહ્યું... જિંદગી ગાળે.
પ્રશ્ન :- અમારે અહીં ‘સોનગઢ'માં કાયમ બેસવું ? સમાધાન :- કાયમ બેસવું આત્મામાં !
ચૈતન્યલક્ષણ એવું જે પૂર, લક્ષણ તો પર્યાયનું છે પણ એ પૂરમાં જાય છે, આમ ધ્રુવમાં (જાય છે). ધ્રુવ પ્રવાહ છે ને ? ધ્રુવ પ્રવાહ ! તેમાં એનું લક્ષ જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા....!
ચૈતન્ય “સ્વપરસ્વરૂપગ્રાહક એવો જે પ્રકાશગુણ તેના...” “પૂરે પૂરમાં જાય છે. એટલે ત્રિકાળ પ્રવાહમાં લક્ષ જાય છે, બીજી ભાષા કહીએ તો ધ્રુવમાં જાય છે. ચૈતન્ય લક્ષણ પોતે પર્યાય છે પણ એ લક્ષણ જે ધ્રુવ પૂર છે તેના તરફ ઢળે છે. આહા..હા..! બહુ ટૂંકી વાત ! “ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવન્નુરૂપ-એમ સાધે છે;” એટલે? પ્રકાશગુણ વડે સ્વપરગ્રાહક જે પ્રકાશ પર્યાય છે તેને ધ્રુવમાં એકત્વ કરે છે. તેને ધ્રુવમાં એકત્વ કરે છે. એકત્વ કરે એટલે કે તેના તરફ ઢળે છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
પૂર વહે છે. ધ્રુવ.... ધ્રુવ... છે... છે. છે.. છે... છે.... છે.. છે... છે.... ઈ ચૈતન્ય લક્ષણને છે. છે. છે... છે... છે.. ધ્રુવમાં વાળી લ્ય છે. એને એક વસ્તુ કરે છે. જે રાગની સાથે એકત્વ હતું એને ઠેકાણે આ ચૈતન્યપ્રકાશ ધ્રુવની સાથે એકત્વ કરે છે. એકવસ્તુ કરે છે એમ કીધું. આહા...હા...! જ્ઞાનની પર્યાય જે રાગ તરફ ઢળતી હતી) તેને બે રૂપ કર્યું. જ્ઞાન અને રાગ બે રૂપ કરતી. એ જ્ઞાન ધ્રુવ પૂર વહે છે (ત્યાં વળે છે). પૂર – ધ્રુવ છે... છે. છે. છે... છેએકરૂપ વસ્તુ કરે છે. આ...હા...હા...! આવો માર્ગ છે.
‘જીવદ્રવ્યને એકવસ્તરૂપ...” કરે છે. “ઝાત્માનં કીધું ને ? ધ્રુવ જે આત્મા છે, ધ્રુવ એમાં એ લક્ષણને એકત્વ કરે છે. આમ લક્ષણને એકત્વ કરે છે. આમથી જુદું પાડી, આમ લક્ષણને એકત્વ કરે છે. આહા...હા...! “એકવન્નુરૂપ - એમ સાધે છે. શું કીધું છે ? સાધે છે એટલે ? પર્યાયનો જે જાણવાનો પ્રકાશગુણ (છે), સ્વપરગ્રાહક એવી શક્તિ પર્યાયમાં (છે), એવું જે લક્ષણ છે) તેને પૂર નામ ધ્રુવ તરફ વાળીને એકરૂપ વસ્તુ કરે છે. બેપણે માન્યું હતું એ એકરૂપે કરે છે. હું અને રાગ બે એક છીએ એમ જે માન્યું હતું એને (ચૈતન્ય સાથે) એકરૂપ કરે છે. જ્ઞાનલક્ષણ ધ્રુવમાં વાળીને એકરૂપ કરે છે. આહા..હા...! આવું તો કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય, ભાઈ ! આહા...હા...!
આહાહા....! જ્ઞાનલક્ષણ જાણવાના લક્ષણવાળું સ્વરૂપ તે આમ રાગ તરફ ઢળતું હતું, જેમાં જ્ઞાન નથી, જેમાં જાણપણું નથી તેમાં ઢળતું હતું, તે લક્ષણને જેનામાં જાણપણાનું પૂર છે, ધ્રુવ છે, પ્રવાહ છે. જ્ઞાન સ્વભાવનો, આત્મ સ્વભાવનો પ્રવાહ છે, પ્રવાહ છે એમાં