________________
૪૯૮
કલામૃત ભાગ-૫
જરી (ઝીણું).
આ આત્મા છે એ એકરૂપ છે. કારકો આદિના ભેદ વિનાનો છે, પણ આવો છે એ નિર્ણય જાણે કોણ? એ જાણે ઈ વિશેષ છે. એ વિશેષપણું કાઢી નાખો અને એકલું સામાન્યપણું રાખો તો વસ્તુ જ નહિ રહે, એમ કહે છે. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે પણ ભાવ તો જરી ઝીણા છે. આહા..હા...! એક એક શ્લોક તો અલૌકિક છે !
“એવા ભેદ હોય છે તો હો...' પેલા ભેદ કાઢી નાખ્યા માટે આ ભેદ ન હોય એમ નહિ. એ ભેદ હો તો હો. આહા..હા..! “વિરુદ્ધ તો કાંઈ નથી.” પેલા ભેદ કાઢી નાખ્યા ભેગા આ બે ભેદ કાઢી નાખો તો વિરુદ્ધ છે. બે ભેદમાં વિરુદ્ધ નથી. સમજાણું કાંઈ ? આહાહા..! આવી વાતું છે.
એક બ્રહ્મ છે, એક જ રૂપ છે એ જાણ્યું કોણે ? વિશેષ વિના એ જાણ્યું કોણે ? વિશેષે જાણ્યું માટે વિશેષ અને સામાન્ય બે છે. ચેતના દર્શનરૂપે સામાન્ય છે અને એને જાણવાની પર્યાય વિશેષરૂપ (એમ) બે છે. આહા..હા...! એકેન્દ્રિયા, બે ઇન્દ્રિયા ને વ્રત, અપવાસ કરે. બાપુ ! વસ્તસ્વરૂપ જ એવું છે કે એમાં આત્મા અભેદરૂપે હોવા છતાં એનો ચેતના સત્ત્વ જે સ્વભાવ છે તેમાંથી) જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ભેદ કાઢી નાખ્યો પણ એની ચેતનામાંથી સામાન્ય અને વિશેષ કાઢી નાખશો તો વસ્તુ જ નહિ રહે. વસ્તુનો જાણનાર નહિ રહે અને જણાય એવો એ નહિ રહે. સમજાય છે કાંઈ ?
જાણનાર એ વિશેષ છે અને જણાય એ સામાન્ય છે. સત્તા છે (એ) સામાન્ય છે પણ છે એને જાણવાની દશા વિશેષ છે. આહાહા.!
પ્રશ્ન :- એકલું સામાન્ય હોય તો જાણનાર સામાન્ય-વિશેષ બન્ને આવે ને ?
સમાધાન :- જ્ઞાન જાણે બધાને પણ જ્ઞાન છે વિશેષ. જાણેની ક્યાં વાત છે ? જાણે તો પોતાને જાણે, પરને જાણે, પણ એ પોતે) વિશેષ છે. દર્શન છે એ વિશેષ નથી, દર્શન સામાન્ય છે. એકલું સત્તારૂપે છે એટલું. એ દર્શન અને જાણે ને આને જાણે, એમ ક્યાં એમાં છે ? દર્શન તો છે, બસ ! સામાન્ય ! ઈ સામાન્ય છે એનો જાણનાર કોણ ? વિશેષ વિના જણાય શેમાં ? તમે એક જ કહી દ્યો કે, અદ્વૈત છે, બ્રહ્મ છે, આત્મા પણ ચેતના એક જ રૂપ છે. પણ એક રૂપ છે એવું જાણ્યું કોણે ? આહા..હા....! બહુ ઝીણી વાત નાખી છે. સમજાણું કાંઈ ?
એવા અર્થને દઢ કરે છે...” જોયું ? ‘વિરુદ્ધ તો કાંઈ નથી. બપણાને દઢ કરે છે. ચેતનાના બે પ્રકારને દૃઢ કરે છે. આહા...હા...! “વે નતિ ચેતના અતા અપિ તત્
પ્તરૂપ ત્યને– સા તત્વમ્ gવ ત્ય’ ‘જો એમ છે કે કૈલોક્યવર્તી જીવોમાં પ્રગટ છે એવી સ્વપરગ્રાહક શક્તિ....” સ્વ-પર પ્રકાશક શક્તિ એટલે ચેતના. સ્વપપ્રકાશક શક્તિ એટલે ચેતના.