________________
કળશ-૧૮૫
પપ૯
ભિન્ન ચીજ છે એમ ભગવાનઆત્મા ચૈતન્ય સ્વરૂપ આનંદ અને દયા, દાન રાગાદિના ભાવ એ કાંકરા સમાન અણમળતી ચીજ છે). મારા ચૈતન્યના લક્ષણથી મળતા નથી. એ ભિન્ન ચીજ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? માર્ગ એવો છે, ભગવાન ! અહીંયાં તો અત્યારે એવું કરી નાખ્યું છે કે, વ્રત કરો ને તપ કરો, એનાથી કલ્યાણ થઈ જશે. પ્રભુ ! એ તો અનંત વાર થયું છે. એ ચીજ કોઈ અપૂર્વ નથી. ભવના અંત કરવાની એ ચીજ નથી. ચીજ તો આ (અપૂર્વ છે).
સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! સત્ નામ શાશ્વત અવિનાશી ચિદ્ર નામ જ્ઞાન અને આનંદનું અતીન્દ્રિય સુખનું પૂર આત્મામાં ભર્યું છે. તેનાથી રાગનું લક્ષણ ભિન્ન છે, મારી ચીજ સાથે તે મળતા નથી. સમ્યગ્દષ્ટિ તેને છોડી દે છે. દૃષ્ટિમાંથી છોડી દે છે. આદરણીય કરતા નથી. આહા...હા..! આવી વાત છે. ગૃહસ્થાશ્રમમાં હો તોપણ પોતાના જ્ઞાનના ચૈતન્ય લક્ષણથી લક્ષિત થવાવાળો, લક્ષિત નામ જાણવા લાયક થવાવાળો, પોતાનો ચૈતન્ય સ્વભાવ રાગથી ભિન્ન (છે), ચૈતન્ય સ્વભાવથી લક્ષિત થવાવાળું મારું લક્ષણ છે).... ઓ.હો.હો...! અને રાગ અચેતન લક્ષણ - પૃથક્ લક્ષણ – સ્વરૂપ સાથે મળતું નથી. એમ ધર્મી પોતાને રાગથી પૃથકુ જાણે છે. આહા..હા..! છે કે નહિ અંદર ? અર્થ કરવામાં ફેર પડે છે. આમ કરતાં કરતાં, વ્યવહાર કરતાં કરતાં (કલ્યાણ) થશે. એ રાગ છે, એ તો અનંત વાર કર્યો. અને વ્યવહાર આવે પણ છે, સમ્યગ્દષ્ટિને આત્માનો સમ્યકુ અનુભવ થવા છતાં જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી ભક્તિ આદિનો રાગ આવે છે. પણ તેને એ હેય માને છે, છોડવા લાયક માને છે, કાઢી નાખવા લાયક માને છે, રાખવા લાયક માને છે એમ છે નહિ. આહાહા...! તમારા પિતાજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ વાંચ્યું છે કે નહિ ? વાંચ્યું છે ? દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ! એમાં ઘણું ભર્યું છે ! સમજાણું કાંઈ ? આહા...હા...!
ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી. શા કારણથી ?” “યત: ત્ર તે સમગ્ર: પિ મમ પદ્રવ્ય” આ...હા...હા...! ચાહે તો દયા, દાન, વ્રતના વિકલ્પ – રાગની વૃત્તિ ઉઠે એ મારી ચીજથી ભિન્ન પરદ્રવ્ય છે. મારી ચીજ નહિ. એમ ધર્મી જીવ, મોક્ષમહેલની પહેલી સીઢી – સમ્યગ્દર્શન (થાય) એમાં આમ માને છે. આહા...હા...! છે ? શું કહ્યું ?
યતઃ ત્ર તે સમગ્ર:' રાગનો સમગ્ર ભાગ. ગુણ આનંદ અને ભગવાન આત્મા આનંદી એવો ભેદનો વિકલ્પ – રાગ ઉઠે છે એ સમગ્ર રાગ પણ મારી ચીજથી તો ભિન્ન છે. આહા..હા...! સમજાય છે ? સૂક્ષ્મ વાત છે, ભગવાન ! આ તો અરૂપી આત્મતત્ત્વની સમ્યક્દૃષ્ટિની વાત છે. એ વાત કોઈ સાધારણ નથી. શબ્દો ભલે સાદા આવે પણ એનું વાચ્ય – ભાવ અપૂર્વ છે. ક્યારેય મળ્યું નથી, ક્યારેય સાંભળ્યું નથી. આહા..હા...!
કહે છે કે, “સામગ્રી: ૩ માવ’ સમગ્ર કેમ લીધું છે ? ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો, ચાહે તો આત્મામાં પંચ મહાવ્રતનો વિકલ્પ હો, એ “સમગ્ર: પિ' છે ? “મમા