Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 573
________________ ૫૬૦ કિલશામૃત ભાગ-૫ પદ્રવ્ય” “કારણ કે નિજસ્વરૂપને અનુભવતાં...” “સત્ર' છે ને ? નિજસ્વરૂપને અનુભવતાં.' પોતાનું નિજ સ્વરૂપ ચેતન જ્ઞાયક જાણન આનંદને અનુભવતાં તે સમગ્ર: પિ' જેટલા છે રાગાદિ અશુદ્ધ વિભાવપર્યાયો..” જેટલા અશુદ્ધ રાગાદિ ભાવ (છે), શુભ હો કે અશુભ, બન્ને અશુદ્ધ છે). હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ વાસના એ અશુભ પાપભાવ (છે) અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ શુભભાવ (છે) પણ એ શુભ અને અશુભ બન્ને અશુદ્ધ (છે). આહાહા..! સમજાણું કાંઈ ? સમગ્ર: પિ’ બધા રાગાદિ – રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિના વિકલ્પ અશુદ્ધ વિભાવ પર્યાય છે. મલિન દશા છે, મારી ચીજ નહિ. આહા..હા...! હું તો નિર્મળાનંદ પ્રભુ છું. સમ્યફદૃષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો), ધર્મની પહેલી સીઢીમાં આવું માને છે. સમજાણું કાંઈ? આ.હા..! મનુષ્યપણું મળ્યું પણ વાસ્તવિક તત્ત્વની દૃષ્ટિ કરી નહિ તો એ પશુ જેવો અવતાર છે. ચાહે તો કરોડોપતિ હો કે અબજોપતિ હો, એમાં આત્માને કોઈ લાભ નથી. સમજાણું કાંઈ? શું કહ્યું? નિજ સ્વરૂપથી ભિન્ન રાગાદિ વિભાવપર્યાય “મને પરદ્રવ્યરૂપ છે...” આહા...હા...! પહેલા પર્યાય કહ્યું. પુણ્ય-પાપના ભાવ એ વિકારી પર્યાય – અવસ્થા – હાલત કહ્યું, પણ હવે તો એમ કહ્યું કે, એ પરદ્રવ્ય જ છે, મારું દ્રવ્ય જ નથી. આહાહા....! સમજાણું કાંઈ ? - “રાજમલ્લજીની ટીકા છે અને શ્લોક ‘અમૃતચંદ્રાચાર્યદેવના છે. કુંદકુંદાચાર્યદેવના મૂળ પાઠ છે. એક હજાર વર્ષ પહેલાં ‘અમૃતચંદ્રાચાર્યદેવ થયા. “કુંદકુંદાચાર્યદેવ” બે હજાર વર્ષ પહેલા થયા અને ત્યારબાદ એક હજાર વર્ષ પછી ‘અમૃતચંદ્રાચાર્યદેવ” (થયા). દિગંબર સંત (એટલે) ચાલતાં સિદ્ધ ! આનંદના ઝુલામાં ઝુલતા હતા ! ઝુલતા ઝુલતા શ્લોક લખાઈ ગયા. આહા...હા...! સમજાણું કાંઈ ? એ કહે છે કે, “સમગ્ર: પિ’ આહા..હા..! “મમ પદ્રવ્ય’ પરદ્રવ્ય છે. જેમ શરીર આત્માથી પરદ્રવ્ય છે. એમ દયા, દાનના ભાવ પણ પરદ્રવ્ય છે. જે અંદર ? સ્વધ્યાય તો ઘણો કર્યો હતો પણ દૃષ્ટિ નહોતી. (એ) કહેતા હતા કે, આ દૃષ્ટિ નહોતી. વાત તો સાચી છે. આહા...હા...! સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્મા બિરાજે છે. અત્યારે પણ દિવ્યધ્વનિ થાય છે અને ઇન્દ્ર, નરેન્દ્ર સભામાં જાય છે. કુંદકુંદાચાર્યદેવ’ દિગંબર સંત સંવત ૪૯માં ભગવાન પાસે ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. ભગવાનનો આ સંદેશ છે. આહા...હા...! પતિ પરદેશમાં ગયો હોય અને કોઈ નવો માલ લઈને આવે તો પત્ની કહે કે, શું લાવ્યા ? એમ અહીંયાં ભગવાન પાસે ગયા હતા તો સંતો કહે છે, પ્રભુ ! ત્યાંથી તમે શું લાવ્યા ? તો કહે, હું તો આ લાવ્યો છું ! આહાહા...! મારી ચીજમાં તો અતીન્દ્રિય આનંદ ભર્યો છે. અતીન્દ્રિય આનંદના એક અંશના સ્વાદ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલી મિંદડી અને કૂતરા જેવા લાગે છે. શું કહ્યું છે ?

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609