________________
૫૬૪
કલશામૃત ભાગ-૫
સમજ્યા ને ? આ ટૂંઢિયા ! મુહપત્તી (બાંધે ઈ). અમારા પિતાજી સ્થાનકવાસી હતા). એમાં અમારો જન્મ થઈ ગયો તો અમે એમાં દીક્ષિત થયા. દીક્ષિત થયા એમાં ૧૯૮૫ની સાલ હતી. અમે દિગંબરના બધા શાસ્ત્ર જોતા હતા. સ્થાનકવાસી સંપ્રદાયમાં બધું વાંચતા હતા ને ! ૧૯૮૫ની સાલ ! કેટલા વર્ષ થયા ? ૪૯, પચાસમાં એક ઓછો. વ્યાખ્યાન ચાલતું હતું. “બોટાદમાં “બોટાદ સંપ્રદાય છે. એમાં અમે દીક્ષિત થયા હતા અને અમારી પ્રસિદ્ધિ તો પહેલેથી બહુ છે ને ! ઘણું માણસ, હજાર-પંદરસો માણસ વ્યાખ્યાનમાં ! ૧૯૮૫ની સાલ, પોષ માસ (હતો). આ પોષ માસ (ચાલે) છે ને ? સમગ્ર સભામાં એટલું કહ્યું... ૪૯ વર્ષ પહેલાં, પચાસમાં એક ઓછા. સભામાં ઘણા પૈસાવાળા બેસતા હતા. લાખોપતિ, પચાસ-પચાસ હજારની વર્ષની પેદાશવાળા બધા શેઠિયા બેસતા હતા. અમે તો કહ્યું કે, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. એમાં હતા. અને જે પંચ મહાવ્રતના પરિણામ છે એ ધર્મ નથી, આસવ છે. ખળભળાટ (થઈ ગયો ! અમારી તો પ્રસિદ્ધિ બહુ હતી, એમાં પણ પ્રસિદ્ધિ હતી ને ! નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. ત્રેવીસ-સાડી ત્રેવીસ વર્ષે (દીક્ષા લીધી હતી). ઘણી પ્રસિદ્ધિ હતી. શેઠિયાઓ તો કોઈ બોલે નહિ. પણ એક ગુરુભાઈ બેઠા હતા તેને ન રચ્યું. વીસરે... વીસરે બોલવા લાગ્યા). એ શ્રદ્ધા અમારે ન જોઈએ. એમ કહ્યું. આહા...હા...! માર્ગ તો આવો છે, ભાઈ ! પંચ મહાવ્રતના ભાવને ભગવાન ‘તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં આસ્રવ કહે છે. બંધનું કારણ કહે છે. અને જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ પણ આસવ છે. આસ્રવ વિના બંધન થતું નથી. માટે શુભ ભાવ – તીર્થકર ગોત્ર બંધાવાનું કારણ પણ આસ્રવ – રાગ છે. આહા..હા...! પચાસ વર્ષ પહેલાની વાત છે. સમજાણું કાંઈ ? મોટી સભા હતી.