Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 570
________________ કળશ-૧૮૫ પપ૭ વાઘ આવે છે. અત્યારે મહાવિદેહમાં દિવ્યધ્વનિ થાય છે. એમની પાસે કુંદકુંદાચાર્યદેવ’ ગયા હતા. આહાહા...દિગંબર મુનિ હતા. એક મોરપીંછી, કમંડળ (રાખતા). અંદરમાં આનંદ.. આનંદ, આનંદ આનંદ મુનિનું ભાવલિંગ તો અંતરમાં અતીન્દ્રિય આનંદનું ઉગ્ર પ્રચુર સ્વસંવેદન (છે). એ પાંચમી ગાથામાં છે. “સમયસારની પાંચમી ગાથામાં છે. અમારો – મુનિનો નિજ વૈભવ.. આ ધૂળનો નહિ. ધૂળ એટલે ? પૈસા ! આ પૈસા ધૂળ છે ને ? એ અમારી લક્ષ્મી નહિ. શરીર પણ અમારી લક્ષ્મી નહિ અને અંદરમાં પાપનો વિકલ્પ તો મુનિનો થતો નથી. પંચ મહાવ્રત આદિનો શુભ રાગ થાય છે એ પણ મારી ચીજ નહિ. આ.હા...! એ પણ દુઃખરૂપ ભાવ છે. હું એનાથી ભિન્ન સ્વસંવેદન (સ્વરૂપ છું. આપણે પહેલા આવી ગયું. આવી ગયું ને અંદર ? “સ્વસંવેદનપ્રત્યક્ષ.” પાંચમી પંક્તિ છે. સ્વસંવેદન પ્રત્યક્ષ ! આ..હા...હા...! અતીન્દ્રિય આનંદનું પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન કરવું અને ઉગ્ર આનંદનું (વેદન કરવું). સમ્યક્દૃષ્ટિને પણ સ્વસંવેદન, આનંદના અંશનું વેદન છે. ન હો તો એ સમ્યક્દષ્ટિ નથી. અહીંયાં તો સમ્યગ્દષ્ટિ છે તેને પોતાના ચૈતન્ય સ્વભાવમાં જે આનંદ છે તેનો એક અંશ તો વ્યક્ત – પ્રગટ (છે). સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને “શ્રેણિક રાજા ! ભગવાનના વખતમાં થયા. ક્ષાયિક સમકિતી ! ચારિત્ર નહોતું. વ્રત નહોતા પણ આત્માનું ભાન થયું, અંદર આનંદનું વદન હતું અને એમાં તીર્થકર ગોત્ર બંધાઈ ગયું પણ પૂર્વે મુનિની અશાતના કરી હતી). સાચા સંત હતા એમના ગળામાં સર્પ નાખી દીધો. એનાથી સાતમી નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. પછી એની સ્ત્રી ચેલણા' રાણી સમકિતી હતી, જ્ઞાની હતી, અનુભવી હતી, આનંદના અનુભવી! તે તેમને મુનિ પાસે લઈ ગઈ. સર્પ નાખેલો. (એટલે “ચેલણાને કહ્યું). “મેં સર્પ નાખ્યો છે, જો તારા ગુરુએ સર્પ કાઢી નાખ્યો હશે. “શેલણા' કહે, અમારા ગુરુ આવા ન હોય. અમારા ગુરુ તો એવા શાંત આનંદ. આનંદ.. આનંદ. અતીન્દ્રિય આનંદમાં રમનારા, ઝૂલે ઝુલનારા છે, ચાલો !” ત્યાં જોયું તો સર્પ (એમને એમ હતો), હજારો કીડી, લાખો કીડી (ચડી ગઈ હતી). “ચેલણા'એ ધીમેથી (સર્પને) ઉપાડી લીધો. મુનિ તો અંદર આનંદમાં હતા. આમ આંખ મીંચી હતી. ઓ.હો...“શ્રેણિક શું થયું?” (“શ્રેણિક” કહે છે, “મહારાજ ! મેં તો આવો અપરાધ કર્યો હતો. પછી તેમને આત્મજ્ઞાન થયું. હજારો રાણી હતી, રાજ હતું પણ આત્મજ્ઞાન – સમકિત થયું. મુનિની પાસે સમકિત થયું. સમિકતનો અર્થ અંદરમાં રાગના વિકલ્પ જે વિકાર છે તેનાથી ભિન્ન ભવગાન આનંદ જ્ઞાન સ્વરૂપ છે તેનું ભાન કરીને પ્રતીતિ, અનુભવ થવો એનું નામ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. એ સમ્યગ્દર્શન થયું પણ નરકનું આયુષ્ય પહેલા બંધાઈ ગયું હતું એ તો તૂટતું નથી. સાતમી નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું તો ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, આનંદનો અનુભવ થયો. ચારિત્ર નથી, વ્રત નથી. વ્રત તો સમ્યગ્દર્શન

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609