________________
૫૧૮
પોષ સુદ ૬, શનિવાર તા. ૧૪-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૪ પ્રવચન-૨૦૨
કલશામૃત ભાગ-૫
આ ‘કળશટીકા’ ચાલે છે. સિદ્ધાંત જે સત્ય છે તેની ટીકા થઈ, તેનો કળશ છે, કળશ. જેમ મંદિર ઉ૫૨ કળશ હોય છે એમ આ કળશ છે. સાર, સાર ચીજ છે. સાર ! ૧૮૪ (કળશ).
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम् । ग्राह्यस्ततश्चिन्मय एव भावो
ભાષા: જે સર્વત વ હૈયા: ।।૧-૮૪ ।।
—
ચિત: ચિન્મય: ભાવ: વ શું કહે છે ? કે, જે આ ચિત્ નામ જીવ પદાર્થ છે, વસ્તુ (છે), જીવદ્રવ્ય તત્ત્વ છે એ ચિન્મય છે. એ જ્ઞાનમય છે, ચૈતન્યમય છે, ચૈતન્ય પ્રજ્ઞાબ્રહ્મ ! જીવ વસ્તુ જે છે, આ દેહથી ભિન્ન, આ (શરીર) તો જડ છે, તેનો જાણનાર જડથી ભિન્ન છે. એ ચિત્ વસ્તુનો કાયમી અસલી સ્વભાવ જ્ઞાનસ્વભાવ છે પ્રજ્ઞા સ્વભાવ છે, જાણવુંદેખવું સ્વભાવ છે અને જાણવું-દેખવું (એવા) સ્વભાવની સાથે આનંદ સ્વભાવ (છે). અણિન્દ્રિય આનંદ તેનો મૂળ સ્વભાવ છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન ! આજે હિન્દી ચાલે છે.
.
ચિંત:' ‘જીવદ્રવ્ય...’ જીવ વસ્તુ – જીવ પદાર્થ દેહથી ભિન્ન ચેતનામાત્ર એવો સ્વભાવ છે,..’ તેનો સ્વભાવ તો જાણવું-દેખવું એવો સ્વભાવ (છે) અને અતીન્દ્રિય આનંદ તેનો સ્વભાવ છે. એ આત્મા છે. કેવો છે ચેતનામાત્ર ભાવ ” છે ને ? નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી.’ શું કહે છે ? ભગવાનઆત્મા ચૈતન્યસ્વભાવ જ છે, અન્યથા નથી, અન્ય નથી. એ જાણન-દેખન (સ્વભાવની) મૂર્તિ પ્રભુ (છે). જ્ઞાનની મૂર્તિ, જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાન સ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છે. આહા..હા...! છે ?
ચેતનામાત્ર ભાવ છે. નિર્વિકલ્પ છે,...’ એ વસ્તુમાં ભેદ નથી. પુણ્ય-પાપ, દયા, દાન, કામ, ક્રોધના વિકલ્પ છે એ તો એમાં છે જ નહિ, પણ એ આત્મા અને ચેતન સ્વભાવ એવો ભેદ પણ નથી. એ ચેતન સ્વભાવમય ભગવાનઆત્મા અભેદ, નિર્ભેદ છે. ભાષા સમજાય છે ? સમજાય છે કાંઈ ?