________________
કળશ-૧૮૫
દયા કોણ પાળે ? એનું આયુષ્ય હોય તો બચે. તો ૫૨ શું એની દયા પાળે ? એનું આયુષ્ય જે દેહમાં રહેવાની સ્થિતિ લાવ્યું છે ત્યાં સુધી રહેશે. સ્થિતિ પૂર થયે છૂટી જાશે. તો બીજો કોઈ મારી શકે નહિ અને બીજો કોઈ જીવાડી શકે નહિ. આહા..હા...! આવી ચીજ છે.
અહીં બે વાત કરી. એક કોર ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! ગુજરાતી ભાષા છે. અહીંયાં એક બેન છે, બેન ! એમના શબ્દ છે. ગુજરાતી ભાષા (છે) પણ એમાં ઘણા સિદ્ધાંત ભર્યાં છે. જુઓ ! જાગતો જીવ ઉભો છે ને ! શું કહે છે ? ભાષા ગુજરાતી (છે). જાગતો જીવ ઉભો છે ને ! એટલે જાણનાર... જાણનાર... ધ્રુવ.. ધ્રુવ.. ઉભો નામ ધ્રુવ છે ને ! જાગતો જ્ઞાયક... શાયક... જ્ઞાયક... જાણનાર.. જાણનાર... જાણનાર... એવો જે જીવનો સ્વભાવ (છે) એ ધ્રુવ છે. એ કાયમ રહેવાવાળી ચીજ છે. તેને પકડવાથી ધર્મ થાય છે. અને છે તો પ્રાપ્ત થાય છે, ન હોય તો પ્રાપ્ત (ચાંથી થાય ?) આ તો છે ને ! અંદર આનંદકંદ પ્રભુ સચ્ચિદાનંદ... આહા..હા...! દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત ગ્રાહ્ય કરવા લાયક તો એ ચીજ અંદર છે.... છે... છે... સત્તા મોજૂદગી. આત્મતત્ત્વની મોજૂદગી હયાતી જ્ઞાન અને આનંદથી હયાતી છે. એ અંતર સન્મુખ થઈને ગ્રાહ્ય કરવા લાયક છે. જેટલા શુભ-અશુભ આદિ વિકલ્પ – વૃત્તિઓ ઉઠે છે તે બધા સર્વથા હેય છે, છોડવા લાયક છે. આહા..હા...! છે ?
-
૫૩૧
આવો અનુભવ સમ્યક્ત્વ છે;...’ આવો આનંદનો અનુભવ કરવો અને રાગને છોડવો એનું નામ સત્ય દર્શન અને સત્ય પ્રતીતિ છે. સમ્યક્ સત્ય છે. એ સિવાય બધું અસત્ય છે. વિશેષ કહેશું... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(ન્દ્રવÇા)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसन्ति विविधा भावा: पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि । । ६- १८५ । ।
ખંડાન્વય સહિત અર્થ :- મોક્ષાર્થિમિ: અયં સિદ્ધાન્ત: સેવ્યતાં'(મોક્ષાર્થિમિ:) મોક્ષાર્થીઓ અર્થાત્ સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ, (મયં સિદ્ધાન્ત:) આ પરમાર્થનો અર્થાત્ જેવું કહીશું