________________
કળશ-૧૮૫
અતીન્દ્રિય (આનંદની) ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન જેનું લક્ષણ છે, એવો પાઠ છે. (‘સમયસાર’) પાંચમી ગાથા ! એને સાધુ કહે છે. બાપુ ! એ સાધુ કરોડો કરોડોમાં એક મળવા કઠણ ! માને, ગમે તે માને કે, અમે સાધુ છીએ ને સન્યાસી છીએ ને ત્યાગી છીએ.
૫૪૩
આહા..હા...!
અહીં તો કહે છે કે, સાધુ પહેલા પણ આ દશા થાય છે. એ દશા આવ્યા પછી અંદર આનંદમાં ૨મવું, અતીન્દ્રિય આનંદમાં ૨મવું તેનું નામ સન્યાસી અને સાધુ કહે છે. આહા..હા...! આવ્યું ? ક્યાં આવ્યું ? સર્વ કાળ નિશ્ચયથી છું.' આહા..હા...! હું તો ત્રિકાળ જ્ઞાનપ્રકાશનો પૂંજ છું. વિકલ્પ જે રાગાદિ ઉઠે તે મારા નહિ. એ વિશેષ ભાવ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૫ પ્રવચન-૨૦૪
‘કળશટીકા’ ૧૮૫ (કળશ). ફરીથી લઈએ. અર્થ છે ને ? અર્થ. મોક્ષાર્થિમિ: યં સિદ્ધાન્ત: સેક્વતાં” એ શબ્દો પડ્યા છે. તેનો શું અર્થ છે ? મોક્ષાર્થિમિ:' અંદર આત્મા આનંદસ્વરૂપ છે. આ આત્મા છે એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. આ ઇન્દ્રિયના વિષયમાં જે આનંદ માને છે એ તો દુઃખ છે, એ કંઈ સુખ નથી. સુખ અંતર આત્મામાં (છે).
કાલે કહ્યું હતું નહિ ? શકકંદનું દૃષ્ટાંત દીધું હતું ને ? શકમંદ ! શકરકંદ સમજાય છે ? શકમંદની ઉપરની લાલ છાલ, એ સિવાય આખું શકરકંદ. શકર નામ સાકરની મીઠાશનો પિંડ. તેથી શકર નામ પડ્યું છે. શકરકંદ ! સાકરની મીઠાશનો પિંડ. ઉપરની લાલ છાલ સિવાય. એમ આ ભગવાનઆત્મા... સૂક્ષ્મ વાત છે, ભગવાન ! અંદરમાં શુભ-અશુભ રાગ જે થાય છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો શુભભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગની વાસનાનો પાપભાવ (થાય એ) બન્ને લાલ છાલની જેમ ૫૨ ચીજ છે. પોતાની ચીજ અંદ૨ (ભિન્ન છે). જેમ લાલ છાલથી ભિન્ન શકદ છે એમ ભગવાનઆત્મા શુભ-અશુભ ભાવ મિલન ભાવ છે એનાથી ભિન્ન અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. આ..હા...! કેમ બેસે ?
પ્રશ્ન :- ઈ આત્મા છૂપાઈ ક્યાં ગયો ?
સમાધાન :– ભાન ન મળે, અંદર નજર કરે તો દેખાય ને ? જ્યાં છે ત્યાં નજર કરે તો દેખાય છે. બહાર જોવે છે, પોતાની દશામાં બહાર જોવે છે, આ.. આ.. આ.. પણ