Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 565
________________ પપર કલશામૃત ભાગ-૫ શુદ્ધ જ્ઞાનમય જ્યોતિ ! જ્ઞાન જળહળ જ્યોતિ ચૈતન્યમૂર્તિ ! જેમ આ અગ્નિની જ્યોતિ છે એમ હું ચિન્મય જ્ઞાનજ્યોતિ ચૈતન્ય અંદર છું. ધ્રુવ અનાદિઅનંત વસ્તુ હું છું). ચિન્મય નામ જ્ઞાનમય જ્યોતિ છું, એ મારું ધામ છે, એ મારું સ્થાન છે, એ મારું ક્ષેત્ર છે, એ મારી સર્વસ્વ ચીજ છે. ચિન્મય જ્યોતિ ! જ્ઞાનમય જ્યોતિ હું સર્વસ્વ છું. અરે..! આહા..હા.! આવું છે, બાપુ ! શું થાય ? દુનિયામાં તો બહારમાં અત્યારે સાધુ થઈ જાઓ, દીક્ષા લઈ લ્યો, ઠીક ! આત્મા શું એનું ભાન ન મળે. સાધુ થયો તો શું થયું ? સમજાણું કાંઈ ? પોતાની ચીજના અનુભવ અને જ્ઞાન વિના સાધુ થયો તો શું થયો ? અનંતવાર થયો. અહીંયાં એ કહે છે, “સ્વસંવેદનપ્રત્યક્ષ છું” આહા...હા...! તો જ્ઞાન, ચિન્ એટલે જ્ઞાન, ચિત્ “નનો તું થાય છે. ચિત્ જ્યોતિ એટલે ચિજ્યોતિ. ચિત્ જ્યોતિ એટલે જ્ઞાનજ્યોતિ. હું તો જ્ઞાનના પ્રકાશનું પૂર – નૂર છું. જ્ઞાનના પ્રકાશનું – સમજણનું તેજ પૂંજ છું. એ હું છું. છે ? “શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ સર્વ કાળ....' સદા કાળ. “પવ' નામ શ્મિ' છું. “મિ' છું. સર્વ કાળ હું તો ચિન્મય જ્યોતિ છું. એવી દષ્ટિ કરી અંતરમાં રમવું, અનુભવ કરવો એ જ પૂર્ણ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. બાકી બધી વાતું છે. આહાહા..! નિશ્ચયથી છું. ત્યાં સુધી કાલે આવ્યું હતું. કાલે બપોરે ત્યાં સુધી આવ્યું હતું. આજે ફરીથી લીધું. હવે, અહીંયાં (કહે છે), તુ તે વિવિધ: માવી: તે સદં ર ક્લિ' (1) “એક વિશેષ છે.” “વિવિધ: માવા: “શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે... શુદ્ધ પવિત્ર ચિન્મય જ્યોતિથી અણમળતા. મારા ચૈતન્ય સ્વભાવ સાથે મળતા નથી, એક નથી થતા. મારી જાતથી અણમળતી ભિન્ન ચીજ છે. શું ? “રાગાદિ અશુદ્ધ ભાવ... ચાહે તો શુભ રાગ દયા, દાનનો હો કે ચાહે તો પાપનો રાગ હોય પણ એ રાગ તો પોતાના શુદ્ધ જ્ઞાનમય મૂર્તિથી અણમળતા ભાવ છે, ભિન્ન ચીજ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એમ અંદરમાં ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ અને અનુભવ છે. આહા...હા...! આવું લાંબુ ! એક કલાક સાંભળવું કઠણ પડે. બધી ઝીણી વાતું ! માર્ગ તો એવો છે, બાપુ ! ભાઈ ! આહા...હા...! બોટાદમાં એક હતા. પેલું મકાન છે ને ? કોનું? ભૂલી ગયા. “મસ્તરામ' ! ઈ વ્યાખ્યાનમાં કાયમ આવતા. ઘણા માણસો આવતા. અહીંયાં ૬૫ વર્ષ તો દીક્ષા લીધા થયા. સાઠ અને પાંચ ! દુકાન છોડી. ઘણું ઘણું જોયું છે. આ ચીજ તો બહુ મોંઘી છે, ભાઈ ! આહા...હા...! સાંભળવા મળતી નથી પછી સમજે તો ક્યાં ? અહીંયાં તો પ્રભુ એમ કહે છે કે, પ્રભુ ! તારો ચૈતન્ય સ્વભાવ જે આનંદ એનાથી અણમળતા; જેમ ઘઉમાં કાંકરા હોય છે, કાંકરા કહે છે ને ? બોલાય એમ, કોઈ પૂછે, બેન ! શું કરો છો ? તો કહે, ઘઉં વીણું છું. એમ કહે છે. ઘઉં વીણે છે ? કાંકરા વિશે છે. પણ બોલે ઘઉં, બેન, શું કરો છો ? તો કહે, ઘઉં વીણું છું. ઘઉં કેમ કહે છે ? કે,

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609