________________
પપ૦
કલશામૃત ભાગ-૫ આજ કરો, કાલ કરો, પછી કરો પણ આ કરે સંસારનો છૂટકારો થશે. બંધનથી મુક્તિ થશે, એ વિના બંધનથી મુક્તિ થશે નહિ. સમજાણું કાંઈ ?
શું (કહે) છે ? જેનો અભિપ્રાય, જ્ઞાનનો અભિપ્રાય એવો છે કે, હું તો મારી ચીજનું સેવન કરું. મારી ચીજ છે એ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદથી ભરી છે, તેનો હું અનુભવ કરું એવો જેનો અભિપ્રાય છે, તો એનો અનુભવ કરો. આહા...હા...! પહેલો આનો નિર્ણય તો કરે કે, આ ચીજ આવી છે. સમજાણું કાંઈ ? અરે! કોઈ દિ કર્યું નથી. અનંત કાળ થયો, સાધુ પણ અનંત વાર થયો. મુનિવ્રત ધાર અનંત બેર, રૈવેયક ઉપજાયો” “છ ઢાળામાં આવે છે. “છ ઢાળા છે ને ? “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' પંચ મહાવ્રત પાળ્યા, અઠ્યાવીસ મૂળગુણ લીધાં, દયા, દાન કર્યા, વ્રત કર્યા પણ એ તો બધી રાગની ક્રિયા છે. એમાં સુખ નથી, એ તો દુઃખ છે. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! દુનિયાથી ભિન્ન પરમ સત્ય તો આ છે. સમજાણું કાંઈ ?
જેનો આવો અભિપ્રાય છે એ સેવન કરો. કેવો છે તે પરમાર્થ ?’ આહા..હા...! આ પ્રભુ વસ્તુ કેવી છે ? જેનું સેવન કરવું કહ્યું ને? “સેવ્યતાં સિદ્ધાન્ત’ સિદ્ધાંત એટલે વસ્તુ. વસ્તુ સ્વરૂપ કેવું છે ? અંતરાત્મા (કેવો છે)? “હમ્ શુદ્ધ ચિન્મયમ્ જ્યોતિઃ સા વિ
Wિ” “દમ” “સ્વસંવેદનપ્રત્યક્ષ...” આહા..હા..! “અહમ્' આ છે, આ છે. એ સ્વ પોતાથી વેદન – સંવેદન, જ્ઞાન અને આનંદનું પોતાથી વેદન થવું એ “ઐમ્' તે પ્રત્યક્ષ છે. “દમ” આ આત્મા, તેના આનંદ અને જ્ઞાનનું વેદન કરવું એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો અર્થ ? જેમાં કોઈ મન અને રાગની અપેક્ષા નથી એવી અંદર ચીજ છે. એ ચીજનો અનુભવ કરવો તે પ્રત્યક્ષ છે. આહા..હા...! ભારે આકરી વાતું ! માર્ગ તો એવો છે, ભાઈ ! દુનિયાએ બધું સોંઘુ કરી નાખ્યું. આ વ્રત પાળો ને ભક્તિ કરો ને આમ થઈ જાય. બાપુ ! એ તો જિંદગી ચાલી જશે, મનુષ્ય ભવ મળ્યો એ વ્યર્થ ચાલ્યો જશે. આહા..હા...!
મનુષ્યનો અર્થ એ છે, મનુષ્યતિ જ્ઞાયતે ઇતિ મનુષ્ય મનુષ્યનો અર્થ એ છે. જ્ઞાયતે ઇતિ. જ્ઞાયક સ્વરૂપ જે છે એનું જ્ઞાન કરે એ મનુષ્ય કહેવાય છે. એ જ્ઞાયકનું જ્ઞાન કર્યા વિના પરનું જ્ઞાન કરે તેને તો પશુ કહે છે. પશુ કેમ કહે છે ? “પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પશુની સંસ્કૃત વ્યાખ્યા છે. પશુ – પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પોતાના સ્વરૂપની દૃષ્ટિનો અભિપ્રાય નથી અને રાગ અને દ્વેષનું સેવન કરે છે એ બધ્ધતિ – એ આવરણથી બંધનમાં પડે છે. એ પશુ છે. બધ્યતે – પશુ બધ્ધતિ છે. આહા..હા..! પશ્યતિ બધ્ધતિ. પાશમાં, વિકારમાં બંધનમાં આવી જાય છે. એ પશુ કહેવામાં આવે છે. આહા...હા...! આમ અબજોપતિ, કરોડોપતિ હો પણ અંદરમાં આત્માનું ભાન નથી અને રાગ ને પુણ્ય-પાપનું સેવન કરે છે, પણ અંદરમાં ભગવાન આત્મા અનુભવવો રહી જાય છે તેને પશુ કહે છે. પશુનો અર્થ પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ. આવરણથી બંધ થઈ જાય છે અને આત્માનું ભાન