SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ કલશામૃત ભાગ-૫ આજ કરો, કાલ કરો, પછી કરો પણ આ કરે સંસારનો છૂટકારો થશે. બંધનથી મુક્તિ થશે, એ વિના બંધનથી મુક્તિ થશે નહિ. સમજાણું કાંઈ ? શું (કહે) છે ? જેનો અભિપ્રાય, જ્ઞાનનો અભિપ્રાય એવો છે કે, હું તો મારી ચીજનું સેવન કરું. મારી ચીજ છે એ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદથી ભરી છે, તેનો હું અનુભવ કરું એવો જેનો અભિપ્રાય છે, તો એનો અનુભવ કરો. આહા...હા...! પહેલો આનો નિર્ણય તો કરે કે, આ ચીજ આવી છે. સમજાણું કાંઈ ? અરે! કોઈ દિ કર્યું નથી. અનંત કાળ થયો, સાધુ પણ અનંત વાર થયો. મુનિવ્રત ધાર અનંત બેર, રૈવેયક ઉપજાયો” “છ ઢાળામાં આવે છે. “છ ઢાળા છે ને ? “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' પંચ મહાવ્રત પાળ્યા, અઠ્યાવીસ મૂળગુણ લીધાં, દયા, દાન કર્યા, વ્રત કર્યા પણ એ તો બધી રાગની ક્રિયા છે. એમાં સુખ નથી, એ તો દુઃખ છે. આહા...હા...! આકરી વાત છે, ભાઈ ! દુનિયાથી ભિન્ન પરમ સત્ય તો આ છે. સમજાણું કાંઈ ? જેનો આવો અભિપ્રાય છે એ સેવન કરો. કેવો છે તે પરમાર્થ ?’ આહા..હા...! આ પ્રભુ વસ્તુ કેવી છે ? જેનું સેવન કરવું કહ્યું ને? “સેવ્યતાં સિદ્ધાન્ત’ સિદ્ધાંત એટલે વસ્તુ. વસ્તુ સ્વરૂપ કેવું છે ? અંતરાત્મા (કેવો છે)? “હમ્ શુદ્ધ ચિન્મયમ્ જ્યોતિઃ સા વિ Wિ” “દમ” “સ્વસંવેદનપ્રત્યક્ષ...” આહા..હા..! “અહમ્' આ છે, આ છે. એ સ્વ પોતાથી વેદન – સંવેદન, જ્ઞાન અને આનંદનું પોતાથી વેદન થવું એ “ઐમ્' તે પ્રત્યક્ષ છે. “દમ” આ આત્મા, તેના આનંદ અને જ્ઞાનનું વેદન કરવું એ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો અર્થ ? જેમાં કોઈ મન અને રાગની અપેક્ષા નથી એવી અંદર ચીજ છે. એ ચીજનો અનુભવ કરવો તે પ્રત્યક્ષ છે. આહા..હા...! ભારે આકરી વાતું ! માર્ગ તો એવો છે, ભાઈ ! દુનિયાએ બધું સોંઘુ કરી નાખ્યું. આ વ્રત પાળો ને ભક્તિ કરો ને આમ થઈ જાય. બાપુ ! એ તો જિંદગી ચાલી જશે, મનુષ્ય ભવ મળ્યો એ વ્યર્થ ચાલ્યો જશે. આહા..હા...! મનુષ્યનો અર્થ એ છે, મનુષ્યતિ જ્ઞાયતે ઇતિ મનુષ્ય મનુષ્યનો અર્થ એ છે. જ્ઞાયતે ઇતિ. જ્ઞાયક સ્વરૂપ જે છે એનું જ્ઞાન કરે એ મનુષ્ય કહેવાય છે. એ જ્ઞાયકનું જ્ઞાન કર્યા વિના પરનું જ્ઞાન કરે તેને તો પશુ કહે છે. પશુ કેમ કહે છે ? “પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પશુની સંસ્કૃત વ્યાખ્યા છે. પશુ – પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ પોતાના સ્વરૂપની દૃષ્ટિનો અભિપ્રાય નથી અને રાગ અને દ્વેષનું સેવન કરે છે એ બધ્ધતિ – એ આવરણથી બંધનમાં પડે છે. એ પશુ છે. બધ્યતે – પશુ બધ્ધતિ છે. આહા..હા..! પશ્યતિ બધ્ધતિ. પાશમાં, વિકારમાં બંધનમાં આવી જાય છે. એ પશુ કહેવામાં આવે છે. આહા...હા...! આમ અબજોપતિ, કરોડોપતિ હો પણ અંદરમાં આત્માનું ભાન નથી અને રાગ ને પુણ્ય-પાપનું સેવન કરે છે, પણ અંદરમાં ભગવાન આત્મા અનુભવવો રહી જાય છે તેને પશુ કહે છે. પશુનો અર્થ પશ્યતિ બધ્ધતિ ઇતિ પશુ. આવરણથી બંધ થઈ જાય છે અને આત્માનું ભાન
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy