________________
૫૧૬
કલામૃત ભાગ-૫
?
વિનાના વ્રત, તપ એ બધાં બાળવ્રત અને બાળતપ કહ્યાં છે ને ? મૂર્ખાઈ ભરેલા વ્રત, તપ છે, પ્રભુ ! ભાઈ ! તારા હિતની વાતું છે. તારું અહિત કેમ થઈ રહ્યું છે એનું સ્પષ્ટીકરણ થતાં હિતની વાત છે. એને મારી નિંદા છે એમ ન માનવું જોઈએ, ભાઈ ! પ્રભુ ! આ તો તારી વાત છે ને ! આહા..હા...!
તારી પ્રભુતા ચેતનામયને લઈને છે. તારી પ્રભુતા કોઈ દયા, દાનના, વ્રતના વિકલ્પને લઈને નથી. આહા...હા...! તારી પ્રભુતાની વાત કરતાં તને એમ થઈ જાય કે, અરે......! અમારા વ્રત, તપને તો ખોટા પાડે છે. નિંદા (કરે છે). એમ નથી. દુઃખનો નિષેધ છે.
મુમુક્ષુ :
ઉત્તર ઃ– દુઃખનો નિષેધ છે, પાપનો નિષેધ છે. એ આખું પાપ છે.
ચિન્મય ભાવ આવ્યો ને ? જુઓને ! ચિંતઃ' જીવદ્રવ્ય. ચિન્મય, ચિન્મય. ચિવાળો એમ પણ ન કહ્યું. ચેતનામાત્ર ભગવાન ! જાણન-દેખનમાત્ર ! જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવમાત્ર પ્રભુ છે. આહા..હા...! ચેતનામાત્ર એવો સ્વભાવ છે,... ‘વ’ નિશ્ચયથી એમ જ છે,...’ ‘વ’ શબ્દ આવ્યો ને ? ‘નિશ્ચયથી એમ જ છે,...’ ભગવાનઆત્મા ચેતનામાત્ર. ચિત્ ચેતનામાત્ર, ચિત્ ચેતનામાત્ર. જીવ ચેતનામાત્ર. સ્વભાવમાત્ર જ એ છે. આહા..હા...! એનો સ્વભાવ ત્રિકાળ ચેતનામાત્ર સ્વભાવ છે. આહા..હા...!
એમ જ છે,...’‘વ” કહ્યું ને ? નિશ્ચયથી એમ જ છે, અન્યથા નથી.’વ્’ની અસ્તિ કરીને નાસ્તિ કરી. ‘F’ એટલે નિશ્ચય. બીજી રીતે નથી એમાંથી કાઢ્યું. એ અનેકાન્ત કાઢ્યું. આહા..હા...! સમજાણું કાંઈ ? એ ચેતનામાત્ર (છે).
‘:’ ‘નિર્વિકલ્પ...’ છે. ‘કેવો છે ચેતનામાત્ર ભાવ ?” ‘:’ જોયું પાછું પેલા બે પ્રકાર તો એનું સ્વરૂપ છે. પણ છે પોતે નિર્વિકલ્પ, રાગ વિનાની ચીજ છે. બેપણે છે માટે એમાં રાગ છે એમ નથી. એનું સ્વરૂપ જ એ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
કેવો છે ચેતનામાત્ર ભાવ ?” ‘:’ ‘નિર્વિકલ્પ..’ છે. રાગ વિનાનો નિર્ભેદ, નિર્વિકલ્પ છે. આ..હા...! ‘નિર્ભેદ..’ છે. એમાં ભેદ નથી. બેપણું છે માટે ત્યાં રાગનો ભેદ છે એમ નથી. આહા..હા...! ‘સર્વથા શુદ્ધ છે.’ ચેતના... આહા..હા... જ્ઞાતા-દૃષ્ટા સ્વભાવ એ જીવદ્રવ્ય, એ નિશ્ચય છે અને તે જ નિર્વિકલ્પ છે અને તે જ નિર્ભેદ છે. એમાં ભેદ નથી. આહા..હા...! અને તે ‘સર્વથા શુદ્ધ છે.’ સર્વથા શુદ્ધ છે ભગવાન ચેતના, દૃષ્ટા-જ્ઞાતા સ્વભાવ એ તો સર્વથા શુદ્ધ છે.
વિત્ત યે પરે માવા: તે પરેષામ્ તિ” “નિશ્ચયથી...' જે પરે માવા:’ ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે...' શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા...’ એ વિકલ્પો રાગાદિ છે એ શુદ્ધ ચૈતન્ય સાથે મળતા નથી, અણમળતા છે. આહા..હા..! અણમળતા ભાવને સાધન કહેવું અને આને સાધ્ય કહેવું (એમાં) ફે૨ મોટો છે, પણ શું થાય ? ગમે તેમ થાઓ પણ