Book Title: Kalashamrut Part 5
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 541
________________ ૫૨૮ કલશામૃત ભાગ-૫ જીવના નહિ. આહા..હા...! “તત: ચિન્મય: ભાવ: પ્રાઈ: પવ, પરે બાવી: સર્વત: હેયા: વ’ ‘તે કારણથી...” (વિન્મય ભાવ:) “શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ છેગ્રાહ્ય છે. આ...હા...હા...! જાણવું... જાણવું. જાણવું... જાણવું... જે સ્વભાવ એ ગ્રાહ્ય (અર્થાતુ) પકડવા લાયક છે. એ પકડવા અને અનુભવ કરવા લાયક છે. આહા...હા....! ગ્રાહ્ય છે (એટલે) ગ્રહણ કરવા લાયક છે. જ્ઞાનમય ભાવ ભગવાન અંદર ચૈતન્યપ્રકાશ મૂર્તિ ! ચૈતન્યના નૂરનું પૂર છે. આહા..હા...! ક્ષેત્ર ભલે નાનું હોય પણ અંદર ચૈતન્ય પ્રકાશનું નૂર – તેજનું પૂર છે. એ તેજપૂરથી રાગાદિ ભિન્ન છે. એ તેજ પૂર ગ્રાહ્ય છે. આહા..હા..! આવું તો કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય. વાતું આકરી છે, ભગવાન ! શું કહીએ ? એ ચીજ, એવી વાત છે. આહા...હા...! અહીં પ્રભુ કહે છે, ભગવાન તો અંદર ચિન્મય વસ્તુ છે ને ! આનંદમય સચ્ચિદાનંદ પ્રભુ છે ને એ ચીજ ગ્રાહ્ય છે. એ ગ્રહણ કરવા લાયક, આદર કરવા લાયક તો એ ચીજ છે. આહાહા...! અને પુણ્ય અને પાપ, સત્કર્મ આદિ કહેવાય છે એ ગ્રાહ્ય નથી, પ્રભુ ! એવી વાત છે, ભગવાન ! આહાહા...! પ્રભુ ચૈતન્ય આનંદમય પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તે ગ્રાહ્ય છે. એ વસ્તુ છે, સત્ છે, શાશ્વત છે, તત્ત્વ છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન જે સત્ સ્વરૂપ છે તે જ ગ્રાહ્ય – ગ્રહણ કરવા લાયક હોય તો એ એક ચીજ છે. એમાં જે કોઈ પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ, શુભ કર્મ કે અશુભ કર્મ જે ઉત્પન્ન થાય છે, એ બધા પુદ્ગલકર્મના છે). એ કહે છે, જુઓ ! પ્રદિ: પવ” “જીવનું સ્વરૂપ છે એવો અનુભવ કરવા યોગ્ય છે. આહા..હા...! મુમુક્ષુ – મોક્ષના અભિલાષીને આ એક જીવનો અનુભવ કરવા લાયક છે. મુમુક્ષુ કહો કે યોગી કહો, ભાઈ ! સંસ્કૃતમાં મુમુક્ષુનો અર્થ યોગી કર્યો છે. સંસ્કૃત છે ને ? આની બધી સંસ્કૃત ટીકા છે. બધું જોયું છે ને ! મુમુક્ષુનો અર્થ એ કર્યો છે. ઘણું કરીને સિદ્ધાંત તો એમાં છે, હોં ! સિદ્ધાંત તો એમાં છે, પછીનો સિદ્ધાંત આવે છે એમાં છે. “મોક્ષાર્થfમ:' “મુમુક્ષુમિ:' યોfમ પછીનો શ્લોક આવે છે ને ? પાઠમાં છે. મૂળ સંસ્કૃત છે. આ શ્લોકનું સંસ્કૃત છે, સંસ્કૃત. “મોક્ષાર્થિfમ:' મોક્ષનું જેને પ્રયોજન (છે). પૂર્ણ આનંદની પ્રાપ્તિનું જેને પ્રયોજન છે. મોક્ષ નામ મુક્તિ. દુઃખથી, સંસારથી મુક્તિનો જેનો અભિપ્રાય (થયો છે) એવો મુમુક્ષુ. તેને યોગી કહે છે, બાકી બધા ભોગી છે. આહા...હા..! સમજાણું કાંઈ ? ભલે ત્યાગી થઈને બેઠો હોય. રાજપાટ (છોડીને બેઠો હોય, પણ અંદર રાગનો પ્રેમ છે એ બધા ભોગી છે, યોગી નહિ. આહા..હા...! અહીં પરમાત્મા યોગી તો એને કહે છે કે, મોક્ષાર્થી – જેને પૂર્ણ આનંદની પ્રાપ્તિ

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609