________________
કળશ-૧૮૩
૫૧૧
એમ છે, છે ને ? અને “તજ્યારે વિત: પિ નડતા મવતિ' અને વ્યાપ્ય વિના વ્યાપક, એ ત્રીજો બોલ છે. વ્યાપ્યો વિના વ્યાપા- ઢોભા વીસ્તમુપૈતિ’ નાશ થશે. તેના નિયત જ્ઞપ્તિરૂપતું વિન્ા આહા..હા....! શું કહ્યું ?
અદ્વૈત ચેતનાને બે રીતે ન માનો તો ચેતના સિદ્ધ નહિ થાય. ચેતના સિદ્ધ નહિ થતાં સામાન્ય-વિશેષરૂપ એનું અસ્તિત્વ હોવાપણું છૂટી જાય છે. સામાન્ય-વિશેષપણું ચેતનાનું ન હોય તો એનું હોવાપણું છૂટી જાય છે. અને એનું હોવાપણું છૂટતાં જીવ ચેતના છે એ સિદ્ધ થતું નથી. અને તો જીવ અજીવ થઈ જાય છે, જીવ પુદ્ગલ થઈ જાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? પછી ત્રીજો બોલ લેશે.
અહીં તો “ચેતનાનો અભાવ થતાં જીવદ્રવ્યને પણ પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. બે દોષ થયા. ક્યા બે દોષ થયા? કે, એક તો ચેતનાને સામાન્ય-વિશેષપણે બે રીતે સિદ્ધ ન કર તો ચેતના વિના જીવ જ સિદ્ધ નહિ થાય, એ ચેતના જ સિદ્ધ નહિ થાય તેથી જીવ સિદ્ધ નહિ થાય. કારણ કે ચેતના વડે તો જીવને સિદ્ધ કર્યો છે. એટલે ચેતના છોડતાં જીવ ચેતન વિનાનો રહેશે અને ચેતનાથી સિદ્ધ કર્યો છે તેથી જીવ સિદ્ધ નહિ રહે. બે વાત થઈ. હવે ત્રીજી એક વાત છે – વ્યાપક વિના વ્યાપ્ય નહિ રહી શકે. પાઠ છે ને ? “વ્યાપ્યો વિના વ્યાપા-દ્વાત્મિી વાત્તમુપતિ મૂળ પાઠ છે.
- “જીવદ્રવ્યને પણ પગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાતુ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે. ત્રીજો દોષ આવો કે – “વ્યાપાત્ વિના વ્યાપ્ય: માત્મા કોમ્
તિ' “વ્યાપતિ વિન' ચેતનાગુણનો અભાવ થતાં... એને અહીં વ્યાપક લીધો છે. આત્મા વ્યાપક અને ચેતનાગુણ વ્યાપ્ય એમ અહીં નથી લેવું. અહીં તો આત્મામાં ચેતનાગુણ અનાદિઅનંત વ્યાપે છે માટે એને વ્યાપક કહ્યું છે અને આત્માને વ્યાપ્ય કહ્યો છે.
બીજે ઠેકાણે કર્તા-કર્મમાં વ્યાપ્ય-વ્યાપક આવે છે ત્યાં દ્રવ્ય વ્યાપક અને પર્યાય વ્યાપ્ય, એમ આવે છે. વ્યાપ્ય-વ્યાપક આવે છે ને ? અજ્ઞાનપણે આત્મા વ્યાપક છે અને રાગ વ્યાપ્ય છે. અજ્ઞાનપણે પણ વ્યાપ્ય-વ્યાપક આવે છે. અને જ્ઞાનપણે આત્મા વ્યાપક અને વીતરાગ પર્યાય વ્યાપ્ય એમ આવે છે. અહીં ત્રીજી રીતે સિદ્ધ કર્યું છે.
ચેતના જે સામાન્ય અને વિશેષ સ્વરૂપે છે એ ત્રિકાળ છે અને ત્રિકાળ વ્યાપક છે એનો જો અભાવ થશે તો આત્મા વ્યાપ્ય છે એનો પણ અભાવ થશે. આવી વાત કરી. આહા...હા..! સમજાય છે કાંઈ ? આ ધીમે ધીમે સમજવા જેવી વાત છે, ભાઈ ! આ તો માખણની વાતું છે ! આહા..હા..!
વિકાર અને ભેદ તો કાઢી નાખ્યા પણ વસ્તુનું સ્વરૂપ ચેતના વીતરાગ સમભાવ છે. વીતરાગી ચેતના છે. એ વીતરાગી ચેતના વ્યાપક છે. ત્રણે કાળે કાયમ રહેનારી છે અને