________________
૪૯૬
કલશામૃત ભાગ-૫ કાઢી નાખ્યા તો પછી આત્મામાં જે ચેતના છે એ પણ એક જ રૂપ હોવી જોઈએ. એના સામાન્ય અને વિશેષ બે રૂપ ન હોવા જોઈએ. સમજાય છે કાંઈ ? એ કહે છે, જુઓ ! ૧૮૩ (કળશ).
સત િદિ વેતન ચેતના છે તો અદ્વૈત એક, પણ એના રૂપ બે છે. ભાઈ ! આ વેદાંત કહે છે ને કે, બ્રહ્મ એક છે. એમ તમે પણ એમ કહ્યું, કારક નથી, ગુણ નથી, ભેદ નથી તો આત્મા બ્રહ્મસ્વરૂપ એકરૂપ રહ્યો. તો એનો ચેતના નામનો જે ગુણ છે એ પણ એક જ રૂપે રહ્યો. તો કહે છે), ના, એમ નહિ. ચેતના બે પ્રકારની છે – સામાન્ય અને વિશેષ. દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ છે. તો આત્મા, એની ચેતના. આત્મા ચેતન, એની ચેતના એકરૂપે છે એમ નથી. સમજાણું આમાં કાંઈ ?
આત્મા - ચેતન, એની ચેતના એક જ રૂપ છે એમ નથી. બીજા બધા ભેદ કાઢી નાખ્યા પણ ચેતનની ચેતના એક જ રૂપ છે એમ નથી. થોડી ઝીણી વાત છે. ચેતના બે પ્રકારે છે – સામાન્ય અને વિશેષ. એ બે ભેદનો નિષેધ ન થાય. એ બે ભેદનો નિષેધ થતાં ચૈતન્યનો નિષેધ થઈ જાય છે. સમજાય છે કાંઈ ? ૧૮૨માં કાઢી તો બહુ નાખ્યું. તો પછી આ પણ કાઢી નાખો કે, આત્મા ચેતના એક રૂપ છે. એના દર્શન અને જ્ઞાન, સામાન્ય અને વિશેષ એવા બે ભેદ પણ નથી. પરંતુ) એમ નથી. અનેકાન્ત કર્યું. ત્યાં બે ભેદ છે. કારકોના, ધર્મના અને ગુણના ભેદોનો નિષેધ કર્યો પણ આત્મામાં ચેતના એનો જે ગુણ છે ઈ એક જ રૂપ છે એમ નથી. એ ચેતના અદ્વૈત હોવા છતાં એના રૂપ બે છે. સામાન્ય અને વિશેષ. છે ? જુઓ !
તેન વિ નિયતં તિરૂપ તું તે કારણથી ચેતનામાત્ર સત્તા અવશય દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો.” બીજું બધું કાઢી નાખ્યું પણ આ ચેતના બે પ્રકારે છે એ તો બરાબર છે. સમજાણું કાંઈ આમાં ? આ તો ઝીણી વાત છે, ભાઈ ! આત્મા વસ્તુ છે એ એકરૂપ (છે) પણ એની ચેતનાનું પણ એક જ રૂપ (છે), એમ નથી. ચેતનાના બે રૂપ છે – સામાન્ય અને વિશેષ. આવું ઝીણું કહ્યું.
“અવશ્ય...” જરૂર. ‘દર્શન એવું નામ, જ્ઞાન એવું નામ, એવાં બે નામ – સંજ્ઞા દ્વારા ઉપદિષ્ટ હો.” ઉપદિષ્ટ હો નામ જણાય છે. અંદર બે ગુણ છે. ચેતના સામાન્ય અને વિશેષ છે. સત્તા તરીકે સામાન્ય અને પર્યાય વિશેષ તરીકે વિશેષ – એવા ચેતનાના બે ભેદ છે. અરે.! આવી વાતું ઝીણી બહુ ! દયા પાળવાની વાત તો ક્યાંય રહી ગઈ, વ્રત ને ભક્તિના પરિણામ પણ કયાંય રહી ગયા. એક વસ્તુમાં છ કારકો પણ ક્યાંય ભિન્ન રહી ગયા, ઉત્પાદવ્યય ને ધ્રુવ અને દ્રવ્ય-ગુણ ને પર્યાય એવા ભેદ પણ ક્યાંય રહી ગયા, ગુણ-ગુણીના ભેદો – જ્ઞાન, દર્શન ને આનંદ એવા ગુણ અને ભગવાન આત્મા ગુણી, એવા ભેદ પણ ક્યાંય રહી ગયા. આહા...હા...! તો એ બધું કાઢી નાખતાં ચેતનાના પણ બે ભેદ કાઢી નાખો તો એમ