________________
કળશ-૧૮૩
૪૯૫
કરશે કે ચેતના ન રહે તો નહીં રહો, જીવદ્રવ્ય તો વિદ્યમાન છે ? ઉત્તર આમ છે કે ચેતનામાત્ર દ્વારા જીવદ્રવ્ય સાધ્યું છે, તેથી તે ચેતના સિદ્ધ થયા વિના જીવદ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ; અથવા જો સિદ્ધ થશે તો તે પુગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે, ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે : બીજો દોષ આવો – ‘તજ્યારે વિતઃ પિ નડતા મવતિ' (તત્યારે) ચેતનાનો અભાવ થતાં વિત:પિ) જીવદ્રવ્યને પણ (નડતા મવતિ) પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે અર્થાત્ જીવદ્રવ્ય પણ અચેતન છે એવી પ્રતીતિ ઊપજે.
” ત્રીજો દોષ આવો કે – “વ્યાપhત્ વિના વ્યાપ્ય: માત્મા તમ્ ૩પૈતિ' (વ્યાપાત્ વિના) ચેતનાગુણનો અભાવ થતાં વ્યાપ્ય: ત્મિ) ચેતનાગુણમાત્ર છે જે જીવદ્રવ્ય તે (ક્તમ્
ત્તિ) નાશને પામે અર્થાત મૂળથી જીવદ્રવ્ય નથી એવી પ્રતીતિ પણ ઊપજે. - આવા ત્રણ મોટા દોષ છે. આવા દોષોથી જે કોઈ ભય પામે છે તેણે એમ માનવું જોઈએ કે ચેતના દર્શન-જ્ઞાન એવાં બે નામે-સંજ્ઞાએ બિરાજમાન છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૪-૧૮૩.
પોષ સુદ ૪, ગુરુવાર તા. ૧૨-૦૧-૧૯૭૮.
કળશ૧૮૩, પ્રવચન–૨૦૦
૧૮૨ (કળશમાં) એમ આવ્યું કે, આત્મા અભેદસ્વરૂપ છે. એમાં કર્તા-કર્મ-કરણ કારકોના ભેદ પણ એમાં નથી. તેમ તેમાં ધર્મના ભેદો નથી. અસ્તિત્વ આદિ ધર્મો છે એવા ભેદ પણ એમાં નથી. તેમ ગુણના ભેદ એમાં નથી. ગુણી આત્મા અને ગુણ આ, એવા ભેદ નથી. ધર્મમાં એ લીધું – ઉત્પાદૂ-વ્યય-ધ્રુવ અને દ્રવ્ય-ગુણ-પર્યાય. એ પણ જેમાં નથી. ત્યારે કોઈ એમ કહે કે, એક જ છે તો ચેતના પણ એક જ રૂપ હોવી જોઈએ. સમજાણું આમાં કાંઈ ?
જ્યારે આત્મામાં) કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન (આદિ) કારકોના ભેદ નથી, ધર્મના – ઉત્પાદવ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, ગુણના – જ્ઞાન, દર્શન, આનંદ આદિના ભેદ નથી તો આત્મામાં એક અદ્વૈત ચેતના એક જ હોવી જોઈએ. શું કહ્યું સમજાણું ? એનો અહીં નિષેધ કરે છે કે, ચેતના અદ્વૈત એક જ નથી. ચેતના બે પ્રકારે છે. બીજા બધા નિષેધ કર્યા. સમજાણું કાંઈ ? વિષય જરી ઝીણો છે. ૧૮૨ (કળશમાં) તો બધું કાઢી નાખ્યું ને ?
કારકો, ધર્મો અને ગુણો એમાં છે નહિ. એ તો એકરૂપ ચૈતન્યસ્વરૂપ અભેદ નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્યારે કોઈ એમ કહે કે, આ બધા ભેદો