________________
પ૦૪
કિલશામૃત ભાગ-૫
કોઈ દિ હીરા-માણેકમાં ક્યાંય આવ્યું નથી. આ વાડામાં ક્યાં આવ્યું છે ?
આહાહા..! પ્રભુ તો એમ કબુલાવે છે કે, આત્મા તો છે કે નહિ ? છે, ઠીક ! હવે એનો ચેતના કોઈ સ્વભાવ છે કે નહિ ? જડનો સ્વભાવ ચેતના નથી, પણ આનો સ્વભાવ ચેતના સ્વભાવ છે કે નહિ? તો એ ચેતના એકલી સત્તામાત્ર છે કે એમાં વિશેષપણું પણ છે ? જો વિશેષપણું ન હોય તો સત્તામાત્ર ચેતના છે એ આત્માની ચેતના છે, એવો નિર્ણય કોણે કર્યો ? આહા...હા...! માટે પર્યાય અને સામાન્ય બેનો નિષેધ થતાં જીવાદિ છએ દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. છએ દ્રવ્યની સિદ્ધિ એમ થતી નથી. છે ને ?
જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે, તેમ ચેતના અનાદિનિધન....” આ..હા...! જોયું ? અત્યારે અહીં આત્મા અનાદિનિધન નથી લેવો. ચેતના અનાદિનિધન લેવી છે. આહા...હા...! “ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે.” ત્રિકાળ નિર્વિકલ્પરૂપ ચેતના છે... છે. છે... માટે એને દર્શન કહેવાય છે. આહા...હા...! છે ને ? જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છેદર્શન સમસ્ત વસ્તુને શેય તરીકે ગ્રહણ કરે છે.
જે તે શેયાકારરૂપે પરિણમે છે – જોયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે. આ પર્યાયનો વિષય છેડ્યો. જ્યારે દર્શન બધાને દેખે છે ત્યારે તે ચેતના બધા જ્ઞયાકારરૂપે પરિણમે છે. એ પરિણમે છે ઈ પર્યાય પર્યાય થઈ ગઈ. આહા...હા...! સમજાણું કાંઈ ? આજે બધા ઝીણા વાય (આવ્યા). આહા...હા..!
ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે તેથી ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે. કાયમ છે માટે. જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – જોયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે. એ જ્ઞાન છે, એ પર્યાય છે. આહા..હા..! જ્ઞાનની પર્યાયમાં જેટલા શેયો છે અથવા પોતે પણ શેય છે ને ? એના શેયાકારરૂપે ચેતના પરિણમે છે. જ્ઞાનની પર્યાય સત્તારૂપે ચેતના કાયમ અનાદિઅનંત છે અને આ પર્યાય તેના યાકારરૂપે પરિણમે છે અને પરના જે પર્યાયો છે એ રૂપે પણ જ્ઞાન શેયાકારરૂપે પરિણમે છે. તે પર્યાય થઈ. સમજાણું કાંઈ ?
“સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે... જોયું ? ગ્રહણ કરે એટલે જ્ઞાન (કરે છે). પેલું દર્શન હતું. “ચેતનાનું દર્શન એવું નામ કહેવાય છે, જેથી સમસ્ત શેય વસ્તુને ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – શેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે...” એ પર્યાય – અવસ્થા થઈ, વિશેષ થઈ ગયું. શેયાકારરૂપ પરિણમન વિશેષમાં થાય છે. સામાન્યમાં) કાંઈ યાકારરૂપ પરિણમન હોતું નથી. આહાહા.! ભારે, એકેએક ન્યાય આકરા છે !
એમ કહે છે કે, છે, અનાદિઅનંત ચેતના (છે), એવી ચેતનાને વર્તમાન પર્યાય ગ્રહણ