________________
४७४
કલશામૃત ભાગ-૫
ઉપાયરૂપ કહેવામાં આવે. બીજો કોઈ ઉપાય નથી, એમ કહે છે.
જે દિશા પર તરફ ઢળે છે તે રાગ છે એમ અનુમાન કરીને આમ ઢળે છે તે રાગ છે અને આમ ઢળે તે ચેતના ભિન્ન છે. એટલો વિકલ્પ વચ્ચે આવે છે અને એને ઉપાય કહ્યો છે. પછી તૂટે ત્યારે તો એ વિકલ્પ રહેતો નથી, અનુભવમાં રહેતો નથી. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
પોષ સુદ ૨, મંગળવાર તા. ૧૦-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન–૧૯૮
(“કળશટીકા ૧૮૧ કળશ ચાલે છે). કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો ?” અહીંથી લેવાનું) છે. “સાવધાઃ “જીવનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ, તેમના ભિન્ન ભિન્ન વિચારમાં જાગરૂક છે,” સાવધાન છે. આત્મા જ્ઞાન લક્ષણવાળો અને કર્મ અચેતન લક્ષણવાળો (છે) એ બેને જાણવામાં સાવધાન – જાગૃત છે. આ આત્મા છે એ ચૈતન્ય લક્ષણ છે અને રાગ છે (તે) અચેતન લક્ષણ છે. એમ. છે ને ?
તેમના ભિન્ન ભિન્ન વિચારમાં...” તેને જુદું પાડવામાં જાગરૂક છે, પ્રમાદી નથી.” અસ્તિનાસ્તિ કરી. અંદર આ ચૈતન્ય જાણક લક્ષણે આત્મા ભિન્ન છે અને અજાણ એવા અજીવ લક્ષણે અચેતન લક્ષણે કર્મ ભિન્ન છે, રાગ ભિન્ન છે. બેને (ભિન્ન કરવામાં) સાવધાનીથી જાગરૂક છે. એને જુદા પાડવામાં સાવધાન છે એમ કહે છે. મૂળ વાત ઝીણી છે.
મુમુક્ષુ :- જુદા જુદા વિચારવામાં
ઉત્તર :- વિચારવામાં એટલે જુદા પાડવામાં. જ્ઞાન કરવામાં એમ. વિચારવામાં એટલે જુદા જુદા જ્ઞાન કરવામાં.
પ્રમાદી નથી. આ ચૈતન્યલક્ષણ આત્મા, અજીવ લક્ષણ જડ એને જુદા પાડવામાં પ્રમાદ નથી, જાગૃત છે. ચૈતન્ય આ છે, રાગ આ છે – એમ જુદા પાડવામાં પ્રમાદી નથી. અસ્તિનાસ્તિ કરી.
કેવી છે પ્રજ્ઞાછીણી ?” આ પ્રજ્ઞાછીણી લીધી. “મિત: fમન્નભિન્ન ર્વત મિત: ‘સર્વથા પ્રકારે” સર્વથા પ્રકારે (આ) જ્ઞાન (ચેતન છે) અને રાગ અજીવ (છે), એમ સર્વથા પ્રકારે ભિન્ન પાડવામાં સમર્થ છે. પ્રજ્ઞાછીણી એટલે અનુભવ. આહા..હા...! ચૈતન્ય સ્વરૂપ તરફ ઝૂકતાં જે અનુભવ (થયો એ) પ્રજ્ઞાછીણી (છે). એ ભિન્ન ભિન્ન કરવામાં સર્વથા પ્રકારે સાવધાન છે. છે ને ? “જીવને અને કર્મને જુદાં જુદાં કરે છે. આહાહા.!