________________
કળશ-૧૮૨
૪૮૯
શકાય છે કેમકે એ જુદાં છે. આહા...હા...! આવી ઝીણી વાત આવી છે ! હજી તો પ્રથમ સમ્યગ્દર્શનમાં થતો આત્માનો અનુભવ, એમાં થતાં પરિણામના સંસ્કાર, એ રાગથી ભિન્ન પડવાનું શકય જ છે કેમકે ભિન્ન છે, ભિન્ન છે. માટે ભિન્ન પાડી શકાય છે. ભિન્ન છે માટે ભિન્ન પાડી શકાય છે. આહા...હા...!
ભિન્ન) કરવાનું શક્ય છે.” એટલે ? “ખેડુમ્ વિજ્યતે” એટલે ? રાગને દૂર કરી શકાય છે. કેમકે રાગ અને જ્ઞાયકભાવ એક છે નહિ. આહા..હા...! આવી ઝીણી વસ્તુ છે. “શાથી?’ બેને ભિન્ન કરી શકાય છે. કેમ ? કે “સ્વનક્ષUાવતી’ “સ્વત્નક્ષUMવતા’ બન્નેના લક્ષણની વાત છે. બન્ને, હોં ! “સ્વત્નક્ષUવિત્ની સ્વ નામ બન્નેના પોતાના લક્ષણના બળથી. સ્વ એટલે એકલા આત્માનું નહિ. “સ્વનક્ષUવની બે દ્રવ્યના સ્વ – પોતાના લક્ષણની ભિન્નતાને કારણે. આહાહા..!
સ્વનક્ષUવિના “જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન...” રાગ. કર્મ તો જડ રજકણ છે, એનું કાંઈ નથી પણ આ રાગ લેવો). રાગનું લક્ષણ અચેતન છે, ભગવાનનું લક્ષણ ચેતન છે. જાણનાર તે આત્મા અને નહિ જાણનાર તે અચેતન – રાગ. બેના લક્ષણ ભિન્ન છે. “એવો જે ભેદ તેની....” “ના” “સહાયથી. તેના બળથી. એટલે કે તેની સહાયથી. આ જ્ઞાન સ્વરૂપ તે ચૈતન્ય, અચેતન સ્વરૂપ તે રાગ – એ જ્ઞાનના ચૈતન્યના પ્રકાશમાં રાગની એકતા નથી તેથી તે અચેતન છે, એના બળથી બે જુદા પાડી શકાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...મુદ્દાની રકમ આવી છે. આહા..હા..!
અહીં તો હજી બહારની તકરાર (કરે છે). વ્યવહાર વ્યવહાર વ્યવહાર... વ્યવહાર કોને હોય પણ ? જ્યાં નિશ્ચય સ્વરૂપનો અનુભવ હોય એ એમાં ઠરી શકે નહિ, ત્યારે અશુભથી બચવાને શુભ ભાવ હોય, પણ છે એ હેય અને બંધ. છે દુઃખ અને રાગ. આહાહા...! ભગવાન આત્માનો અનુભવ એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે અને રાગનો અનુભવ દુઃખ છે. બન્નેને તેના લક્ષણથી જુદા પાડી શકાય છે. એવું એનું સ્વરૂપ જ એવું છે, એમ કહે છે. “વની એટલે બેના લક્ષણના બળથી. પાઠ એમ છે ને ? “નક્ષપવિત્રી' બન્નેના લક્ષણના જોરથી, બન્નેના લક્ષણની ભિન્નતાથી, બન્નેના લક્ષણની સહાયતાથી બે જુદા પડી. શકે છે. આહા...! આજે તો બધું ઝીણું આવ્યું. કાલે એવું આવ્યું હતું. આ તો મોક્ષ અધિકાર’ છે ને ? મૂકાવું. મૂકાવુંમાં ભેદ પડે ને ?
પ્રશ્ન :- શેનાથી મૂકાવું ?
સમાધાન – દુઃખથી મૂકાવું. મોક્ષમાં અસ્તિ તરીકે આનંદ (છે), પણ મોક્ષ (શબ્દ) છે ને ? (એટલે) મૂકાવું – દુઃખથી મૂકાવું, રાગથી મૂકાવું. આહા...હા...!
મુમુક્ષુ :- જુદા પાડે નહિ, જુદા- જુદા જાણે. ઉત્તર :– જુદા છે તેને જુદા જાણે. બન્નેના જુદા લક્ષણના સહારાથી, બન્નેના જુદા લક્ષણના