________________
૪૮૮
કિલશામૃત ભાગ-૫
કરતાં કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવ, એનો જે અનાદિથી અનુભવ હતો તેને મિત્વા નામ છેદીને, તેને જુદા પાડીને. આ સમ્યગ્દર્શન પામવાની રીત (છે). આત્માનો અનુભવ થવાની આ રીત છે). આહાહા...! પોતારૂપ જાણીને અનુભવતો હતો...” મિત્વાની વ્યાખ્યા કરી. રાગનો વિકલ્પ ચાહે તો મહાવ્રતનો હોય કે ભગવાનના સ્મરણનો હોય પણ એ બધું પરદ્રવ્ય. આહા...હા..! જાણીને....” “fમત્વ' “સ્વામિત્વ છોડી દીધું.” “fમત્વની વ્યાખ્યા કરી. ધણીપતું છોડી દીધું. દયા, દાન, વ્રત આદિનો જે રાગ હતો એનું સ્વામિપણું છોડી દીધું. ધણીપતું અહીં ચૈતન્યમાં આવ્યું – હું ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ જ્ઞાયક ભાવ એક છું. ‘ક્ષિ' થયું ને ? એમાં આના ભાવનો અભાવ છે તેથી તેને જુદું પાડીને. આહા..હા....! છોડી દીધું.” સ્વામિત્વ છોડી દીધું એમ કીધું. આહા..હા..! રાગ રહે ખરો, પણ સ્વામિત્વ છોડી દીધું, ધણિપતું છૂટી ગયું.
આ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ (થાય) એ મારા છે અને જે એ ભાવથી આત્માને લાભ માને છે એનો અર્થ એ પોતાના જ માને છે. સમજાણું કાંઈ ? આ...હા...!
સ્વામિત્વ છોડી દીધું. મિત્વનો અર્થ કર્યો. મિત્વાનો અર્થ છોડી દીધું છે. પણ જે રાગનો અનુભવ હતો, તેનું ધણિપતું છૂટી ગયું અને અહીંયાં ચૈતન્ય શુદ્ધ સ્વરૂપનું સ્વામિપણું – ધણીપતું પ્રગટ્યું. એ હું અને એનો હું સ્વામિ છું. ૪૭મી સ્વસ્વામિસંબંધ શક્તિ છે ને ? આહા...હા..! મારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ (છે) તેનો હું સ્વામિ છું એ પણ હજી ભેદથી કથન તો એમ થાય ને ? પણ એ જ હું છું. આહા...હા...! આવી વાત છે.
કેવું છે પરદ્રવ્ય ?' એ પુણ્ય અને પાપના ભાવ જે મારાપણે અનુભવાતા હતા), સ્વામિ – ધણીપતે માનતો હતો, તે કેવા છે? “યત્ તુ મેનુમેં શવને જે કર્મરૂપ પરદ્રવ્યવસ્તુ...” “બેસુમ શક્યતે” “જીવથી ભિન્ન કરવાનું શક્ય છે.” એટલે કે દૂર કરી શકાય છે. આહા..હા..
એ તો બે વાત આવી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે સાંધ છે. એક નથી થયા, એણે માન્યું છે. શુભ રાગ અને ચૈતન્ય શુદ્ધ વસ્તુ – બે વચ્ચે સાંધ છે, સંધિ છે, તડ છે, એક નથી. કારણ કે એ બે તત્ત્વ છે. રાગ આસ્રવતત્ત્વ છે, ભગવાન જ્ઞાનતત્ત્વ છે. એટલે બે તત્ત્વ વચ્ચે, બેનું બેપણું રહેવામાં વચ્ચે સંધિ છે. સમજાણું કાંઈ ? આહાહા...! આવું આકરું લાગે એટલે માણસને (એમ કહે કે, સમ્યગ્દર્શનની ખબર ન પડે, ઝીણી વસ્તુ છે માટે વ્રત ને તપ કરો.
અહીં તો એ કહે છે, અનુભૂતિથી ખબર પડે છે. સમ્યગ્દર્શન – પ્રતિત પોતે સીધી ખબર ન પડે. સમજાણું કાંઈ ? પણ સાથે અનુભૂતિ છે, એનાથી અવિનાભાવી આનંદનો સ્વાદ છે (માટે) સમ્યગ્દર્શનની ખબર પડે છે. સમજાણું કાંઈ ? આહાહા...!
એટલે દૂર કરી શકાય છે. શું કીધું ઈ ? “યત્ તુ મેરૂમ શક્યતે” એ જુદા પાડી