________________
૪૮૬
કલશામૃત ભાગ-૫
આહા..હા...! તે જીવને આવા પરિણામ એટલે પર્યાય – ભાવ સંસ્કારવાળો હોય છે. ‘અહમ્ શુદ્ધ: ચિત્ અશ્મિ વ કેવા સંસ્કાર હોય છે ? કેવા અનુભવમાં એને પિરણિત શુદ્ધ ચૈતન્યની પરિણતિ પર્યાયમાં શું હોય છે ? હું...' શુદ્ધ ચિત્ અસ્મિ’હું તો ‘શુદ્ધ ચૈતન્યમાત્ર છું....’ ‘અસ્મિ’ આહા..હા...! સમ્યગ્દર્શનમાં અથવા શુદ્ધ સ્વરૂપના અનુભવમાં એમ પિરણામમાં થાય છે કે, હું શુદ્ધ ચિન્માત્ર છું). સમજાવવું છે તો કેમ સમજાવે ? હું શુદ્ધ ચિન્માત્ર છું એવો વિકલ્પ પણ નહિ. આહા..હા...! આ ધર્મની પહેલી શરૂઆત, મોક્ષમહેલની પહેલી સીઢી !
—
—
હું શુદ્ધ ચિન્માત્ર (છું). છે ! શુદ્ધ ચિત્ અસ્મિ” હું તો શુદ્ધ જ્ઞાન, પવિત્ર ભાવ, પૂર્ણ પવિત્ર ચિભાવ એ હું છું. ‘અસ્મિ” તે હું છું. આ પ્રથમ અનુભવના સંસ્કારની વાત છે. શબ્દ સંસ્કાર વાપર્યો છે. વાત એ છે કે) એ ભાવ ત્યાં રહે છે. શાકમાં જેમ સંસ્કાર નાખે છે ને ? એમ આ આત્મામાં અનુભવના સંસ્કાર હોય છે. આહા..હા....!
પ્રથમ સમ્યક્ અનુભવમાં શુદ્ધ ચૈતન્ય પવિત્ર વસ્તુ છે) તેના અનુભવમાં એના પરિણામના સંસ્કાર (પડે છે કે) હું તો શુદ્ધ ચિન્માત્ર અસ્મિ છું. આહા..હા...! અહીં અસ્તિથી વાત લીધી છે. નાસ્તિથી નથી લીધી. નહિતર હું રાગ નથી, આ નથી, આ નથી, આ નથી... એમ નહિ. આહા..હા...! હું એક આત્મા અંદર.. આહા..હા...! શુદ્ધ જ્ઞાન, આનંદ, વીતરાગ સ્વરૂપે હું છું. જ્ઞાન અસ્મિનો અર્થ એ છે. હું વીતરાગ ચિન્માત્ર, આનંદમાત્ર વસ્તુ છું. આહા..હા...! સમજાય છે કાંઈ ? આ એના સંસ્કાર છે.
શુદ્ધ ચૈતન્યમાત્ર છું.... ‘વ” ‘નિશ્ચયથી એવો જ છું.’ વ”નો અર્થ કર્યો. ખરેખર હું ત્રિકાળી જ્ઞાનપુંજ આનંદકંદ જિનસ્વરૂપી હું છું. આહા...હા...! બનારસીદાસ'માં એ કહ્યું હતું ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંતર જૈન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ જિન સ્વરૂપ (એટલે) જ્ઞાનસ્વરૂપ કહો, વીતરાગ સ્વરૂપ કહો, આનંદ સ્વરૂપ કહો, શાંત સ્વરૂપ કહો, અવિકારી સ્વરૂપ કહો, ધ્રુવ સ્વરૂપ કહો, સામાન્ય સ્વરૂપ કહો. આહા..હા...! સ્વચ્છ સ્વરૂપ કહો, ઈશ્વર સ્વરૂપ કહો... આહા..હા...! એ હું છું. એવો નિશ્ચય છે. છે ? નિશ્ચયથી એવો જ છું.' ખરેખર હું આવો જ છું. આહા..હા...!
વિમુદ્રાતિનિવિમાનમહિમા” ‘ચેતનાગુણ વડે...' ગુણ ત્રિકાળી. ચેતનનો ચેતના ગુણ, આત્માના ચેતના ગુણ વડે. છે ને ? ‘ચિહ્નિત કરી દીધેલી એવી છે...' ચેતના ગુણના લક્ષણથી – ચિહ્નથી દીધેલી એવી છે...” નિર્વિમહિમા' આહા..હા...! ચેતના સ્વરૂપમાં નિર્વિભાગ મહિમા. જેનો ભાગ નથી, જેમાં બેપણું નથી. એવો જેનો અંદ૨ મહિમા છે. આહા..હા...! ચિમુદ્રાતિ” ‘ચેતનાગુણ વડે...' મુદ્રાનો અર્થ એ કર્યો. ચિન્મુદ્રા ! એ મુદ્રા છાપ છે, એમ. ચેતન... ચેતન... ચેતન... ચૈતન્ય એની મુદ્રા છાપ છે. જેમ અનુભવની આનંદમુદ્રા છાપ છે. આહા..હા..! આવી વાત છે. એમ વસ્તુની ચિન્મુદ્રા છાપ છે. આ