________________
કળશ-૧૮૨
૪૮૫
૩) જે કર્મરૂપ પરદ્રવ્ય-વસ્તુ (ભેજું ગયતે) જીવથી ભિન્ન કરાવાને શક્ય છે એટલ કે દૂરી કરી શકાય છે. શાથી ? ‘સ્વતંક્ષળવનાત્’ (સ્વતંક્ષા) જીવનું લક્ષણ ચેતન, કર્મનું લક્ષણ અચેતન – એવો જે ભેદ તેની ‘વાત્’ સહાયથી. કેવો છું હું ? યદ્િ ારાળિ વા ધર્મા: વા મુળા: મિદ્યને મિદ્યનાં વિત્તિ ભાવે વ્યાવન મિવા ન' (દ્રિ) જો (વ્હારાળિ) આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં – એવા ભેદ (વા) અથવા (ધર્મ:) ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ ભેદબુદ્ધિ અથવા (મુળ:) જ્ઞાનગુણ, દર્શનગુણ, સુખગુણ ઇત્યાદિ અનંત ગુણરૂપ ભેદબુદ્ધિ (મિદ્યન્તે) આવા ભેદ વચન દ્વારા ઉપજાવ્યા થકા ઊપજે છે (તવા મિદ્યન્તાં) તો વચનમાત્ર ભેદ હો; પરંતુ તિ ભાવે) ચૈતન્યસત્તામાં તો (ાવન મિવા ન) કોઈ ભેદ નથી, નિર્વિકલ્પમાત્ર ચૈતન્ય વસ્તુનું સત્ત્વ છે. કેવો છે ચૈતન્યભાવ ? ‘વિૌ’ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. વળી કેવો છે ? વિશુદ્ધે' સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. ૩–૧૮૨.
પોષ સુદ ૩, બુધવાર તા. ૧૧-૦૧-૧૯૭૮. કળશ-૧૮૨, પ્રવચન-૧૯૯
‘કળશટીકા' ૧૮૨ કળશ છે. ૧૮૨ કળશ.
भित्वा सर्वमपि स्वलक्षणबलाद्भेत्तुं हि यच्छक्यते चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम् । भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति । । ३ -१८२ । ।
ભાવાર્થ, પહેલેથી ભાવાર્થ કરે છે. ભાવાર્થ આમ છે કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે...' જેને સમ્યગ્દર્શન થાય છે એટલે કે જેને એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ધ્રુવ શુદ્ધ સ્વરૂપનો સન્મુખ થઈને, એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈને જ્યાં અંતરનો અનુભવ સમ્યગ્દર્શન (થાય છે), અનુભવ એટલે શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુસરીને પરિણિતમાં આનંદનું અને શાંતિનું વેદન થવું એનું નામ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. એકદમ ઝીણી વાત તો છે. મોક્ષ અધિકાર’ છે ને ?
શુદ્ધસ્વરૂપનો અનુભવ હોય છે તે જીવ આવા પરિણામસંસ્કારવાળો હોય છે.’