________________
૪૮૨
કિલશામૃત ભાગ-૫
છે ને આમ છે ને આમ છે ત્યાં સુધી વિકલ્પ હતો. આ વિકલ્પ નથી. આહા..હા....! પહેલો વિકલ્પ તો આવે ને ? ઈ આવે જ પહેલો. આ આત્મા છે, આ રાગ છે એવો ભેદવિકલ્પ આવ્યા વિના એકદમ તો થાય નહિ. છતાં વિકલ્પથી થાય નહિ. આહા..હા...!
પ્રશ્ન :- ભેદજ્ઞાન અભ્યાસ ચાલે છે ?
સમાધાન :- એક અપેક્ષાએ અહીં વિકલ્પ ગણ્યો છે. બધા ભેદજ્ઞાન વિકલ્પ છે) એમ નથી. જયસેનાચાર્યદેવની ટીકામાં ભેદજ્ઞાનને અભેદજ્ઞાન કીધું છે. અહીંયાં આ અપેક્ષા લીધી છે. સાધક આમ વિચારે છે ને ? એટલે ગ્રાહ્યગ્રાહક (કહ્યું). આ જાણવા લાયક છે, ગ્રહવા લાયક છે. ગ્રહનાર હું છું, ગ્રહવા લાયક દ્રવ્ય છે, ગ્રહનાર હું છું એવો ભેદવિકલ્પ આવે છે એ શૈલી લીધી). તેથી ટીકામાં બનારસીદાસે આ ભેદને વિકલ્પ ગણ્યો. આના (શ્લોકમાં) વિકલ્પ ગણ્યો છે. બાકી “જયસેનાચાર્યદેવમાં ભેદજ્ઞાન એટલે અભેદજ્ઞાન લીધું છે. પરથી જુદો પડ્યો એ આમાં અભેદ થઈ ગયો. ત્યાં એમ લીધું છે. આહાહા...જ્યાં જ્યાં જે પ્રકારે અપેક્ષા હોય તે જાણવું જોઈએ ને ?'
પ્રશ્ન :- જ્યાં ભેદજ્ઞાન થાય છે ત્યાં તો નિર્વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે ?
સમાધાન :- ભેદજ્ઞાનમાં પહેલા આટલો વિકલ્પ આવે છે ને ? ઈ. એવા ભેદજ્ઞાનને અહીં લીધું છે. ખરું ભેદજ્ઞાન તો અંદરથી જુદો પડીને આમ ઠરે એનું નામ ભેદજ્ઞાન છે). તેથી કહ્યું ને કે, જયસેનાચાર્યદેવમાં તો એ લીધું, ભેદજ્ઞાનરૂપી અભેદ. એમ લીધું છે. આહા..હા...! આ તો સાધકને શરૂઆતની પહેલી દિશામાં આવો ભાવ આવે. જાણનારો હું, જણાય આ, બંધ રાગ એ પર (છે), એવો વિકલ્પ આવે. છતાં એ વિકલ્પની ભૂમિકા છે) તે અનુભવની ભૂમિકા નથી. સમજાણું કાંઈ ? આજે થોડો ઝીણો વિષય આવી ગયો.
પ્રશ્ન :- વિકલ્પ પુરુષાર્થ થવામાં મદદ તો કરે ને ?
સમાધાન :- જરીયે નહિ. રાગ જરીયે મદદ કરે નહિ. તેથી અહીં કહ્યું ને ? એકદમ કાઢી નાખ્યું.
મુમુક્ષુ :- રાગ તો ન કરે પણ મંદ રાગ તો મદદ કરે.
ઉત્તર :– મંદ રાગ બિલકુલ મદદ કરે નહિ. સીધો નિરપેક્ષ, રાગ વિનાની આ વાત છે. છેલ્લા બોલની આ વાત છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરપેક્ષ છે. રાગ ને નિમિત્ત ને દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્તની અપેક્ષા નથી. આવું છે.
મુમુક્ષુ :- માનસિક જ્ઞાન મદદ ન કરે તો રાગ કયાં મદદ કરે. ઉત્તર :- માનસિક જ્ઞાન પણ રાગવાળું (છે). આહાહા...!
વાહ ! અહીં માથે કહ્યું હતું ને ? વૈતન્યપૂરે આત્માને ર્વતી’ એમ હતું. ચૈતન્યપૂરમાં આત્માને મગ્ન કરવો. આત્મા એટલે ? એ તો પર્યાય પોતાની છે ને ઈ. આત્માની પર્યાયને ચૈતન્યપૂરમાં મગ્ન કરવી અને અજ્ઞાનભાવને બંધમાં સાધવી. એ તો ત્યાં સધાય