________________
કળશ-૧૭૯
૩૯૭ ભાવ. એ વસ્તુ તો વસ્તુ તરીકે છે, એ વસ્તુ ભાવમાં ઉલ્લસી. પર્યાયમાં ઉલ્લસી. આહા..હા...! જે શક્તિરૂપ અને સ્વભાવરૂપ તો છે, દ્રવ્ય સ્વરૂપે તો છે પણ તેનો આશ્રય કરીને પર્યાય તરીકે આખો ભાવ ઉલ્લસી પ્રગટ થયો. એનું નામ મોક્ષ અને મોક્ષનો માર્ગ. આહા...હા...! જેટલે પ્રકારે બહાર ઉલ્લસીને ભાવ આવ્યો એટલા પ્રકારે રાગના બંધના સંબંધનો અભાવ કર્યો અને અબંધ પરિણામને પ્રગટ કર્યા. આહા...હા...! આવી વાત છે. છેલ્લી એ વાત કરી, જોયું ને ?
(મથુના) (એટલે) હવે, એમ. છે તો છે પણ એ તો શક્તિરૂપ છે, સ્વભાવરૂપ છે, વસ્તુરૂપ છે, પણ છે અને પર્યાયમાં શી રીતે લાવવો ? આહા..હા..! વસ્તુ તરીકે પ્રગટ છે. એને પર્યાય તરીકે પ્રગટ શી રીતે લાવવો ? વસ્તુ તરીકે છે એનો જેટલો આશ્રય લીધો તેટલો પર્યાયમાં ઉલ્લસીને ભાવ પ્રગટ થયો અને તેટલા પ્રમાણમાં રાગનો સંબંધ અને બંધ તૂટી ગયો. પૂર્ણ આશ્રય જ્યાં કર્યો તો પૂર્ણ વસ્તુ છે તેનો) પૂર્ણ આશ્રય કર્યો તો પૂર્ણ પર્યાય પ્રગટ થઈ અને બંધનો અભાવ થયો. આહા..હા..! સમજાણું કાંઈ આમાં ? બહુ
(પુના) ધંધુ' એટલે હવે, એમ. તોપણ “ધુનો અર્થ કર્યો તોપણ. વસ્તુ તો વસ્તુ છે, ભગવાન અનાદિ જ્ઞાયકભાવ પણ તેનું અવલંબન લઈને પર્યાયમાં એ વસ્તુનો જેવો સ્વભાવ હતો એવો પર્યાયમાં પૂર્ણ પ્રગટ થયો. એ વખતે પૂર્ણ રાગાદિનો સંબંધ છૂટી ગયો. બંધનો અભાવ અને અબંધના પરિણામની પૂર્ણતા. અબંધ સ્વભાવ, અબંધ સ્વભાવને આશ્રયે અબંધ પરિણામનું પ્રગટવું અને તેને કર્મના સંબંધના બંધનો અભાવ થવો એક સમયે છે.
મુમુક્ષુ :- આખો દરિયો ઉછળ્યો ! ઉત્તર :- આખો દરિયો ઉછળ્યો !! પ્રશ્ન :- આખું દ્રવ્ય પર્યાયમાં આવી ગયું ?
સમાધાન :- દ્રવ્યની શક્તિ છે એ પર્યાયમાં આવી, પ્રગટ થઈ. અંદર પૂર્ણ જ્ઞાન છે તો પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું. અનંત આનંદ છે તો પર્યાયમાં અનંત પ્રગટ થયો. ત્યાં તો પાછું છે એમ છે. ત્યાં અંદર તો છે એમ છે. અનંત આનંદ પ્રગટ થયો છતાં એ વસ્તુ તો અનંત આનંદ સ્વરૂપ છે ઈ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વાતું છે.
જેવું દ્રવ્યનું શક્તિરૂપ, સ્વભાવરૂપ સત્ છે, દ્રવ્ય સત્ છે એનું જેટલું પૂર્ણ સત્ત્વ છે એનો પૂર્ણ આશ્રય લેતાં પર્યાયમાં સન્ના સત્ત્વની પૂર્ણ દશા પ્રગટ થાય છે અને એ પ્રગટ થતાં બંધનો અભાવ થાય છે. કહો, સમજાય છે કાંઈ ? આહા...હા...! કેટલો પુરુષાર્થ છે ! એમ કહે છે. શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ કરવી (એ પુરુષાર્થ માગે છે). શક્તિ – સામર્થ્ય છે ખરું, પણ એને પર્યાયમાં પ્રગટ કરવી (એમાં) અનંતો પુરુષાર્થ છે. આહાહા...! જ્યાં પૂર્ણ છે ત્યાં પર્યાયને વાળી અને પર્યાયમાં પૂર્ણ દશા પ્રગટ કરવી તે વખતે પૂર્ણ બંધનો