________________
કળશ-૧૮૦
૪૧૫
પરિણમે, તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે – જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-૫ગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહનરાગ-દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે તે જ્ઞાનગુણ, તે મોક્ષનું કારણ છે. તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશય હોય છે, સંદેહ નથી, અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી, તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે, તેથી તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ એમ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિત્તવન કરવું કે બંધ ક્યારે છૂટશે, કઈ રીતે છૂટશે એવી ચિન્તા મોક્ષનું કારણ છે. આવું કહે છે જે જીવો તે જૂઠા છે – મિથ્યાષ્ટિ છે. મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છે –
યં પ્રજ્ઞાછેત્રી માત્મમયસ્થ મન્ત:સન્જિવળે નિયતિ (ય) વસ્તસ્વરૂપે પ્રગટ છે જે (પ્રજ્ઞા) પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે (છત્રી છીણી. ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે; અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહિ. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીતે કહે છે – (ાત્મિમણ્ય) આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ-પુગલનો પિંડ અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ, – એવી છે બે વસ્તુઓ, તેમનો (કન્ત:સ) અન્તઃસન્ધિવાળો-જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે, બંધપર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે, નિઃસન્ધિ થયેલ નથી, બે દ્રવ્યોનું એક દ્રવ્યરૂપ થયું નથી, એવો છે જે – (વચ્ચે) બંધ અર્થાતુ જ્ઞાન છીણી પેસવાનું સ્થાન, તેમાં નિયત્તિ) જ્ઞાનછીણી પેસે છે. પેઠી થકી છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવી છે પ્રજ્ઞાછીણી ? “શિત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં. મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે. ભાવાર્થ આમ છે કે – જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે તોપણ સંધિ વિચારીને દેવાથી મારવાથી) છેદીને બે કરે છે, તેવી રીતે, જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ, તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે છે, પછી સકળ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત્ છેદીને ભિન્ન ભિન્ન કરે છે. કેવો છે