________________
કળશ-૧૮૧
૪૪૧
વસ્તુ ભિન્ન છે, અને તારી ચીજ
આનંદનું દળ અને એક કો૨ વિકારના દુઃખનો ભાવ, પ્રભુ ! બે ચીજ હોં ! આહા..હા...! એ શુભ રાગ – દયા, દાન, વ્રતનો રાગ દુઃખરૂપ છે તે પ્રભુ ! અતીન્દ્રિય આનંદમય દ્રવ્ય છે, તો એ બે દ્રવ્ય ભિન્ન છે. આહા..હા...! અરે...! ભગવાનની વાણી કેવી નીકળતી હશે ? ત્રિલોકનાથ પરમાત્મા ! આહા..હા...! એની દિવ્યધ્વનિ કેવી હશે !! આહા..હા...! જેણે ચક્રવર્તીઓ, ઇન્દ્રો, ચાર જ્ઞાનના ધણી ગણધરો પણ આમ સાંભળવાની લાલસાએ સાંભળે ! આહા...હા...!
શું કીધું ! એવો છે જે...’ કેવો ? બંધ અર્થાત્ પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન,...’ છે. આહા..હા...! એટલે ? કે, રાગ અને ભગવાન બે ભિન્ન દ્રવ્ય છે. માટે તે જ્ઞાનની પર્યાયને આ બાજુ વાળવાની ત્યાં સંધિ છે. આહા..હા...! એ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! (અહીંયાં) ચેતના લીધું, ચેતનાસ્વરૂપ અને રાગની બેની ભિન્નતા છે), બે દ્રવ્ય ભિન્ન છે. ભિન્ન છે માટે સાંધ છે (અને) સાંધ છે માટે ચેતનાની પર્યાય આ બાજુ વાળી શકાય છે. કેમકે બેની વચ્ચે સાંધ છે. આહા..હા...! આ..હા..હા...! સમજાણું કાંઈ ?
પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન...' છે. એટલે શું ? કે, જ્ઞાનની પર્યાય જ્ઞાન અને રાગ બે ભિન્ન છે, બે ભિન્ન દ્રવ્ય છે, બે (વચ્ચે) સાંધ છે તેથી તે જ્ઞાનના ગુણની વર્તમાન પર્યાયને આમ વાળી શકાય છે. કારણ કે બે જુદા છે માટે. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...! પ્રજ્ઞાછીણી પેસવાનું સ્થાન...' છે. આહા..હા...!
તેમાં પ્રજ્ઞાછીણી પેસે છે,..' આહા..હા...! એ પ્રજ્ઞા નામ જ્ઞાનનો અનુભવ. એ અનુભવ કીધો છે ને ? પ્રજ્ઞા એટલે જ્ઞાનનો અનુભવ. એ અનુભવ થઈ શકે છે, કહે છે. કેમકે રાગ અને પ્રજ્ઞા ચેતના વસ્તુ ભિન્ન હોવાથી તેનો અનુભવ થઈ શકે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? વાત તો આકરી છે બાપુ ! પણ માર્ગ તો આ છે. વસ્તુ તો આ રીતે છે. આહા..હા...!
-
‘કેવી છે પ્રજ્ઞાછીણી ?” “શિતા” કહે છે કે, પ્રજ્ઞાછીણી રાગ અને આ ચેતનાને ભિન્ન પાડવાની ત્યાં સંધિ છે, સંધિ છે જ. એને ભિન્ન પાડવાની પ્રજ્ઞાછીણી શિતા' છે. શિતા’ એટલે ? ‘જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં, મિથ્યાત્વકર્મનો નાશ થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે.’ શિતા” એટલે તીખી છે, એમ કહે છે. આહા..હા...! એ જ્ઞાનછીણી તીખી છે. જેમ લોઢાની છીણી અણીદાર હોય, અણી કાઢેલી ઘસીને તૈયાર હોય, આમ મારે તો તોડી નાખે, એમ પ્રજ્ઞાછીણી તીખી છે. આહા..હા...! તેથી રાગથી ભિન્ન પાડવાને પ્રજ્ઞાછીણીનું સામર્થ્ય છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
“શિતા પેસવાને અત્યંત સમર્થ છે.' મૂળ તીખી છે એમ કહેવું છે. શિતાનો અર્થ તીખાશ, તીખી છે. શિતા”નો અર્થ આવે છે તીખી. આ..હા...! તીખી છે એટલે સમજાણું ? તીક્ષ્ણ. ઝીણી, તીક્ષ્ણ ! જ્ઞાન અને રાગની વચ્ચે સંધિ છે તેથી તે પ્રજ્ઞાછીણી
-