________________
૪પ૦
કિલશામૃત ભાગ-૫ એના પુણ્યના ફળ મળે. અહીંથી કાંઈ ન મળે. સમજાણું કાંઈ ? ત્યાંને ત્યાં તારામાં બધું પડ્યું છે. એવી આ શૈલી (આવી છે) ! એનો જે શુભ રાગ (થાય), હા પાડે એની તો બલિહારી છે પણ એ શુભરાગમાં પણ એ સાંભળે એમાં પણ એવું પુણ્ય બંધાય કે એને ભવિષ્યમાં તીર્થકર અને વાણીનો જોગ જ મળે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ એના કારણને લઈને થયું છે. આને લઈને નથી કે આને લઈને અહીં થયું. ચાપડીમાં કાંઈક છે ને પૈસા થઈ જાય છે એવું નથી).
મુમુક્ષુ – નિમિત્ત તો આપ છો ને !
ઉત્તર :- નિમિત્ત કરતું નથી ને ! પણ નિમિત્તનો અર્થ જ એ કર્યો છે, દિગંબરના એક વિદ્વાને) બે અર્થ બહુ સારા કર્યા છે અને હમણાં ત્રીજો આ કર્યો, એને “મુંબઈ બોલાવ્યા.... શું કહેવાય ઈ ? ભુલેશ્વર ! કાગળ લખ્યો કે, અમારે મોસમ છે તમે પધારો. (ત્યાં તેમણે કહ્યું કે, “પહેલી વાત છે કે, “કાનજીસ્વામીનો જે સાધુઓએ વિરોધ કર્યો છે એનો હું વિરોધ કરીશ અને જે અગ્રેસરોએ એની ભેગી હા પાડી છે એનો હું વિરોધ કરીશ તો હું ત્યાં આવું” એટલી હિંમત ! બાપુ ! આ તો સત્ય છે, પ્રભુ ! આ કોઈ વાડાની વાત નથી. આહા..હા.! ભાઈ ! તારા અંતરની વાતું છે, નાથ !
આહા..હા..! અંતર અમૃતનો સાગર ઘોળાય છે ને નાથ ! એ રાગથી ભિન્ન પ્રભુ અંદર બિરાજે છે. આહા..હા...! આ..હા..હા...! સકરકંદ જેમ છાલથી ભિન્ન સકરકંદ પડ્યો છે. લાલ છાલ. સકરકંદ સમજતે હૈ ? સકરકંદ નહીં આતા ? ઉપર લાલ છાલ હોતી હૈ ન ? ઉસ લાલ છાલ કો ન દેખે તો અંદર સકરકંદ હૈ (અર્થાતુ) સાકરનો પિંડ (છે). સકરકંદ એટલે સાકરની મીઠાશનો પિંડ આખો, સકરકંદ ! એમ ભગવાન લાલ છાલ નામ શુભરાગ છે અને ભગવાન તો અતીન્દ્રિય આનંદનો કંદ છે. એને પહેલાં બુદ્ધિપૂર્વક ભેદીને. છેદીને એમ કીધું છે. આમ તો ભિન્ન જ છે પણ (એક) માન્યું છે માટે છેદીને કીધું છે. શું કીધું ઈ ? રાગ અને ભગવાનસ્વરૂપ બે ભિન્ન જ છે. બે વચ્ચે સાંધ છે એટલે છે તો જુદા, છતાં છેદીને કેમ કહ્યું કે, એણે (એક) માન્યું છે ને ? એક માન્યું છે તેને છેદીને. સમજાણું કાંઈ ? આ..હા...હા..હા..!
એને માન – બહુમાન આપતાં રાગની તુચ્છતા જણાતાં એ જાગ્યા વિના ન રહે, પ્રભુ ! આહાહા...! એવો એ ભગવાન આત્મા પછી પણ કહે છે, અશુદ્ધતાના ભાવને સાક્ષાત્, છેદીને (અર્થાતુ) બિલકુલ છેદીને... આહા...હા...! ભિન્ન ભિન્ન કરે છે. આહા...હા...! થોડા શબ્દોમાં કેટલું મૂક્યું છે ! આ...હા..! શાંતિથી, ધીરજથી પહેલું એણે શ્રવણ કરવું જોઈએ અને એના હિતની વાત છે ને નાથ ! બહાર કોઈ શરણ નથી, શરણ તો પ્રભુ અંદર આત્મા છે. આ તો એમાં લઈ જવાની વાત છે, પ્રભુ ! આહા..હા..!
એક ફેરી પ્રશ્ન થયો હતો. ‘અમરેલી (સંવત) ૧૯૮૬નું ચોમાસુ હતું ને ? (એક જણાએ)