________________
કળશ-૧૮૧
૪૪૯
(પછી) અંતર્મુહૂર્તની રમતું છે. ત્યાં બુદ્ધિગમ્ય નથી, ત્યાં તો અંતરના અનુભવગમ્યમાં પડ્યો છે. આહા...હા...! થોડું પણ સત્ય આ છે. લાંબી ઘણી બધી વાતું કરે ને આ કરો ને આ કરો. કરવાનું જ્યાં આવશે ત્યાં રાગ થશે અને રાગનું કર્તવ્ય તો મિથ્યાત્વ છે. આહા...હા...! રાગનું કર્તવ્ય મારું છે એ તો મિથ્યાત્વ ભાવ છે. હા, રાગથી ભિન્ન પાડવાનું કર્તવ્ય મારું છે તે સમ્યગ્દર્શન છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આહા...હા..! ધન્ય ભાગ્ય ! આ.હા..! આવો માર્ગ શાસ્ત્રમાં સ્પષ્ટ રહી ગયો ! મુમુક્ષુ :- રહી ગયો અને સાંભળવા મળ્યો.
ઉત્તર :- મળ્યો એની વાતું તો અત્યારે કેમ કરીએ ? પણ હવે... આહા..હા..! આહા..હા..! પ્રભુ તો રહી ગયા મહાવિદેહમાં.. આહા..હા..! એનો આ માર્ગ છે. આહા...હા...! ભગવાને એમ કહ્યું હતું, ભગવાને એમ કહ્યું છે એ જ વાત આ છે. પહેલાં પ્રભુને (–નિજાત્માને) ઓળખી ચૈતન્ય સ્વરૂપ છે તેને બુદ્ધિગમ્યમાં લઈ અને રાગથી ભિન્ન પડીને તેને – એકતાને છેદી નાખ. આહા...હા.! એક છે નહિ, માન્યું છે એક એને છેદ, એમ કહે છે. મિથ્યાત્વની માન્યતા છે ને ? એક છે એમ એ માન્યતા છે. આહાહા....! એ માન્યતાને છેદ અને એક નથી તેમ તને થઈ જશે. આહા..હા...!
ચૈતન્યચોસલું ભગવાન ! આનંદનું ધામ ભવગાન ચોસલું ભિન્ન પડી જશે, રાગ ભિન્ન રહી જશે. પહેલાંમાં પહેલું આ કરવાનું છે. આહા...હા...! અરે.રે...! આવી વાત સાંભળવા ન મળે એ શું કરે ? ક્યાં કરે ? અને માંડ અંદરથી વાત બહાર આવી ત્યારે અનાદર કરે. આહા...હા..!
અહીંયાં બુદ્ધિગમ્ય અને એની સાથે સાક્ષાત્ બે શબ્દ વાપર્યા છે. પછી તો સાક્ષાત્ છેદીને.... કર્મનો ક્ષય થાય છે એમ લેવું. પણ અહીં પહેલો કર્મનો ક્ષય શબ્દ વાપર્યો છે. કર્મ એટલે અશુદ્ધ ભાવનો ક્ષય થવાથી એમ લ્યો. એ કર્મ છે ને ? આહા...હા...! સકળ અશુદ્ધતાનો ક્ષય થવાથી “સાક્ષાત છેદીને..” આહા..હા...! “ભિન્ન ભિન્ન કરે છે. આહા..હા..! ત્યારે ભિન્ન ભિન્ન થઈ જાય છે, બે જુદા પડી જાય છે. એકલો ધ્રુવ આત્મા રહે છે, અશુદ્ધતા ને રાગનો નાશ થઈ જાય છે. આહા..હા..! પહેલેથી તે ઠેઠ સુધીની સંધિ બતાવી. આગળ કહેશે, એ બધું કામ એક સમયમાં થાય છે. જેને એકદમ કરવું છે ને (એને). બુદ્ધિગમ્ય ઉપયોગ કામ કરે અસંખ્ય સમયે, પણ કામ ત્યાં થાય છે એક સમયમાં. આહા...હા.! સમજાણું કાંઈ ?
આવું સાંભળવામાં પણ જે શુભ ભાવ થાય એ પુણ્ય બીજી જાતના છે. ઘણા એવું કહે છે ને કે, એમની પાસે લાકડી છે તો એનાથી પૈસા થાય છે. બાપુ ! આ લાકડી નથી, અહીં તો ચૈતન્યની વાતું છે ! આવી વાત સાંભળતાં એને શુભભાવનું એટલું પુણ્ય બંધાય. આહા..હા...! કલાક કલાક ધ્યાનમાં રાખે તો એને શુભ એવું બંધાય, ત્યારે એને