________________
૪૧૪
કિલશામૃત ભાગ-૫ ભેદ અનુભવવો, સમયે સમયે વિકલ્પથી ભિન્ન) પાડવું એમ નહિ, સમયે સમયે અનુભવવું. આખું પૂર્ણ છેદવું છે ને ? એટલે કહ્યું છે. વારંવાર અનુભવનો અર્થ એના તરફ ઢળતાં ઢળતાં અનુભવ તો થયો પણ હવે વારંવાર અનુભવ કરતાં બંધ છૂટી જાય છે, એમ કહેવું છે. પૂર્ણ બંધ છૂટી જાય છે. મોક્ષ લેવો છે ને ? સમજાણું કાંઈ ? આહાહા....
અનુભવથી છૂટો તો પડ્યો એક સમયે, પણ હવે હજી અસ્થિરતા બાકી છે ને ? એને છોડીને મુક્તિ કરવી છે ને ? એટલે વારંવાર અનુભવમાં જતાં એ મુક્ત થઈ જાય છે. એમ. આહા...હા....! અંતર્મુહૂર્તમાં બધું થઈ જાય છે). આહા...હા....! છ માસ જ્યાં લખ્યું છે ત્યાં એમ લખ્યું છે કે, જઘન્ય અંતર્મુહૂર્ત. પણ બહુ આકરું લાગે માટે છ માસ લીધા છે. અર્થમાં લખ્યું છે. છે, ખબર છે. આહા...હા...!
“ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છેઅહીં મોક્ષની વાત છે ને ? તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. એમ. એક જ કાળે, એક સમયે તે જુદો પડ્યો તે જ સમયે કંઈ મોક્ષ થતો નથી. (એક) સમયમાં જુદો પડ્યો એ જ સમયે કંઈ મુક્તિ થતી નથી. જુદો પડ્યો પછી વારંવાર તે તરફ અનુભવ કરતાં કરતાં છૂટો પડી જાય છે, તદ્દન બંધથી રહિત થઈ જાય છે. મુક્તિ !
મુમુક્ષુ :- બારમે ગુણસ્થાને ભેદજ્ઞાન...
પૂજ્ય ગુરુદેવશ્રી – ઈ બારમે છે, ચાલે. ત્યાં અંદર અબુદ્ધિપૂર્વક નથી. એ ૧૮૦ (કળશ પૂરો થયો). હવે, ૧૮૧ (કળશ) મોટો (છે), બે પાના ભર્યા છે.
(સ્ત્રીધરા)
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंदःस्थिरविशदलद्धाम्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितभितः कुर्वती भिन्नभिन्नौ ।।२-१८१ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ભાવાર્થ આમ છે કે – જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુગલદ્રવ્યનો પિડે, તે બંનેનો એકબંધ પર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે – અનંત ચતુષ્ટયરૂપ