________________
૪૩૬
કિલશામૃત ભાગ-૫ ભાવ, એ અશુદ્ધ પરિણતિ, મલિન પર્યાય (છે). આહાહા..! એવી છે બે વસ્તુઓ દેખો ! આહા...હા...! એક કોર ચેતન ઉપયોગરૂપ વસ્તુ, એક કોર રાગરૂપી મલિન પરિણામરૂપી વસ્તુ (એમ) બે વસ્તુ છે. બે એક છે નહિ, બે એક થઈ નથી. સમજાણું કાંઈ ? આહા..હા..! બે વસ્તુઓ....” (કહ્યું છે). જોયું? “સંવર અધિકારમાં એમ કહ્યું છે કે, આત્મા અને વિકાર – બે વસ્તુ છે. બે વસ્તુ છે એમ કીધું છે. અહીંયાં આ લીધું – બે વસ્તુ છે. કારણ કે, શુભભાવ પુણ્યતત્ત્વ છે. એ તત્ત્વ છે – પુણ્ય તત્ત્વ છે, એ વસ્તુ છે. અને આત્મા ચેતનામાત્ર એક વસ્તુ છે. એમ કરીને ઈ બે વસ્તુઓ છે. આહા...હા...!
બે વસ્તુઓ, તેમનો અન્તઃસંધિવાળો.... બે છે ને ? માટે અન્તઃસંધિવાળો જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે,” કર્મ અને ભાવકર્મ એકક્ષેત્રાવગાહે (છે). એક ક્ષેત્ર એટલે આકાશનું એક ક્ષેત્ર). અહીં એક ક્ષેત્ર એટલે આકાશ લેવું. આહા...હા...! આકાશના એકક્ષેત્રાવગાહ રૂપે છે. શું ? આત્મા ચેતના વસ્તુ અને પુણ્યના પરિણામ – શુભજોગ, એનું આકાશપણે (આકાશના ક્ષેત્રની અપેક્ષાએ) એક ક્ષેત્ર છે. જે આકાશના પ્રદેશમાં શુદ્ધ ચેતના છે તે જ પ્રદેશમાં વિકાર છે. પણ પોતાના પ્રદેશમાં જોઈએ તો તેના પ્રદેશ ભિન્ન છે. આહા...હા...! આવું છે. અરે! તકરાર શેની ? પ્રભુ ! તું કોણ છો અંદર ?
એક સમયની કૃત્રિમ વસ્તુની સાથે નિત્ય તદાજ્ય તો નથી પણ અનિત્યદામ્ય પણ નથી, એમ અહીં તો કહે છે. એ વસ્તુ જ ભિન્ન છે, એમ કહે છે. આહાહા..! નહિતર પર્યાય છે એટલે અનિત્યતદાભ્ય (સંબંધ છે). અનિત્યદાભ્યનું ક્ષેત્ર અને ભાવ નિત્યદામ્ય સ્વભાવથી ભિન્ન એના ક્ષેત્ર અને ભાવને ગયું છે. આહા..હા..! સમજાય છે ? આહા...હા...! આ સમજવાની ચીજ છે, ભાઈ ! માર્ગ પ્રભુનો... આ...હા...હા...! એવી વાત મળવી કઠણ પડી ગઈ, સાંભળવી (કઠણ પડી ગઈ), અંદર ભિન્ન પાડવું તો કઠણ પડી ગયું પણ સાંભળવું પણ કઠણ પડી ગયું). આહાહા..! અરે...! ભગવાન !
એ એકક્ષેત્રાવગાહરૂપ છે....” અન્તઃસંધિ ! અહીં પાછી સંધિ કહેવી છે ને ? બંધાર્યાયરૂપ છે, અશુદ્ધત્વ-વિકારરૂપ પરિણમેલ છે” અશુદ્ધ વિકારરૂપ પરિણમેલ છે તોપણ પરસ્પર સંધિ છે,...” આહા..હા..! એ વિકારના શુભભાવ અને ચેતના સ્વરૂપ ભગવાનની વચમાં સાંધ છે. તડ... તડ કહે છે ને ? વચ્ચે સાંધ છે. બે એક નથી. બે કીધા ત્યાં એક ક્યાંથી હોય ? આહા..હા..! બે છે એટલે બે કહેતાં જ વચ્ચે સાંધ છે. બે એક થયા નથી. દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય છે, ચેતનાપ્રભુ ! એમાં મલિન પરિણામ થયા જ નથી. આહા...હા...! ચેતના જાણન-દેખનાર ઉપયોગ સ્વરૂપ ! ઉપયોગમાં ઉપયોગ છે આવે છે ને ઈ ? “સંવર અધિકાર ! ઈ વાત અહીં ત્યે છે. આહા...હા...! ‘ઉપયોગમાં ઉપયોગ છે શુદ્ધ સ્વભાવમાં આત્મા છે. અશુદ્ધ ભાવમાં વસ્તુને, પ્રદેશને ભિન્ન ગણીને ભાવને (ભિન્ન ગણીને) વસ્તુને બીજી કીધી. આ એક, આ બીજી (એમ). આહા..હા....! અને નવ તત્ત્વમાં પણ એમ કહ્યું