________________
કળશ-૧૮૧
૪૨૯
મસાત્' છે અંદર ? કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – ભિન્ન ભિન્ન કરે છે ? ઉત્તર આમ છે – અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે...” ત્યો, અંદર પ્રશ્ન છે. પેલી કોરની પાંચમી લીટી. કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – “કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે...” લ્યો ! એ જ શબ્દ છે. છે ? એક જ સમય છે.
પ્રશ્ન :- પહેલા ભાવના કરી ને ? સમાધાન :- એ બધા વિકલ્પ છે). આહા...હા...! પ્રશ્ન :- એકલો વિકલ્પ કે આત્માનું જોર ?
સમાધાન :- વિકલ્પ નહિ, એકલું આત્માનું જોર. વિકલ્પ જરીયે નહિ. વિકલ્પનો સહારો જરીયે નહિ. ઈ તો પહેલી વાત આવી ગઈ. શુદ્ધ અનુભવમાં શુદ્ધ પરિણમન અને શુદ્ધ પરિણમનમાં શુદ્ધ અનુભવ છે). અશુદ્ધતાનો અંશ એમાં જરીયે નહિ. આ..હા...હા..હા...! છે ને ? સામે પાઠ છે કે નહિ ? આ કંઈ ઘરનો અર્થ ચાલે છે? આ..હા...! આ ક્યારનું લખેલું છે ? અહીંનું – “સોનગઢનું છે આ ? આહાહા..!
મુમુક્ષુ :- “સોનગઢમાં છાપ્યું છે ને !
ઉત્તર :- છાપે, ગમે ત્યાંથી છાપે, એમાં શું થઈ ગયું ? હીરો ગમે તે ઘરે હોય પણ હીરો તો હીરો જ છે. ઢેઢને ઘરે હોય તોપણ હીરો છે, એમાં શું? ઘર બદલ્યું માટે હીરાની કિંમત ગઈ ? છાપે ગમે ત્યાં ? “ભાવનગર' છાપે, “સોનગઢ' છાપે, “મુંબઈ' છાપે, જયપુર છાપે. આ...હા...! આવો માર્ગ છે.
મુમુક્ષુ :- અનુભવ તો એક જ સમયે હોય “કૃપાળુદેવ'માં કહે છે...
ઉત્તર :- એક જ સમય. આહા..હા..! આવું કામ છે. બહુ સરસ ! ગાથા બહુ સારી આવી ! આહા...હા..!
શું કીધું? હવે, પ્રજ્ઞા કોને કહેવી ? “આત્માના શુદ્ધ સ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે જ છે.” પ્રજ્ઞા અને તે જ છે છીણી.” જોયું ? આત્માનો અનુભવ કરવો તે પ્રજ્ઞાછીણી છે. આ..હા...હા..હા...! છે ? આત્માના પવિત્ર – શુદ્ધ સ્વરૂપનો અનુભવસમર્થપણએ પરિણમેલો જીવનો જ્ઞાનગુણ, તે છે પ્રજ્ઞા અને તે છે છીણી. પ્રજ્ઞાછીણી તે છે. આહા..હા...! અહીં તો અનુભવ કરવો એ પ્રજ્ઞાછીણી છે એમ કીધું ! આહા...હા...! નિપતિ’ કીધું ને ? બે વચ્ચે નાખવી. બંધ અને આત્મા વચ્ચે. એનો અર્થ કે આત્માનો અનુભવ કરવો. છે ?
ભાવાર્થ આમ છે કે સામાન્યપણે જે કોઈ વસ્તુને છેદીને બે કરવામાં આવે છે.” આ કરવત વડે લાકડાના બે કટકા કરે છે ને ? “તે છીણી વડે છેદવામાં આવે છે. અહીં પણ જીવ-કર્મને છેદીને બે કરવાનાં છે, તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે.” આ.હા..હા.હા...! તેમને બે-રૂપે છેદવાને, જુદા કરવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ