________________
કળશ-૧૮૧
મોક્ષ થાય. અહીં તો ના પાડે છે. વ્યવહાર અને નિશ્ચય – બે કારણે થાય. ઉપાદાન અને નિમિત્ત બે કારણે મોક્ષ થાય. આવું છે આ. અન્ય તો બીજું કારણ થયું નથી, થશે નહિ.’ થયું નથી પણ કો'કને કોઈ દિ' થાય તો ? (તો કહે છે), નહિ થાય. કો'કને વળી રાગની મંદતા કરતાં કરતાં સમિકત થઈ જાય ને અનુભવ થઈ જાય. (તો કહે છે), ના. થયું નથી અને થશે નહિ. ત્રણે કાળની વાત લઈ લીધી. આહા..હા...! સમજાણું કાંઈ ?
આ લોકો કહે છે, અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે ! એમ કહે છે. અરે... ભગવાન ! અધ્યાત્મની (ભાંગ) કહેવાય નહિ, પ્રભુ ! અધ્યાત્મ તો આત્મા કહેવાય, નાથ ! તને આમ કેમ થયું ? આહા..હા...! અધ્યાત્મ તો આત્મા છે. (રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) લખ્યું છે, અત્યારે તો અધ્યાત્મ આત્મા છે. છે ને ? ચિઠ્ઠીમાં આવે છે. આહા..હા...! રહસ્યપૂર્ણ ચિઠ્ઠી'માં આવ્યું છે. પત્રનો ઉત્તર આપે છે એમાં લખ્યું છે. ટોડરમલે’ (લખ્યું છે), અત્યારે તો આત્મા અધ્યાત્મ છે. આહા..હા...! લ્યો, ઈ તો પાંચમાં આરાના (છે), હજી તો બસ્સો વર્ષ થયા (છે). ઈ એમ કહે છે કે, અત્યારે તો અધ્યાત્મ આત્મા છે. અને એ આત્મા પણ ‘અપતિગચ્છતિ ઇતિ આત્મા’ ભગવાનઆત્મા પોતાના આનંદસ્વરૂપપણે પરિણમે તે આત્મા. રાગરૂપે પરિણમે તે આત્મા ? એ તો અનાત્મા છે, આસ્રવ છે. આહા..હા..! બહુ કામ (આકરા) ! મધ્યસ્થતાથી એક વા૨ એક કલાક સાંભળેને તો એને ખ્યાલ આવે કે, માર્ગ તો આ છે. આગ્રહ રાખીને (સાંભળે તો ન સમજાય).
='
ચેતન આત્મા,
આહા..હા...! ‘અન્ય તો બીજું કારણ થયું, થશે નહિ. આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે આવી પ્રજ્ઞાછીણી...’ (એટલે) શું કીધું ઈ ? કે, સ્વરૂપના અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી. એમ. એ છીણી કઈ રીતે છેદીને બે કરે છે ? ‘ભોમયસ્ય’આત્મા–ચેતનામાત્ર દ્રવ્ય,... આહા..હા...! એ તો ચેતના... ચેતના... ચેતના... ચેતન – ચેતનામાત્ર દ્રવ્ય. ચેતન ભગવાનઆત્મા ચેતનામાત્ર વસ્તુ. એ તો જાણકસ્વભાવ, દર્શનસ્વભાવ માત્ર વસ્તુ (છે). આહા...હા...! આત્મા ચેતનામાત્ર સ્વરૂપ પ્રભુ ! આહા..હા...! એમાં કોઈ પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એમાં છે નહિ. આહા...હા...! આત્મા ચેતનામાત્ર દ્રવ્ય, કર્મ-પુદ્ગલનો પિંડ...' હવે કર્મની વ્યાખ્યા (કરી કે) એ તો પુદ્દગલનો પિંડ (છે). અથવા મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણિત....’ બે લીધા. કર્મનો પિંડ એ જડ લીધું અને અશુદ્ધ પરિણતિ એની પોતાની એમાં લીધી. એનાથી ભિન્ન પાડવું છે. જોયું ? અશુદ્ધ (પરિણતિથી) પણ ભિન્ન પાડવું છે. અશુદ્ધને રાખીને અંદર આત્મનું જ્ઞાન થાય છે, એમ નથી. આહા..હા...!
‘અશુદ્ધ પરિણિત,
એવી છે બે વસ્તુઓ....' એક કોર ચેતનામાત્ર ભગવાન અને એક બાજુ અશુદ્ધ પરિણતિ. કર્મ એ તો નિમિત્ત જડ છે. એક કોર અશુદ્ધ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ અશુદ્ધ પરિણમન, એ કર્મ અને એક બાજુ આત્મા
-
-
-
૪૩૧